MCD ચૂંટણી: 15 વર્ષના ભાજપના શાસનનો અંત, ઝાડૂનો ચાલ્યો જાદૂ, 131 બેઠક પર AAPનો વિજય..

Celebrations begin as AAP wins Delhi MCD polls

News Continuous Bureau | Mumbai

MCD ચૂંટણી : પાટનગર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીનો જાદુ ચાલી ગયો છે. આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને બહુમતી હાંસલ કરી છે. મહત્વનું છે 4 ડિસેમ્બરે MCDની 250 બેઠકો પર મતદાન થયું હતું. આ ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવારો મેદાનમાં હતા. હવે વિજેતા કાઉન્સિલરો દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરની પસંદગી કરશે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત હાંસલ કરી છે. 250 બેઠકોમાંથી 240 બેઠકોના પરિણામોમાં પાર્ટીએ 130 બેઠકો જીતી છે. જ્યારે ભાજપે 107અને કોંગ્રેસે 08બેઠકો જીતી છે. અન્યોએ 05 બેઠકો જીતી છે.    

આ સમાચાર પણ વાંચો:  તમિલનાડુમાં ભીમરાવ આંબેડકરનું કરી દીધું ભગવાકરણ, પોસ્ટર લગાવવા પર બબાલ

ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષથી દિલ્હી MCD પર ભાજપનો કબજો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી દિલ્હીના દિલ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન પર જીત મેળવવામાં સફળ રહી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. 

દિલ્હીમાં AAP કાર્યાલયમાં ઉજવણીનો માહોલ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ MCD ચૂંટણીમાં AAPની જીત માટે દિલ્હીના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે વિશ્વની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીની હાર થઈ છે. તેમણે કહ્યું કે આ માત્ર એક જીત નથી પરંતુ દિલ્હીને સ્વચ્છ અને વધુ સારું બનાવવાની મોટી જવાબદારી છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી ચુકી છે. આ સાથે અરવિંદ કેજરીવાલના માથા પર કાંટાનો તાજ પણ સજી ચુક્યો આવ્યો છે. તેમણે 2025માં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના ‘કચરાના પહાડ’ને ખતમ કરવા અથવા તેને નાના કરવાના મોટા પડકારનો સામનો કરવો પડશે. 

આ સમાચાર પણ વાંચો: MCD ચૂંટણી જીતી તો ગઈ આમ આદમી પાર્ટી,પણ તેના 11 ટકા વોટ ક્યાં ગયા?*

જો આમ કરીને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વચ્છ શાસન આપવામાં સફળ થશે તો તેનાથી અરવિંદ કેજરીવાલની છબી અને આમ આદમી પાર્ટીની વિશ્વસનીયતામાં વધારો થશે. આ તેમની રાષ્ટ્રીય રાજકીય સંભાવનાઓને મજબૂત બનાવશે. જો કે કેજરીવાલ આમ કરવામાં નિષ્ફળ જશે ભાજપ અને કોંગ્રેસ તેમને નિષ્ફળ મુખ્યમંત્રી સાબિત કરવાનો પ્રયાસ કરશે. આ સ્થિતિ કેજરીવાલની રાજકીય મહત્ત્વકાંક્ષાઓમાં અવરોધ બની શકે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *