NCP Political Crisis: શરદ પવારે કર્યો ખુલાસો, કહ્યું-ભાજપ સરકારમાં જોડાવા માટે એક વખત નહીં પણ ત્રણ વખત થઈ હતી વાત, જાણો કેમ નહોતી બની વાત..

NCP Political Crisis: ભત્રીજા અજિત પવારની નિવૃત્તિની સલાહ પર શરદ પવારે પણ પલટવાર કર્યો અને કહ્યું કે તેઓ 83 વર્ષની ઉંમરે પણ કામ કરવા તૈયાર છે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

NCP Political Crisis: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર (Sharad Pawar) તેમના રાજકીય જીવનની સૌથી મુશ્કેલ લડાઈ લડી રહ્યા છે. તેમણે 24 વર્ષમાં જે પાર્ટી ઉભી કરી હતી, આજે તેને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક સમયે સૌથી ખાસ ગણાતા ભત્રીજા અજિત પવાર(Ajit Pawar) ના બળવા બાદ પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓએ તેમનો સાથ છોડી દીધો છે. અજિત પવારે તેમની ઉંમર પર સવાલ ઉઠાવીને તેમને નિવૃત્ત થવાની સલાહ પણ આપી હતી. તેના જવાબમાં વરિષ્ઠ પવારે કહ્યું છે કે તેઓ 82 વર્ષની ઉંમરે પણ કામ કરવા તૈયાર છે. તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે સરકારમાં સામેલ થવા માટે ભાજપ સાથે ત્રણ વખત વાટાઘાટો થઈ હતી, પરંતુ આગળ વધી શકી નથી.

મીડિયા હાઉસ સાથે વાત કરતા, NCP નેતાએ કહ્યું કે તેઓ વૃદ્ધ થયા નથી અને અટલ બિહારી(Atal Bihari Vajpayee) ના પ્રખ્યાત વાક્ય ‘ના થકા હૂં, ના નિવૃત્ત હૂં’ નું પુનરાવર્તન કર્યું છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પાર્ટી કાર્યકર્તાઓ તેમને કહેતા રહેશે ત્યાં સુધી તેઓ કામ કરતા રહેશે.

અજિત પવારે કહ્યું હતું- તેઓ ક્યારે નિવૃત્ત થશે?

અજિત પવારે 5 જુલાઈએ મુંબઈ (Mumbai) ના બાંદ્રામાં પાર્ટીના નેતાઓ સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ બેઠકમાં NCPના 53માંથી 32 ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ સભાને સંબોધતા અજિત પવારે કાકા શરદ પવારને નિવૃત થવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, “સરકારી અધિકારીઓ 62 વર્ષની વયે નિવૃત્ત થાય છે. ભાજપના નેતાઓ 75 વર્ષની વયે રાજકારણમાં નિવૃત્ત થાય છે, તમે 83 વર્ષના છો, તમારે ક્યારેક તો રોકાવું પડશે.

અજિતના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા વરિષ્ઠ પવારે કહ્યું કે, તેઓ કોઈપણ મંત્રી પદ સંભાળ્યા વિના પણ પાર્ટી માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ કોણ છે જે મને નિવૃત્ત થવા માટે કહે છે. હું હજુ પણ કામ કરી શકું છું.

આ સમાચાર પણ વાંચો : Business: જો તમે ઘર બનાવવા જઈ રહ્યા છો તો વાંચો આ ખુશખબર, દેશભરમાં લોખંડના સળિયાના ભાવમાં થયો ઘટાડો! જાણો કિંમત

ભાજપ સાથે વાતચીત થઈ હતી

શરદ પવારે આ જ વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે તેમણે ભાજપના નેતૃત્વમાં સરકારમાં સામેલ થવા માટે તેમની પાર્ટી સાથે વાત કરી હતી. તેમણે 2014, 2017 અને 2019માં ભાજપ સાથે ગઠબંધનની વાત કરી હતી, પરંતુ અલગ-અલગ વિચારધારાને કારણે અમે આગળ વધી શક્યા નહીં.

પ્રફુલ પટેલને પણ જવાબ આપ્યો

અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે 6ઠ્ઠી જુલાઈએ દિલ્હીમાં બોલાવેલી શરદ પવાર જૂથની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકને અનધિકૃત ગણાવી હતી. પ્રફુલ પટેલે કહ્યું હતું કે, વર્કિંગ કમિટીમાં નેતાઓની નિમણૂક પાર્ટીના બંધારણનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી છે. પ્રફુલ્લ પટેલના દાવાનો વિરોધ કરતાં શરદ પવારે કહ્યું કે, તો પછી પાર્ટીના તમામ નેતાઓની નિમણૂક, પ્રફુલ પટેલની નિમણૂક પણ ગેરકાયદેસર છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને એનસીપીએ સંગઠનમાં મોટો ફેરફાર કર્યો હતો અને પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. વરિષ્ઠ પવારે એમ પણ કહ્યું કે પ્રફુલ પટેલે જ પાર્ટી અધ્યક્ષ માટે તેમના નામની દરખાસ્ત કરી હતી, ત્યારબાદ તેઓ સર્વસંમતિથી ચૂંટાયા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More