• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - icu
Tag:

icu

Dipika Kakar in ICU After Liver Cancer Surgery Shoaib Ibrahim Shares Emotional Health Update
મનોરંજન

Dipika Kakar Health Update: લીવર કેન્સરની સર્જરી બાદ ICU માં હતી દીપિકા કક્કડ, પતિ શોએબ ઇબ્રાહિમ એ હેલ્થ અપડેટ આપતા કહી આવી વાત

by Zalak Parikh June 7, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Dipika Kakar Health Update: ટીવી જગતની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કડ હાલ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. લીવર કેન્સર માટે 14 કલાક લાંબી સર્જરી બાદ તે ICUમાં દાખલ હતી. પતિ શોએબ ઇબ્રાહિમ એ પોતાના વ્લોગમાં દીપિકાની તબિયત વિશે વિગતવાર માહિતી આપી છે અને ચાહકોનો આભાર માન્યો છે કે જેમણે દીપિકા ના સારા થવા માટે પ્રાર્થના કરી હતી.

આ સમાચાર પણ વાંચો: Rekha and Amitabh bachchan: રણજીત એ અભિનેત્રી રેખા ને લઈને કર્યો મોટો ખુલાસો, અમિતાભ સાથે એક સાંજ વિતાવવા માટે છોડી હતી આ ફિલ્મ

દીપિકા ICUમાંથી બહાર આવી

શોએબે જણાવ્યું કે દીપિકા ત્રણ દિવસ સુધી ICUમાં રહી હતી. હવે ડોક્ટરોએ તેને સામાન્ય રૂમમાં ખસેડી છે. તે હજુ હોસ્પિટલમાં રહેશે કારણ કે સર્જરી ખૂબ જ મોટી હતી. દીપિકા 14 કલાક સુધી ઓપરેશન થિયેટરમાં હતી, જે પરિવાર માટે ખૂબ જ તણાવભર્યું હતું. શોએબે વધુમાં જણાવ્યું કે ડોક્ટરો એ દીપિકાના પિત્તાશય માંથી પથરી કાઢી નાખી છે અને લીવરનો નાનો ભાગ પણ દૂર કર્યો છે કારણ કે ત્યાં કેન્સરયુક્ત ટ્યુમર હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ લીવર એ સ્વ-પુનઃસ્થાપિત થતો અંગ છે, એટલે સમય જતાં તે પોતે જ સાજો થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


શોએબે પોતાના વ્લોગમાં ચાહકોનો દિલથી આભાર માન્યો છે. તેણે કહ્યું કે, “અમે બધાં ખૂબ જ ઘભરાઈ ગયા હતા કારણ કે ઓપરેશન દરમિયાન કોઈ અપડેટ મળતું નહોતું. પણ ડોક્ટરોએ કહ્યું કે જો અપડેટ ન મળે તો સમજવું કે બધું સારી રીતે ચાલી રહ્યું છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pawandeep Rajan Health Update 8-Hour Surgery Still in ICU
મનોરંજન

Pawandeep Rajan Health Update: આટલા કલાક ચાલેલી સર્જરી બાદ આઈસીયુમાં દાખલ છે પવનદીપ રાજન, જાણો હાલ કેવી છે ઇન્ડિયન આઇડલ વિનર ની હાલત

by Zalak Parikh May 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pawandeep Rajan Health Update: ઇન્ડિયન આઇડલ 12  વિજેતા પવનદીપ રાજનનો તાજેતરમાં ભયાનક કાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં તેને અનેક ફ્રેક્ચર અને ઇજાઓ થઈ છે. હાલ પવનદીપ હોસ્પિટલમાં દાખલ છે અને તેની અનેક સર્જરી કરવામાં આવી છે. ફેન્સ પવનદીપ ના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન પવનદીપ ની ટીમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિંગરનો હેલ્થ અપડેટ શેર કર્યો છે.

