News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રવિવારે ઉત્તર પ્રદેશના અયોધ્યાની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રી શિંદેની સાથે લગભગ 3,000 શિવસૈનિકો, પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને મહારાષ્ટ્ર સરકારના અન્ય કેટલાક મંત્રીઓ પણ હતા.
रामजन्मभूमी #अयोध्या नगरीतील रामलल्लाच्या मंदिरात जाऊन प्रभू श्रीरामचंद्राचे मनोभावे दर्शन घेतले. त्यानंतर मोठ्या उत्साहात आणि श्रद्धेने प्रभू श्रीरामाची महाआरती संपन्न झाली. यावेळी 'जय श्रीराम'च्या जयघोषाने संपूर्ण मंदिर परिसर निनादून गेला.#JayShreeram #Ayodhya pic.twitter.com/MvEbtmVbNU
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) April 9, 2023
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રવિવારે (9 એપ્રિલ) અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લા ના દર્શન કર્યા હતા. મુખ્ય પ્રધાન તરીકે અયોધ્યાની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, શિંદેએ તેમના ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કર્યું. એક વિશાળ સભાને સંબોધતા શિંદેએ કહ્યું કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબનું “અયોધ્યામાં ભવ્ય દિવ્ય રામ મંદિર”નું નિર્માણ કરવાનું સપનું હતું જે વડાપ્રધાન મોદીએ પવિત્ર ભૂમિ પર મંદિરનું નિર્માણ શરૂ કરીને પૂરું કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો: Realmeનો Narzo N55 ભારતમાં આ તારીખે થશે લોન્ચ, કંપનીએ ટીઝર કર્યું રિલીઝ.. જાણો તેની ખાસિયત..