News Continuous Bureau | Mumbai
હાલ મહારાષ્ટ્રમાં શિવસેનાને લઈને રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. ચૂંટણી પંચના નિર્ણય સામે આજે ઉદ્ધવ ઠાકરે વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેનો ઇનકાર કર્યો હતો. ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આને મોટો ફટકો ગણાવાઈ રહ્યો છે.
ઉદ્ધવ જૂથના વકીલે ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો અને આ મામલે સુનાવણીની માંગ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ શિવસેના જૂથની અરજીની વહેલી સૂચિબદ્ધ કરવા માટે આ બાબતનો ઉલ્લેખ કર્યો. જોકે, CJIએ કોઈપણ આદેશ આપવાનો ઈનકાર કરતા કહ્યું કે તાત્કાલિક બાબતોનો ઉલ્લેખ કરવા માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. દરેક વ્યક્તિએ તેના પર વિશ્વાસ કરવો જોઈએ. તેથી જ તેમણે કાલે આવવું જોઈએ. વાસ્તવમાં, આ અરજી ઉલ્લેખિત સૂચિમાં નહોતી. તેથી જ કોર્ટે આવતી કાલે તેનો ઉલ્લેખ કરવા જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડિગોનો સામે આવ્યો મેગા પ્લાન, 2030 સુધીમાં 500 એરક્રાફ્ટનો કરશે વધારો
Join Our WhatsApp Community