આ સમાચાર પણ વાંચો: Anupama Actor Jatin Suri: અનુપમા માં આ પાત્ર ભજવનાર અભિનેતા પર લાગ્યો ગર્લફ્રેન્ડ ને બ્લેકમેલ કરવાનો આરોપ!સિરિયલ ના સેટ પર પહોંચી પોલીસ, જાણો શું છે સમગ્ર મામલો

પવનદીપ રાજનની 3 સર્જરી

પવનદીપ રાજન નું હેલ્થ અપડેટ શેર કરતા ટીમે પોતાના સ્ટેટમેન્ટમાં લખ્યું છે, “બધાને નમસ્કાર, પવનની કાલે 3 વધુ સર્જરીઓ થઈ. સવારે તેમને ઓટીમાં લઈ જવામાં આવ્યા અને 8 કલાકના લાંબા ટ્રીટમેન્ટ બાદ તેમના બાકી રહેલા ફ્રેક્ચરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. હજી પણ તે આઈસિયુમાં ઓબ્ઝર્વેશનમાં છે અને થોડા દિવસો સુધી ત્યાં જ રહેશે. ડોક્ટરે કહ્યું છે કે હવે ટ્રીટમેન્ટ અને રિકવરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેથી ચાલો આપણે તેની જલદી સાજા થવાની પ્રાર્થના કરીએ. ફરીથી, બધી દૂઆ ઓ અને પ્રાર્થના ઓ માટે તમારો આભાર.”

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)


પવનદીપ એક પરફોર્મન્સ માટે અમદાવાદની ફ્લાઇટ પકડવા માટે દિલ્હી જઈ રહ્યો હતો. ત્યારે તેની કાર રસ્તા પર ઉભેલા કેન્ટર ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કારના ચિંથડા ઉડી ગયા હતા. પવનદીપ સાથે ગાડીમાં હાજર બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Saif Ali Khan Health Updates 2.5-Inch-Long Knife Removed from Spine, Actor in ICU
Main PostTop Postમનોરંજન

Saif Ali Khan Health Updates: સૈફ અલી ખાનની થઇ સર્જરી, ડોક્ટરોએ કરોડરજ્જુમાંથી કાઢ્યો 2.5 ઇંચનો છરીનો ટુકડો; જાણો હાલ કેવું છે અભિનેતાનું સ્વાસ્થ્ય…

by kalpana Verat January 16, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Saif Ali Khan Health Updates:સૈફ અલી ખાનના ઘરે મધ્યરાત્રિએ થયેલા હુમલા બાદ, અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  સૈફ પર છ વાર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. છરીનો એક ટુકડો અભિનેતાના કરોડરજ્જુમાં રહી ગયો હતો. મુંબઈની લીલાવતી હોસ્પિટલના ડોકટરોએ સર્જરી દ્વારા કરોડરજ્જુમાં અટવાયેલા 2.5 ઇંચના છરીના ટુકડાને દૂર કર્યો છે. હોસ્પિટલે કહ્યું છે કે અભિનેતા હાલમાં ખતરાની બહાર છે.

Saif Ali Khan Health Updates:સૈફે ન્યુરોસર્જરી અને પ્લાસ્ટિક સર્જરી બંને કરાવી

લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ સૈફ અલી ખાનની તબીબી સ્થિતિ અંગે બુલેટિન જારી કર્યું. સૈફ અલી ખાનને છ છરીના ઘા થયા છે, જેમાંથી બે ઊંડા અને ગંભીર છે. તેમણે કહ્યું કે તેમની ગરદન અને કરોડરજ્જુમાં થયેલી ઇજાઓ ખાસ કરીને ગંભીર હતી, અને ઘા ને ઠીક કરવા માટે તેમણે સર્જરી કરાવી છે. સૈફે ન્યુરોસર્જરી અને પ્લાસ્ટિક સર્જરી બંને કરાવી છે. સૈફને સવારે 3.30 વાગ્યે દાખલ કરવામાં આવ્યો અને તેની સર્જરી લગભગ અઢી કલાક ચાલી.

Saif Ali Khan Health Updates:ઉચ્ચ સુરક્ષાનો ભંગ કેવી રીતે થયો?

આ ઘટના ખારના ફોર્ચ્યુન હાઇટ્સમાં બની હતી, જે એક ઉચ્ચ સુરક્ષાવાળી સોસાયટી છે. આટલી કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં હુમલાખોર અંદર કેવી રીતે ઘૂસ્યો તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેમજ, ઘટના પછી તે ત્યાંથી કેવી રીતે ભાગી શક્યો. પોલીસ આ તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે. સૈફની ટીમે ચાહકોને ગોપનીયતા જાળવવા વિનંતી કરી છે.

