આજે નબીપુર – વરેડિયા સેક્શન વચ્ચે હાથ ધરાશે બ્લોક, પશ્ચિમ રેલવેની આ ટ્રેનો થશે પ્રભાવિત

by kalpana Verat
Railway news : Block will be implemented in North Eastern Railway, these two trains will be affected.

News Continuous Bureau | Mumbai

બ્રિજ નંબર 520 ના મજબૂતીકરણની કામગીરી હાથ ધરવા માટે, બુધવાર, 31 મે, 2023 ના રોજ નબીપુર – વરેડિયા સેક્શન વચ્ચે ડાઉન લાઇન પર એક બ્લોક હાથ ધરવામાં આવશે. આ કાર્યના અમલીકરણને કારણે, પશ્ચિમ રેલવેની થોડી ટ્રેનોને અસર થશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

આ ટ્રેનો આંશિક રદ

  1. ટ્રેન નંબર 09161 વલસાડ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ, 31મી મે 2023ની ભરૂચ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. 31મી મે 2023ની ટ્રેન નંબર 09162 વડોદરા – વલસાડ પેસેન્જર સ્પેશિયલ, વડોદરા અને ભરૂચ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3. 31મી મે 2023ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, ભરૂચ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  4. 31મી મે 2023ની ટ્રેન નંબર 19034 અમદાવાદ – વલસાડ એક્સપ્રેસ, અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો: સારા સમાચાર – ખાદ્ય તેલના ભાવોમાં થયો ઘટાડો, જાણો કેટલામાં પડશે સીંગતેલનો ડબ્બો

આ ટ્રેન રેગ્યુલેટ કરવામાં આવશે.

  1. ટ્રેન નંબર 12656 પુરાતચી થલાઈવર ડૉ. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ – અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 00.45 મિનિટ  રેગ્યુલેટ કરવામાં આવશે.

મુસાફરોએ તેની નોંધ લેવા વિનંતી છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More