Tag: બાગેશ્વર ધામ

  • આજ થી રાજકોટમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર: હજારો – લાખો ભાવિકો ઉમટશે

    આજ થી રાજકોટમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર: હજારો – લાખો ભાવિકો ઉમટશે

    News Continuous Bureau | Mumbai

    સનાતન ધર્મની જ્યોત પ્રજવલિત કરવા માટે નીકળેલા હિન્દુ હૃદય સમ્રાટ અને મધ્યપ્રદેશ સ્થિત બાબા બાગેશ્વર ધામના સરકાર પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ના રાજકોટ ખાતેના મહા દિવ્ય દરબારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. બાગેશ્વર બાબા અમદાવાદ નો કાર્યક્રમ પૂરો કરીને  સાંજે રાજકોટ આવી રહ્યા હોવાથી તેમના સ્વાગત માટે પણ જોરદાર તૈયારી થઈ રહી છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગુરુ અને શુક્ર એમ બે દિવસ માટે બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાશેે જેમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી ધારણા છે. બાબા બાગેશ્વરના મહા દિવ્ય દરબાર માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ અને ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. રાજસ્થાનની રજવાડી થીમ ઉપર બનાવવામાં આવેલું ભવ્ય સ્ટેજ , સોફા અને ખુરશીઓ સહિતની બેઠક વ્યવસ્થા પણ તૈયાર થઈ ગઈ છે. 

    શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટના મુખ્ય આયોજક યોગીનભાઈ છનિયારા, ભરતભાઇ દોશી, કિશોરભાઈ ખંભાયતા, જયદેવસિંહ જાડેજા, ગુણુભાઈ ડેલાવાળા, પરેશભાઈ ગજેરા, ડી.વી.મહેતા,ઘનશ્યામભાઈ હેરભા, વિજયભાઈ વાંક, કાંતિભાઈ ઘેટીયા, મિલન કોઠારી, સુજીત ઉદાણી, જય ખારા એ વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીના સુરત અને અમદાવાદના કાર્યક્રમો ભવ્ય રીતે સફળ થયા બાદ હવે તેઓ રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવા માટે કાર્યકર્તાઓ અને સનાતની હિન્દુ લોકો થનગની રહ્યા છે. રાજકોટમાં પણ બાગેશ્વર બાબાના મહા દિવ્ય દરબારને લઈને લોકોમાં ભારે ઉત્કંઠા છવાયેલી છે. રેસકોર્સમાં બે દિવસમાં દિવ્ય દરબાર દરમિયાન સમગ્ર વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે અને દરેકને તેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો: મથિશા પથિરાનાના નામે જોડાયો આ ખાસ રેકોર્ડ, રવિન્દ્ર જાડેજા અને રાહુલ ચહર સાથે બનેલી આ ખાસ ક્લબનો બન્યો ભાગ

    સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ કાર્યકર ભાઈ – બહેનોની ટીમ પણ કામે લાગી ગઈ છે. મધુરમ ક્લબ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં બે દિવસ માટે કામ ચલાઉ હોસ્પિટલ ઊભી કરવામાં આવશે અને બાબાના દરબારમાં આવનારા લોકોને કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક સમસ્યા ઊભી થાય તો ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ટીમ ખડે પગે રહેશે. મધુરમ ક્લબના પ્રમુખ મિલન કોઠારીએ પણ આ સુવિધા અંગે જરૂરી વિગતો આપી હતી. રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ભાજપના અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા, ગોવિંદભાઈ કાનગડ, મુરલીભાઈ દવે, શૈલેષભાઈ જાની, પંકજભાઈ રાવલ, સહિતના અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું હતું.

  • મુંબઈમાં આયોજિત બાગેશ્વર ધામના કાર્યક્રમમાં ચોરોએ કરી હાથ સફાઈ, કરી આટલા લાખના દાગીનાની ચોરી..