Saif Ali Khan Health Updates:સૈફ પરના હુમલા અંગે બે થિયરી સામે આવી

સૈફ અલી ખાનના ઘરમાં હુમલાખોરના પ્રવેશ અંગે બે થિયરી સામે આવી છે. અભિનેતાની  ટીમના જણાવ્યા અનુસાર, આ હુમલો ચોરીના ઈરાદાથી કરવામાં આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલા દરમિયાન સૈફનો એક કર્મચારી પણ ઘાયલ થયો હતો. દરમિયાન, પોલીસનું કહેવું છે કે હુમલાખોરનો અભિનેતાની નોકરાણી સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ સૈફે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો અને હુમલાખોરે તેના પર છરી વડે હુમલો કર્યો.

આ સમાચાર પણ વાંચો : Saif ali khan attack : અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો, શરૂ થઈ ગયું રાજકારણ… વિપક્ષે મહાયુતિ સરકાર પર સાધ્યું નિશાન..

Saif Ali Khan Health Updates:પોલીસ તપાસ અને હુમલાખોરની શોધખોળ

આ કેસમાં પોલીસે અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું નોકરાણી અને હુમલાખોર વચ્ચે કોઈ સંબંધ હતો. આ ઘટનાના ઘણા પાસાં હજુ સ્પષ્ટ નથી. શું હુમલાખોર પૂર્વયોજિત યોજના સાથે આવ્યો હતો? નોકરાણી અને હુમલાખોર વચ્ચેની દલીલનું સાચું કારણ શું હતું? આ પ્રશ્નોના જવાબો શોધવા માટે પોલીસ દરેક ખૂણાથી તપાસ કરી રહી છે. ઘરના કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસે અભિનેતાના ઘરની આસપાસ સુરક્ષા કડક કરી દીધી છે.

Saif Ali Khan Health Updates: ચોર અને સૈફ વચ્ચે ઝપાઝપી થઈ

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે એક અજાણ્યો ચોર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો. ચોર અને સૈફ વચ્ચે ઝપાઝપી થઈ, ત્યારબાદ ચોરે અભિનેતા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. પોલીસનું કહેવું છે કે ચોરે સૈફ પર તેના શરીર પર અનેક ઘા કર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને ચોર કોણ હતો અને તેણે આ હુમલો કેમ કર્યો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Saif Ali Khan Health Updates:પરિવારના બીજા સભ્યો ક્યાં હતા?

હુમલા દરમિયાન અભિનેતાની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર અને તેમના બે બાળકો તૈમૂર અલી અને જહાંગીર અલી ઘરે હાજર હતા. પિતા પર હુમલાના સમાચાર સાંભળ્યા પછી, પુત્રીઓ સારા અલી અને ઇબ્રાહિમ અલી લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા.

 

January 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Main PostTop Postઆંતરરાષ્ટ્રીય

Chinmoy Das Bail Plea: બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બેકાબુ, ચિન્મય દાસની સુનાવણી પહેલા વકીલ પર થયો હુમલો; ICUમાં દાખલ..

by kalpana Verat December 3, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Chinmoy Das Bail Plea: હાલમાં ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા જોવા મળી રહી છે. તાજેતરમાં ઈસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની દેશદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી દેશમાં તેમની મુક્તિની માંગ ઉઠી રહી છે. તેમના જામીન અંગેની સુનાવણી આજે 3જી ડિસેમ્બરે હાથ ધરાશે. દરમિયાન,  બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલ હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના કેસમાં બચાવ કરી રહેલા વકીલ રમણ રોય પર જીવલેણ હુમલો થયો છે. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  

Chinmoy Das Bail Plea: વકીલના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો 

ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.  ઇસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે રોયની એક માત્ર ભૂલ એ હતી કે તેણે ચિન્મય પ્રભુને કાનૂની બચાવ પૂરો પાડ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઈસ્લામિક કટ્ટરપંથીઓએ રોયના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રોય ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલ આઈસીયુમાં દાખલ છે. આ સાથે તેણે ICUમાં દાખલ વકીલની તસવીર પણ પોસ્ટ કરી છે.

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા રાધારમ દાસે કહ્યું, વકીલ રોય પરનો આ હુમલો ચિન્મય કૃષ્ણ પ્રભુના કાયદાકીય બચાવનું પરિણામ છે. આનાથી બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓના અધિકારોની રક્ષા કરનારાઓ માટે ખતરો વધી રહ્યો છે. બાંગ્લાદેશ સમિત સનાતની જાગરણ જોટના પ્રવક્તા તરીકે ફરજ બજાવતા પ્રભુ ચિન્મય કૃષ્ણને સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક રેલીમાં ભાગ લેવા માટે ચટ્ટોગ્રામ જઈ રહ્યા હતા ત્યારે ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને તેને મંગળવારે જેલમાં મોકલી આપ્યો હતો.

Chinmoy Das Bail Plea:  આજે સુનાવણી થશે

આ ઘટના એવા સમયે બની છે જ્યારે 3 ડિસેમ્બર, મંગળવારે એટલે કે આજે કોર્ટમાં ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી થવાની છે. બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પરના હુમલાઓ સામે અવાજ ઉઠાવનાર ચિન્મય કૃષ્ણ દાસની ગયા અઠવાડિયે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ એક રેલીમાં ભાગ લેવા માટે ચટગાંવ જઈ રહ્યા હતા. તેમની સામે દેશદ્રોહના આરોપો દાખલ કરવામાં આવ્યા છે. ભારતે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : PM મોદી આજે લેશે ચંદીગઢની મુલાકાત, આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના સફળ અમલીકરણને રાષ્ટ્રને કરશે સમર્પિત

 Chinmoy Das Bail Plea:  બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલામાં વધારો

મહત્વનું છે કે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પતન બાદ વચગાળાની સરકારનું નેતૃત્વ કરનાર મુહમ્મદ યુનુસના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલામાં વધારો થયો છે. જો કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવાના અહેવાલો સામે આવ્યા બાદ, ભારતે બાંગ્લાદેશ સરકારને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેક માધ્યમો દ્વારા વિનંતી કરી છે.

December 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ratan Tata Health Ratan Tata dismisses health rumours, assures he's in good spirits
મુંબઈ

Ratan Tata Health :બિઝનેસના ‘બાદશાહ’ રતન ટાટા ને અચાનક શું થયું..? આગની જેમ ફેલાયા સમાચાર ; સત્તાવાર નિવેદન કર્યું જારી..

by kalpana Verat October 7, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Ratan Tata Health :

  • વરિષ્ઠ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાની તબિયત લથડી હોવાના અહેવાલ વહેતા થયા હતા. 

  • રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

  • એટલું જ નહીં મીડિયા અહેવાલોમાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાયું હતું.

  • જો કે, હવે રતન ટાટાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ ઠીક છે. 

  • નિવેદનમાં રતન ટાટાએ કહ્યું કે, ‘હું મારા સ્વાસ્થ્યને લઈને તાજેતરમાં ફેલાયેલી અફવાઓથી વાકેફ છું. હું દરેકને જણાવવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે. 

  • મારી ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે હાલમાં હું તબીબી તપાસ કરાવી રહ્યો છું. 

  • ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હું સ્વસ્થ છું અને લોકોને વિનંતી કરું છું કે ખોટી માહિતી ફેલાવવાથી દૂર રહે.

 

આ સમાચાર પણ વાંચો:  Tata Electronics Fire : TATA ગ્રુપના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, કાળા ધુમાડાંથી ઘેરાયું આકાશ; જુઓ વિડીયો..

 

Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99

— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
govinda was shot in the leg accident happened while cleaning the revolver
મનોરંજન

Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદા ને ગોળી વાગતા ICUમાં દાખલ, જાણો કેવી રીતે થયો એક્ટર સાથે આ અકસ્માત

by Zalak Parikh October 1, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Govinda: બોલિવૂડ માંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે બોલિવૂડ અભિનેતા ગોવિંદા ને ગોળી વાગતા ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.મીડિયા રિપોર્ટ મુજબ ગોવિંદાને રિવોલ્વર સાફ કરતી વખતે ગોળી વાગી હતી. પોતાની જ ગોળીથી ઘાયલ થયેલા ગોવિંદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : IIFA award 2024 winner list: આઈફા એવોર્ડ 2024 માં છવાઈ એનિમલ, શાહરુખ ખાન થી લઈને અનિલ કપૂર સુધી આ બોલિવૂડ સેલેબ્સ ને મળી ટ્રોફી, વાંચો વિજેતા ની યાદી અહીં