    મુંબઈમાં આયોજિત બાગેશ્વર ધામના કાર્યક્રમમાં ચોરોએ કરી હાથ સફાઈ, કરી આટલા લાખના દાગીનાની ચોરી..

    News Continuous Bureau | Mumbai

    મુંબઈ શહેરને અડીને આવેલા મીરા રોડ વિસ્તારમાં ગત શનિવારે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર અને રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પ્રથમ દિવસે જ બાગેશ્વર ધામ સરકારના દર્શન કરવા આવેલી  સોનાની ચેઈન અને મંગળસૂત્રની ચોરી થઈ હતી. શનિવારે, ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયીઓ દૈવી દરબારમાં હાજરી આપવા અને તેમના પ્રવચનો સાંભળવા આવતા હતા. શનિવારે સાંજે 5.30 કલાકે શરૂ થયેલો કાર્યક્રમ રાત્રે 9.30 કલાકે પૂરો થયો હતો. આ દરમિયાન ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી

    મીડિયા રિપોર્ટ મુજબ અનુસાર, 36 મહિલાઓએ મંગળસૂત્ર અને ગળાની ચેઈનની ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચોરાયેલા સોનાની કુલ કિંમત 4 લાખ 87 હજાર રૂપિયા છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, મીરા રોડમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો 2 દિવસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને તેને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છે.

    આ સમાચાર પણ વાંચો :  1 થી 9 સુધીમાં આ નંબર હોય છે સૌથી પ્રભાવશાળી, આ લોકો અમીરીમાં વિતાવે છે તેમનું જીવન

  • બાગેશ્વર ધામમાં થયો ચમત્કાર, એક સાથે આટલા બધા લોકોએ હિન્દુ ધર્મમાં કરી ઘરવાપસી

    બાગેશ્વર ધામમાં થયો ચમત્કાર, એક સાથે આટલા બધા લોકોએ હિન્દુ ધર્મમાં કરી ઘરવાપસી

    News Continuous Bureau | Mumbai

    મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ગડા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં ફરી એકવાર આશ્ચર્યજનક ઘટના બની છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સાગર જિલ્લાના તાપરિયાન, બાનાપુર, બમહોરી, ચિતોરા ગામોમાંથી નવકુંડિયા યજ્ઞના સમાપન પ્રસંગે આવેલા 220 લોકોની ઘરવાપસી કરાવી હતી. ઘરવાપસી કરનારા તમામ લોકો સાગર જિલ્લાના ગામના હોવાનું કહેવાય છે. બાગેશ્વધામ પર વિધિવિધાન સાથે તેમની ઘરવાપસી કરાવી હતી.

    મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ અવસર પર બાગેશ્વર ધામ પ્રમુખ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઘરવાપસી કરવા આવેલા લોકોને પૂછ્યું હતું કે, આપના પર કોઈ પણ પ્રકારનું પ્રેશર તો નથી, શું આપ આપની ઈચ્છાથી આવ્યા છો. તેના પર લોકોએ હાથ ઉંચા કરી કહ્યું કે તેમના પર કોઈ પ્રેશર નથી. આ લોકો હિન્દુ જાગરણ મંચની મદદથી ઘરવાપસી કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ બધા ઈસાઈ બન્યા હતા. અમુક ઈસાઈ ધર્મ અપનાવી લીધો, કોઈ ચર્ચ જવા લાગ્યા હતા. કોઈને આ ધર્મ સારો લાગવા લાગ્યો હતો. આજથી ઘરવાપસી કરી રહ્યા છે. તેમણે ફરી કહ્યુ કે, વિશ્વમાં ફક્ત એક જ ધર્મ છે અને તે છે સનાતન ધર્મ, બાકી બધા પંથ છે.

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ, સંજય રાઉતના 2,000 કરોડ રૂપિયાની ડીલના આક્ષેપ પર ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પૂછ્યા આ સવાલો