ગોવિંદા ને વાગી ગોળી 

મીડિયા રિપોર્ટ મુજબ  ગોવિંદા સવારે 4.45 વાગ્યે ઘરની બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. ગોવિંદા બહાર જતા પહેલા તેની લાઇસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો.ત્યારે ભૂલ થી તેનાથી મિસફાયર થઇ ગયું. રિપોર્ટ મુજબ ગોવિંદાને ઘૂંટણ પાસે ગોળી વાગી હતી અને તે હાલમાં મુંબઈની ક્રિકેટ કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


ગોવિંદાના મેનેજર એ એક મીડિયા હાઉસ ને જણાવ્યું કે ‘અભિનેતાની હાલત હવે ખતરાની બહાર છે. તે કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો. તે રિવોલ્વર સાફ કરીને કબાટમાં રાખતો હતો. આ દરમિયાન પિસ્તોલ જમીન પર પડી હતી, જે બાદ તે મિસ ફાયર થઈ ગઈ હતી. તેને ઘૂંટણ નીચે ગોળી વાગી હતી. ગભરાવાની જરૂર નથી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
veteran actress tanuja hospitalized in icu know her health update
મનોરંજન

Tanuja hospitalized: ’જવેલ થીફ’ ની અભિનેત્રી તનુજા ની બગડી તબિયત, થઈ આઈસીયુમાં દાખલ, જાણો હાલ કેવું છે અભિનેત્રી નું સ્વાસ્થ્ય

by Zalak Parikh December 18, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Tanuja hospitalized: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી તનુજા વિશે માઠા સમાચાર સામે આવ્યા છે. તનુજા ની તબિયત બગડતા તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે.  તનુજા ની ઉંમર 80 વર્ષ છે અભિનેત્રી ને ઉંમર સંબંધિત સમસ્યા ને કારણે તેને મુંબઈમાં જુહુ ની એક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે. હાલ અભિનેત્રી ICUમાં છે. 

 

તનુજા થઇ હોસ્પિટલ માં દાખલ 

એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે, 80 વર્ષીય અભિનેત્રી જુહુની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. રિપોર્ટ અનુસાર, ‘તેઓ નિરીક્ષણ હેઠળ છે. તેણી સારી રીતે કરી રહી છે. ચિંતા કરવા જેવું કંઈ નથી.’ તમને જણાવી દઈએ કે તનુજા નો જન્મ 23 સપ્ટેમ્બર 1943 માં થયો હતો. તનુજા એ વીતેલા જમાનાની અભિનેત્રી શોભના સમર્થ થી દીકરી છે તેમજ બોલિવૂડ સુપરસ્ટાર કાજોલ ની માતા છે. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


તનુજા ની નાદુરસ્ત તબિયતની માહિતી મળતા જ ચાહકો અભિનેત્રીના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન અને તૃપ્તિ ડીમરી બાદ હવે આ અભિનેત્રી ના નામ ની ચાલી રહી છે ચર્ચા, જાણો તે એક્ટ્રેસ વિશે

 

December 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fire broke out in the hospital, 100 patients evacuated safely..
અમદાવાદ

Ahmedabad: અમદાવાદના હોસ્પિટલમાં લાગી ભીષણ આગ.. 100 દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.. જાણો સંપુર્ણ મુદ્દો શું છે….

by kalpana Verat July 30, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Ahmedabad: અમદાવાદ (Ahmedabad) ના શાહીબાગ (Shahibaug) માં આવેલી રાજસ્થાન હોસ્પિટલ (Rajasthan Hospital) ના ભોંયરામાં 30 જુલાઈના રોજ વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. અહીં દાખલ 100 થી વધુ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આગ ચારે તરફ ફેલાઈ ગઈ હતી. ભોંયરામાં ઘણા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. હોસ્પિટલ પાસે 50 એમ્બ્યુલન્સ તૈનાત હતી. આગ ઓલવવામાં બે ડઝનથી વધુ ફાયર એન્જિન લાગ્યા હતા.

  કોઈ જાનહાનિ નથી

વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે કે કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદ ફાયર વિભાગે (Fire Department) ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કર્યું હતુ. ફાયર બ્રિગેડનો સ્ટાફ લગભગ ચાર કલાક મહેનત કરી હતી. આગ હજુ સંપૂર્ણ રીતે ઓલવાઈ નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ધુમાડાના ગોટેગોટા ચારે તરફ ફેલાઈ ગયા છે. ભોંયરામાં ધુમાડો છે. ફોમમાંથી ધુમાડો ઓછો થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: જો આજે લોકસભાની ચૂંટણી થાય તો NDAને આ 4 રાજ્યોમાં એક પણ સીટ નહીં મળે… સર્વેના આંકડા ચોકવનારા… વાંચો અહીંયા સર્વે પોલ…

 100 દર્દીઓને દાખલ કરાયા હતા,

આ હોસ્પિટલમાં 100 જેટલા દર્દીઓ દાખલ હતા. બીજા માળે દાખલ બે દર્દીઓની હાલત નાજુક હતી. તેને આઈસીયુ (ICU) માંથી બહાર કાઢવો શક્ય નહોતું. બાકીના દર્દીઓને આણંદ, ઓસવાલ અને BAPS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલની આસપાસના રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ઝોન 4 ડીસીપી, ટ્રાફિક ડીસીપી, એસીપી, પાંચ પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Woman gives birth to 5 children at RIMS Ranchi
રાજ્ય

ચમત્કાર.. આ રાજ્યમાં એક મહિલાએ એક સાથે 5 બાળકને આપ્યો જન્મ, ડોકટરો પણ આશ્ચર્યચકિત થયાં

by kalpana Verat May 26, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

દુનિયામાં દરરોજ કંઈક ને કંઈક અજીબોગરીબ કિસ્સા બનતા રહે છે. ઝારખંડના રાંચીમાં પણ આવી જ અજાયબી બની છે. અહીં એક મહિલાએ 5 બાળકોને જન્મ આપ્યો છે. તબીબો પાસેથી મળેલી માહિતી મુજબ મહિલા અને બાળક બંને સ્વસ્થ છે. દરેકની કાળજી લેવામાં આવી રહી છે. આ બાળકો સમય પહેલા જન્મ્યા હોવાથી તેમના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.  

આ રાજ્યોમાં જોવા મળી ચુક્યા છે આવા કિસ્સા 

ઝારખંડની રાજધાની રાંચીમાં રિમ્સની સરકારી હોસ્પિટલમાંથી આ દુર્લભ ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. ખરેખરમાં, ચતરાના ઇતખોરીની રહેવાસી મહિલાએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો છે. રિમ્સના ડૉક્ટરોએ સોમવારે રાત્રે મહિલાનું સફળ ઓપરેશન કર્યું. ઓપરેશન બાદ બાળક અને માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. જો કે આ પ્રકારનો આ પહેલો મામલો નથી. આ પહેલા પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. અગાઉ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આવા કિસ્સા જોવા મળ્યા હતા. પરંતુ ઘણીવાર આવા કિસ્સાઓમાં બાળકને બચાવી શકાતું નથી. પરંતુ રિમ્સ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં પાંચેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે.

આ સમાચાર પણ વાંચો : Bank Locker Rules: બેંક લોકરના નિયમો થયા ફેરફાર, આ 5 બાબતો તમારે ધ્યાનમાં રાખવી છે જરૂરી..

બાળકો ICUમાં

મહિલાનું સફળ ઓપરેશન કરનાર ડોક્ટર શશિ બાલાએ જણાવ્યું કે અમે પહેલા તેનું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું, ત્યારે ખબર પડી કે 5 બાળકો છે. 5 બાળકોની કલ્પના કરવી એ ખૂબ જ જોખમી બાબત છે. પરંતુ મહિલાએ કહ્યું કે તે આ જોખમ લેવા તૈયાર છે. તે અમારા માટે પણ એક પડકાર હતો. પરંતુ ઓપરેશન સફળ રહ્યું હતું અને બાળક અને માતા બંને સ્વસ્થ છે. બાળકનું વજન હજી થોડું ઓછું છે. જેના કારણે અમે તેમને ICUમાં રાખ્યા છે, પરંતુ ગભરાવાની કોઈ વાત નથી.

May 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Centre revises ICU charges, room rent, OPD fees at CGHS hospitals
દેશ

મોંઘવારીનો વધુ એક ડામ, હવે આ સરકારી હોસ્પિટલમાં સારવાર થઇ મોંઘી, સરકારે OPD, ICU અને રૂમના ભાડામાં કર્યો વધારો, અહીં જાણો નવા રેટ

by kalpana Verat April 17, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

કેન્દ્રની મોદી સરકારે સ્વાસ્થ્ય યોજનાઓ હેઠળ ઘણા શુલ્ક બદલ્યા છે. લગભગ 42 લાખ લોકોને તેનાથી રાહત મળશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આરોગ્ય યોજના-કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના (CGHS) હેઠળ કન્સલ્ટેશન ફી અને રૂમ ભાડાની મર્યાદામાં વધારો કર્યો છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ખાનગી હોસ્પિટલોમાં યોજનાઓ હેઠળ રાહત આપે છે.

કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓ હેઠળ, તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને પસંદગીના લાભાર્થી જૂથો તેમજ તેમના આશ્રિતોને પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડવાનું કામ કરે છે. મીડિયાના અહેવાલ મુજબ, આ યોજનાઓ હેઠળ, 42 લાખ નોંધાયેલા લોકો ડિસ્કાઉન્ટ સાથે ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે. ચાલો જાણીએ કે આ યોજનાઓ હેઠળ કઈ ચાર્જ મર્યાદા વધારવામાં આવી છે અને સરકાર પર કેટલો બોજ પડશે.

CGHS હેઠળ કઈ સેવાઓના ભાવમાં કેટલો વધારો થયો છે

ઓપીડી કન્સલ્ટેશન ફી 150 થી વધારીને 350 કરવામાં આવી છે

IPD કન્સલ્ટેશન ફી 50 રૂપિયાથી વધારીને 350 રૂપિયા કરવામાં આવી છે

ICU સેવાઓ હવે આવાસ સહિત પ્રતિ દિવસ રૂ. 5,400 નક્કી કરવામાં આવી છે

રૂમના ભાડામાં 1.5 ગણો વધારો કરવામાં આવ્યો છે. જનરલ રૂમ માટે રૂ. 1,500, વોર્ડ માટે રૂ. 3,000 અને ખાનગી રૂમ માટે રૂ. 4,500.

આ સમાચાર પણ વાંચો : ભારે વિનાશ બાદ ફરી ધ્રુજી તુર્કીની ધરતી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, આટલી હતી તીવ્રતા

2014 પછી પ્રથમ વખત વધારો

2014 પછી તેની કિંમતમાં વર્ષ 2014માં સુધારો કરવામાં આવ્યો હતો. આ પછી હવે પહેલીવાર આ પ્રકારના ચાર્જમાં વધારો થયો છે. તેના માટે 240-300 કરોડ રૂપિયાના વધારાના સરકારી ખર્ચની જરૂર પડશે.  અહેવાલ મુજબ, એક અધિકારીએ કહ્યું કે સરકારે મોટી હોસ્પિટલો માટે રેફરલ પ્રક્રિયાઓને પણ સરળ બનાવી છે.

મોટી હોસ્પિટલો CGHS સાથે જોડાયેલ છે

હાલમાં, કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓ હેઠળ 1,670 થી વધુ ખાનગી હોસ્પિટલો અને 213 લેબ સૂચિબદ્ધ છે. તેમાં મેદાંતા, ફોર્ટિસ, નારાયણ, એપોલો, મેક્સ અને મણિપાલ જેવી ઘણી મોટી હોસ્પિટલો છે. સરકારના આ પગલા પર બોલતા, CGHS વર્કિંગ ગ્રૂપના સંયોજક ડૉ. ગિરધર જ્ઞાનીએ જણાવ્યું હતું કે અમે 25 થી 30 ટકાના વધારાની અપેક્ષા રાખતા હતા, કારણ કે 2014 માં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે આ નજીવો વધારો છે.

79 શહેરોમાં CGHS

વર્ષ 2021 દરમિયાન, આરોગ્ય મંત્રાલયે આરોગ્ય સેવાઓને સુવ્યવસ્થિત કરવા માટે નેશનલ હેલ્થ ઓથોરિટીના IT પ્લેટફોર્મ હેઠળ CGHS ની નોંધણી કરી હતી. CGHS 79 શહેરોમાં ફેલાયેલું છે અને તે પંચકુલા, હુબલી, નરેલા, ચંદીગઢ અને જમ્મુ સુધી વિસ્તરી રહ્યું છે. 103 થી વધુ આયુષ કેન્દ્રો પણ CGHS સેવાનો ભાગ છે.

April 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક