• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ladakh
Tag:

ladakh

Akshay Khanna Used to Keep a Small Cylinder With Him All the Time in dhurandhar shooting
મનોરંજન

Akshay Khanna: અક્ષય ખન્નાના શૂટિંગનો સંઘર્ષ: નાના સિલિન્ડરની મદદથી પૂરા કર્યા શૉટ્સ, દરેક કટ પછી લગાવતા હતા ઑક્સિજન માસ્ક, શું છે કારણ?

by Zalak Parikh December 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Akshay Khanna: ફિલ્મ ‘ધુરંધર’માં અક્ષય ખન્નાનું ‘રહેમાન ડકૈત’નું પાત્ર દર્શકોને એટલું પસંદ આવ્યું છે કે સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. જોકે, શું તમે જાણો છો કે ફિલ્મમાં ‘FA9LA’ નામના ગીત ની એન્ટ્રી સીન શૂટ કરતી વખતે અક્ષય ખન્ના આખો સમય પોતાની સાથે નાનો ઑક્સિજન સિલિન્ડર રાખતા હતા?

આ સમાચાર પણ વાંચો : Dharmendra Birth Anniversary: ધર્મેન્દ્રની જન્મ જયંતિ પર મોટો ફેરફાર! ખંડાલાના ફાર્મહાઉસ પર નહીં થાય ઉજવણી, પરિવારે કેમ લીધો આ નિર્ણય?

ઑક્સિજન લેવલ ઘટી જવાથી મુશ્કેલી

ફિલ્મનું શૂટિંગ લદ્દાખમાં ચાલી રહ્યું હતું, જ્યાં ઑક્સિજનનું સ્તર ઓછું હોય છે. કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ BTS (પડદા પાછળના) પળો વિશે માહિતી આપતા જણાવ્યું કે શૂટિંગ દરમિયાન અક્ષયનું ઑક્સિજન લેવલ ઘટી ગયું હતું. આ પડકારને કારણે, તેમને દરેક શૉટ પછી ઑક્સિજન માસ્ક લગાવવો પડતો હતો.પડકારો હોવા છતાં, અક્ષય ખન્નાએ સહેજ પણ ખચકાટ વિના પોતાનો ડાન્સ સિક્વન્સ પૂર્ણ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Jio Studios (@officialjiostudios)


આ ગીત અક્ષય ખન્નાના પાત્ર ‘રહેમાન ડકૈત’ને ‘શેર-એ-બલૂચ’નો તાજ પહેરાવવાના જશ્ન વિશેનું હતું. કોરિયોગ્રાફરે જણાવ્યું કે શરૂઆતમાં અક્ષયે માત્ર સ્ટેજ પર આવીને સિંહાસન પર બેસવાનું હતું. પરંતુ અક્ષયે વાતાવરણ જોઈને જાતે જ ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.લદ્દાખમાં ઓછા ઑક્સિજનના પડકારને કારણે, ટીમે માત્ર ૨ કલાકમાં આખું ગીત શૂટ કરી લીધું. વિજયે આ ઝડપી કામગીરીનો શ્રેય અક્ષય ખન્નાના સમર્પણ અને પ્રોફેશનલિઝમને આપ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sonam Wangchuk’s Wife Gitanjali Approaches Supreme Court for His Release, Demands Release
દેશ

Sonam Wangchuk: સોનમ વાંગચુકને જેલમાં મળી પત્ની ગીતાંજલિ, જણાવી આગળ ની યોજના

by Dr. Mayur Parikh October 8, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 
Sonam Wangchuk લદ્દાખના ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને તેમની પત્નીએ જોધપુર જેલમાં જઈને મુલાકાત લીધી છે. વાંગચુકને જેલમાં રાખ્યા પછી તેમની આ પહેલી મુલાકાત છે. તેની જાણકારી ખુદ ગીતાંજલિએ ટ્વિટર પર આપી છે. ગીતાંજલિએ લખ્યું, ‘આજે સોનમ વાંગચુક સાથે મુલાકાત થઈ છે. અમને તેમને હિરાસતમાં લેવાનો આદેશની કોપી પણ મળી ગઈ છે, જેને અમે અદાલતમાં પડકારીશું.’

આગળનું કાયદાકીય પગલું

ગીતાંજલિએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે સોનમ વાંગચુકનો ઉત્સાહ નબળો પડ્યો નથી અને તે લદ્દાખના હિત માટે કામ કરતા રહેશે. તેમને હિરાસતમાં લેવાનો જે આદેશ મળ્યો છે તેને તેઓ કાયદેસર રીતે કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Anupama: અનુપમા માંથી આ પાત્ર એ લીધી વિદાય,અભિનેત્રી એ જણાવ્યું તેની પાછળ નું કારણ

ગીતાંજલિ નો સંદેશ

ગીતાંજલિ લખે છે, ‘સોનમ વાંગચુકના જઝ્બા’ના સલામ છે. તેમણે પોતાનું સમર્થન કરનારા લોકોને સલામ મોકલ્યો છે.’ વાંગચુકનો સંકલ્પ મજબૂત છે અને તેઓ લદ્દાખના હિતો માટે કામ કરવાનું ચાલુ રાખશે.

October 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sonam Wangchuk લેહ હિંસા બાદ વિવાદોમાં સોનમ વાંગચુક
Main Postદેશ

Sonam Wangchuk: લેહ હિંસા બાદ વિવાદોમાં સોનમ વાંગચુક, આ બાબત ને લઈને આવ્યા CBIના રડાર પર.

by Dr. Mayur Parikh September 25, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Sonam Wangchuk લદાખના પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક અને તેમની સંસ્થા હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ અલ્ટરનેટિવ્સ લદાખ (HIAL) પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ના ઉલ્લંઘનની ફરિયાદ પર HIAL ની તપાસ શરૂ કરી છે. CBIએ આ મામલે FIR નોંધાવી નથી, પરંતુ માત્ર તપાસ શરૂ કરી છે.

જમીનની ફાળવણી રદ

ઓગસ્ટમાં લદાખ પ્રશાસને HIAL ને ફાળવવામાં આવેલી જમીન રદ કરી દીધી હતી. જમીન રદ કરતી વખતે લદાખ પ્રશાસને દાવો કર્યો હતો કે જમીનનો ઉપયોગ તે હેતુ માટે થયો ન હતો જેના માટે તે ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત, જમીન માટે કોઈ ઔપચારિક લીઝ કરાર (lease agreement) પણ કરવામાં આવ્યો ન હતો.

વિદેશી ફંડિંગની તપાસ

CBI સોનમ વાંગચુક અને તેમની સંસ્થા સામે વિદેશથી મળેલા ફંડિંગની પણ તપાસ કરી રહી છે. આ તપાસ છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે. તેમના પર ગેરકાયદેસર રીતે વિદેશી ફંડિંગ લેવાનો આરોપ છે. વાંગચુકે ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે આદેશમાં જણાવવામાં આવ્યું છે કે અમે વિદેશી ફંડિંગ માટે FCRA હેઠળ મંજૂરી લીધી નથી.વાંગચુકે વધુમાં કહ્યું કે, “અમે વિદેશી ફંડિંગ પર નિર્ભર રહેવા માંગતા નથી, પરંતુ અમે અમારા જ્ઞાનની નિકાસ કરીએ છીએ અને તેનાથી આવક મેળવીએ છીએ.” તેમણે એક રિપોર્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આવા ત્રણ મામલામાં તેમને લાગ્યું કે આ વિદેશી ફંડિંગ છે.

આ સમાચાર પણ વાંચો : Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.

હિંસા ભડકાવવાનો આરોપ

ગૃહ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે સોનમ વાંગચુકે 10 સપ્ટેમ્બરના રોજ બંધારણની છઠ્ઠી અનુસૂચિ (Sixth Schedule) અને લદાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને ભૂખ હડતાળ શરૂ કરી હતી. કેન્દ્ર સરકારે આરોપ લગાવ્યો છે કે તેમણે અરેબિયન સ્પ્રિંગ અને નેપાળમાં તાજેતરમાં થયેલા Gen Z વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા.કેન્દ્ર સરકાર આ મુદ્દાઓ પર ટોચની સંસ્થા લેહ (ABL) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) સાથે સક્રિય રીતે વાતચીત કરી રહી છે. આ મામલે વાતચીત કરવા માટે અનૌપચારિક રીતે ઘણી બેઠકો પણ યોજવામાં આવી હતી

September 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
India china Conflict After Disengagement Along LAC, India-China To Work Towards De-Escalation
દેશ

India china Conflict : ગણતરીના કલાકમાં LAC પર શરૂ થશે ભારતીય અને ચીની સૈનિકોનું પેટ્રોલિંગ! ડેપસાંગ-ડેમચોકમાં ડિસેન્ગેજમેન્ટ અંતિમ તબક્કામાં છે

by kalpana Verat October 28, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

India china Conflict : પૂર્વી લદ્દાખમાંથી જલ્દી જ મોટા સારા સમાચાર આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં બે મોટા પોઈન્ટ, ડેપસાંગ અને ડેમચોકનો સમાવેશ થાય છે. આ અઠવાડિયે જ ભારતે કહ્યું હતું કે સરહદની સ્થિતિને લઈને ચીન સાથે સમજૂતી થઈ ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવતા મહિનાથી પેટ્રોલિંગ પણ શરૂ થઈ શકે છે. તાજેતરમાં જ બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં મુજબ ડેપસાંગ અને ડેમચોકમાંથી સૈનિકોની હટાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. અહેવાલ છે કે જ્યારે બંને પક્ષો પૂર્વી લદ્દાખમાં સીમ પરના સૈન્યના માળખાને પાછા ખેંચવાની પુષ્ટિ કરશે, ત્યારે છૂટા કરવાની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવશે.

India china Conflict :પેટ્રોલિંગ ઓક્ટોબરથી શરૂ થશે

અહેવાલો અનુસાર, બંને પક્ષો ઓક્ટોબરમાં જ LAC પર પેટ્રોલિંગ શરૂ કરી શકે છે. આ પછી, પેટ્રોલિંગને લઈને એપ્રિલ 2020ની સ્થિતિ ફરીથી સ્થાપિત કરવામાં આવશે. સશસ્ત્ર સૈનિકો પેટ્રોલિંગ કરશે. રવિવારે, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે સૈનિકો પાછી ખેંચવી એ પ્રથમ પગલું હશે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત 2020 પેટ્રોલિંગની સ્થિતિમાં પરત ફરશે.

આ સમાચાર પણ વાંચો:  Ration Card: રેશનકાર્ડ ધારકોને લગતા મોટા સમાચાર! સરકાર આ લોકોના રેશનકાર્ડ રદ કરવાની કરી રહી છે તૈયારી

India china Conflict : આગળનું પગલું તણાવ ઘટાડવાનું 

વિદેશ મંત્રીએ દેખીતી રીતે ચીનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આગળનું પગલું તણાવ ઘટાડવાનું છે, જે ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી ભારતને ખાતરી ન થાય કે બીજી બાજુ પણ આવું જ થઈ રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, ભારતે જાહેરાત કરી હતી કે તે પૂર્વી લદ્દાખમાં LAC પર પેટ્રોલિંગ કરવા પર ચીન સાથે કરાર પર પહોંચી ગયો છે. મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે ડેપસાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગ અને ડિસએન્જેજમેન્ટ પર સર્વસંમતિ સધાઈ છે. તેમણે કહ્યું, ‘તે સ્પષ્ટ છે કે તેને લાગુ કરવામાં સમય લાગશે. આ ડિસેન્જમેન્ટ અને પેટ્રોલિંગનો મુદ્દો છે, જેનો અર્થ છે કે અમારા દળો એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા અને હવે તેઓ તેમના ઠેકાણાઓ પર પાછા ગયા છે. અમને આશા છે કે 2020ની સ્થિતિ પુનઃસ્થાપિત થશે.

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rahul Gandhi US Visit China occupied land the size of Delhi in Ladakh, Rahul Gandhi makes big claim, attacks PM Modi
દેશ

Rahul Gandhi US Visit: લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીના રાહુલ ગાંધીના આરોપો પર કિરેન રિજિજુનો પલટવાર,કહ્યું- ‘કોઈએ એક ઇંચ પણ જમીન કબજે..’

by kalpana Verat September 11, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Rahul Gandhi US Visit: અમેરિકામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના શીખ સમુદાયને લઈને આપેલા નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ કોંગ્રેસને ઘેરી રહી છે, ત્યારે શીખ સમુદાયના લોકો પણ કોંગ્રેસ વિરુદ્ધ રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સિવાય રાહુલ ગાંધીએ ચીનને લઈને પણ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યા હતા. હવે આ અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ  પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમારી એક ઇંચ પણ જમીન પર કોઈનું અતિક્રમણ નથી.

Rahul Gandhi US Visit: લદ્દાખમાં ચીન દિલ્હી જેટલા મોટા વિસ્તાર પર કબજો કરી રહ્યું છે

વાસ્તવમાં અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે લદ્દાખમાં ચીન દિલ્હી જેટલા મોટા વિસ્તાર પર કબજો કરી રહ્યું છે.  અને મને લાગે છે કે તે એક આપત્તિ છે. મીડિયા તેના વિશે લખવાનું પસંદ નથી કરતું. જો અમેરિકા કેવી રીતે પ્રતિક્રિયા આપશે. તેના પાડોશીએ 4,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો છે તો, મને નથી લાગતું કે ચીનના સૈનિકો આપણા વિસ્તારમાં રહે તે માટે મને કોઈ કારણ દેખાતું નથી. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદી ચીન સાથે યોગ્ય રીતે વ્યવહાર કરી શક્યા નથી. અને ચીની સૈનિકો આપણી 4 હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવી રહ્યા છે. 

Rahul Gandhi US Visit:  અમારી એક ઇંચ જમીન પર પણ કોઈએ કબજો નથી કર્યો

રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે જ્યારથી વડાપ્રધાન મોદીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી અમારી એક ઇંચ જમીન પર પણ કોઈએ કબજો નથી કર્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશ જઈને ભારતને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ. 1962 પહેલા સરહદ નક્કી ન હતી, તેથી થોડી ગરબડ થઈ શકે છે પરંતુ હવે અમારી જમીન પર કોઈ અતિક્રમણ કરે તે શક્ય નથી. 

આ સમાચાર પણ વાંચો :  હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આ તારીખે થશે શુભારંભ

Rahul Gandhi US Visit:કિરેન રિજિજુએ લઘુમતીઓના મુદ્દે પણ વાત કરી હતી

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લઘુમતીઓ પર કરેલી ટિપ્પણી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ ભારતમાં સૌથી સુરક્ષિત છે. યુ.એસ.માં ગાંધીજીની ટીપ્પણી અંગેના પ્રશ્નના જવાબમાં કે આરએસએસ કેટલાક ધર્મો, ભાષાઓ અને સમુદાયોને અન્ય કરતા હલકી ગુણવત્તાવાળા માને છે, રિજિજુએ કહ્યું, જેટલી પણ કોશિશ કરવામાં આવે, ભારતને બદનામ ન કરી શકાય. કારણ કે ભારતનું બંધારણ અને સંસ્કૃતિ. લોકો વચ્ચે ભેદભાવ ન કરો.

તેમણે કહ્યું કે જે લોકો ભારત વિરોધી શક્તિઓની મદદથી ભારતને બદનામ કરવા માંગે છે તેઓ સફળ નહીં થાય. લઘુમતી બાબતોના પ્રધાન, જેઓ સંસદીય બાબતો પણ સંભાળે છે, જણાવ્યું હતું કે ભારતના પડોશમાં લઘુમતીઓ સાથે કંઇક ખોટું થાય તો તેઓ અહીં આવે છે. ભારતમાં લઘુમતીઓ સૌથી સુરક્ષિત છે.

 

 

September 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM pays homage on Kargil Vijay Diwas and attends tribute ceremony in Ladakh
દેશ

Kargil Vijay Diwas: પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

by Hiral Meria July 26, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Kargil Vijay Diwas: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ( PM Modi Kargil Vijay Diwas ) ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી. 

પ્રધાનમંત્રીએ આજે લદ્દાખમાં ( Ladakh ) શિંકુન લા ટનલ પ્રોજેક્ટના પ્રથમ નિર્માણ કાર્યને પણ વર્ચ્યુઅલી જોયો. શિંકુન લા ટનલ પ્રોજેક્ટમાં 4.1 કિલોમીટર લાંબી ટ્વીન-ટ્યુબ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું નિર્માણ નિમુ-પદુમ-દારચા રોડ પર આશરે 15,800 ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે, જેથી લેહને તમામ ઋતુમાં કનેક્ટિવિટી મળી શકે.

શ્રદ્ઘાંજલિ સમારંભને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લદ્દાખની ગૌરવશાળી ભૂમિ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠની સાક્ષી છે. પીએમ મોદીએ કહ્યું કે, “કારગિલ વિજય દિવસ આપણને યાદ અપાવે છે કે દેશ માટે કરવામાં આવેલું બલિદાન અમર છે.” મહિનાઓ, વર્ષો, દાયકાઓ અને સદીઓ વીતી ગયા હોવા છતાં, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની સરહદોની સુરક્ષા માટે બલિદાન થયેલા લોકોના જીવનને મિટાવી ન શકાય. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “દેશ હંમેશા આપણા સશસ્ત્ર દળોના ( Armed Forces ) પરાક્રમી મહાનાયકોના હંમેશા માટે ઋણી અને કૃતજ્ઞ રહેશે.”

On 25th Kargil Vijay Diwas, the nation honours the gallant efforts and sacrifices of our Armed Forces. We stand eternally grateful for their unwavering service.https://t.co/xwYtWB5rCV

— Narendra Modi (@narendramodi) July 26, 2024

કારગિલ યુદ્ધના ( Kargil War ) દિવસોને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ એ સમયે સૈનિકોની વચ્ચે હોવા માટે સૌભાગ્યશાળી હતા. તેમણે ઉમેર્યું હતું કે, તેમને આજે પણ યાદ છે કે કેવી રીતે આપણા સૈનિકોએ આટલી ઊંચાઈ પર મુશ્કેલ ઓપરેશન પાર પાડ્યું હતું. શ્રી મોદીએ કહ્યું હતું કે, “હું દેશનાં બહાદુર સપૂતોને સલામ કરું છું, જેમણે માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.”

પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “કારગિલમાં આપણે માત્ર યુદ્ધ જ જીત્યું નથી, પરંતુ ‘સત્ય, સંયમ અને શક્તિ’ નું અવિશ્વસનીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. પ્રધાનમંત્રીએ તે સમયે પાકિસ્તાનના કપટ પર પ્રકાશ પાડ્યો હતો જ્યારે ભારત શાંતિ જાળવવાના તમામ પ્રયાસો કરી રહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, “અસત્ય અને આતંકને સત્ય દ્વારા ઘૂંટણિયે પાડી દેવામાં આવ્યા હતા.”

પ્રધાનમંત્રીએ ( Narendra Modi Ladakh ) આતંકવાદની નિંદા કરતાં કહ્યું હતું કે, ભૂતકાળમાં પાકિસ્તાનને હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાને તેના ભૂતકાળમાંથી કશું જ શીખ્યું નથી અને પ્રસ્તુત રહેવા માટે આતંકવાદ અને પ્રોક્સી વોરની આડમાં યુદ્ધ કરવાનું ચાલુ રાખ્યું છે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આતંકવાદીઓનાં નાપાક ઇરાદાઓ ક્યારેય પૂર્ણ નહીં થાય. તેમણે વધુમાં કહ્યું કે, “આપણાં બહાદુર લોકો તમામ આતંકવાદી પ્રયાસોને કચડી નાખશે.”

આ સમાચાર પણ વાંચો:  Prabhat Jha: પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ શ્રી પ્રભાત ઝાના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “લદ્દાખ હોય કે જમ્મુ અને કાશ્મીર, ભારત વિકાસના માર્ગમાં આવતા તમામ પડકારોનો સામનો કરશે.” તેમણે યાદ અપાવ્યું હતું કે, હવેથી થોડા દિવસોમાં 5 ઓગસ્ટનાં રોજ કલમ 370 નાબૂદ થવાનાં પાંચ વર્ષ પૂર્ણ થશે અને આજનું જમ્મુ-કાશ્મીર સ્વપ્નોથી ભરેલા નવા ભવિષ્યની વાત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પ્રગતિનાં ઉદાહરણો ટાંક્યાં હતાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં જી-20 બેઠકોનું આયોજન, માળખાગત વિકાસ અને પ્રવાસન પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવું, સિનેમા હોલ ખોલવા અને સાડા ત્રણ દાયકા પછી શરૂ થયેલી તાજિયા જુલૂસનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પૃથ્વી પરનું આ સ્વર્ગ ઝડપથી શાંતિ અને સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યું છે.”

લદાખમાં થઈ રહેલા વિકાસ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિંકુન લા ટનલ ( Shinkun La Tunnel ) મારફતે કેન્દ્રશાસિત પ્રદેશ આખું વર્ષ, દરેક સિઝનમાં સંપૂર્ણ દેશ સાથે જોડાયેલો રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ ટનલ લદ્દાખનાં વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવી સંભાવનાઓનાં દ્વાર ખોલશે.” પ્રધાનમંત્રીએ લદ્દાખનાં લોકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે, આ ટનલ તેમનાં જીવનને વધારે સરળ બનાવશે, કારણ કે આ વિસ્તારમાં વિષમ હવામાનને કારણે તેમને પડતી અસંખ્ય મુશ્કેલીઓ હળવી થશે.

પ્રધાનમંત્રીએ લદ્દાખના લોકો પ્રત્યે સરકારની પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને કોવિડ-19 રોગચાળા દરમિયાન ઇરાનમાંથી કારગિલ વિસ્તારમાંથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે વ્યક્તિગત પ્રયાસો હાથ ધરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જેસલમેરમાં સ્થાપિત કરવામાં આવેલા ક્વોરેન્ટાઇન ઝોનને યાદ કર્યો, જ્યાં લદ્દાખ મોકલતા પહેલા તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લદ્દાખનાં લોકોને જીવનની સરળતાને પ્રોત્સાહન આપવાનાં અને વધારે સેવાઓ પ્રદાન કરવા માટે સરકારનાં પ્રયાસો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લાં પાંચ વર્ષમાં બજેટમાં અંદાજે છ ગણો વધારો થયો છે, જે 1100 કરોડ રૂપિયાથી વધીને 6,000 કરોડ રૂપિયાથી થયો છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રથમ વખત સર્વગ્રાહી આયોજનના અમલીકરણ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, “રસ્તાઓ હોય, વીજળી, પાણી, શિક્ષણ, વીજળી પુરવઠો, રોજગાર હોય, લદ્દાખની દરેક દિશા બદલાઈ રહી છે.” તેમણે જલ જીવન મિશન હેઠળ લદ્દાખનાં ઘરોમાં 90 ટકાથી વધારે પ્રમાણમાં પીવાનાં પાણીને આવરી લેવાનાં ઉદાહરણો ટાંક્યાં હતાં, જે લદાખનાં યુવાનો માટે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ માટે આગામી સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી છે, સંપૂર્ણ લદ્દાખ વિસ્તારમાં 4જી નેટવર્ક સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે તથા એનએચ 1 પર તમામ ઋતુનાં જોડાણ માટે 13 કિલોમીટર લાંબી જોજિલા ટનલ માટે ચાલી રહેલી કામગીરીનું ઉદાહરણ આપ્યું હતું.

कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिये गए बलिदान अमर होते हैं: PM @narendramodi pic.twitter.com/hInf5Fa7t2

— PMO India (@PMOIndia) July 26, 2024

સરહદી વિસ્તારો માટે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરહદી માર્ગ સંગઠન (બીઆરઓ)એ સેલા ટનલ સહિત 330થી વધારે પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે, જે નવા ભારતની ક્ષમતાઓ અને દિશા દર્શાવે છે.

સૈન્ય ટેકનોલોજીને અપગ્રેડ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બદલાતાં વૈશ્વિક વાતાવરણમાં આપણાં સંરક્ષણ દળને આધુનિક કાર્યશૈલી અને વ્યવસ્થાની સાથે અત્યાધુનિક શસ્ત્રો અને ઉપકરણોની પણ જરૂર છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રને ભૂતકાળમાં પણ અપગ્રેડ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી, પણ કમનસીબે આ મુદ્દાને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું નહોતું. તેમણે ઉમેર્યું હતું કે, “જો કે, છેલ્લાં 10 વર્ષમાં સંરક્ષણમાં સુધારાને પ્રાથમિકતા આપવામાં આવી છે, જે આપણાં દળોને વધારે સક્ષમ અને આત્મનિર્ભર બનાવે છે.” શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતીય સંરક્ષણ ઉદ્યોગને સંરક્ષણ ખરીદીમાં મોટો હિસ્સો આપવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સંરક્ષણ અને સંશોધન વિકાસ બજેટમાં 25 ટકા હિસ્સો ખાનગી ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યો છે. “આ પ્રયત્નોના પરિણામે, ભારતનું સંરક્ષણ ઉત્પાદન 1.5 લાખ કરોડને પાર કરી ગયું છે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારત શસ્ત્રોના નિકાસકાર તરીકે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે, જે શસ્ત્રોની આયાત કરતા દેશની ભૂતકાળની છબીથી વિપરીત છે. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે, અમારી સેનાએ હવે 5000થી વધારે શસ્ત્રો અને સૈન્યનાં સાધનોની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો:  Paris Olympics 2024: પેરિસમાં ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પહેલા હંગામો, આગચંપી અને તોડફોડ, રેલ નેટવર્ક ખરાબ રીતે પ્રભાવિત.

સંરક્ષણ ક્ષેત્રમાં સુધારા માટે સંરક્ષણ દળોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ અગ્નિપથ યોજનાને મહત્ત્વપૂર્ણ સુધારામાંથી એક ગણાવી હતી. ભારતીય સેનાની સરેરાશ આયુ વૈશ્વિક આયુથી વધુ હોવાની લાંબા સમયથી જોવા મળતી ચિંતાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ ગંભીર ચિંતાને પહોંચી વળવા માટે કોઈ ઇચ્છાશક્તિ નહોતી, જેને અત્યારે અગ્નિપથ યોજના મારફતે સંબોધિત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અગ્નિપથનો હેતુ દળોને યુવાન રાખવાનો અને સતત યુદ્ધ માટે તૈયાર રહેવાનો છે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક આ સંવેદનશીલ વિષયના નિર્લજ્જ રાજકીયકરણ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે વાયુસેનાના કાફલાના આધુનિકીકરણ માટે ભૂતકાળના કૌભાંડો અને અનિચ્છાની નિંદા કરી. તેમણે કહ્યું, સત્ય એ છે કે અગ્નિપથ યોજનાથી દેશની તાકાત વધશે અને દેશને સક્ષમ યુવાનો પણ મળશે. અગ્નિવીરોને ખાનગી ક્ષેત્ર અને અર્ધલશ્કરી દળોમાં પણ પ્રાધાન્ય આપવાની જાહેરાતો કરવામાં આવી છે.”

અગ્નિપથ યોજના પાછળનું મુખ્ય કારણ પેન્શનના બોજને ઘટાડવાના ઇરાદા અંગેના પ્રચારને નકારી કાઢતાં પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, આજે ભરતી કરવામાં આવતા સૈનિકોના પેન્શનનું ભારણ 30 વર્ષ પછી આવશે, તેથી આ યોજના પાછળનું કારણ આ ન હોઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે સશસ્ત્ર દળો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું સન્માન કર્યું છે કારણ કે અમારા માટે રાજકારણ કરતાં દેશની સુરક્ષા વધુ મહત્વપૂર્ણ છે.”

कारगिल में हमने केवल युद्ध नहीं जीता था, हमने ‘सत्य, संयम और सामर्थ्य’ का अद्भुत परिचय दिया था: PM @narendramodi pic.twitter.com/vcC6mVIyyz

— PMO India (@PMOIndia) July 26, 2024

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે દેશનાં યુવાનોને ગેરમાર્ગે દોરનારાઓને ભૂતકાળમાં સશસ્ત્ર દળો પ્રત્યે કોઈ દરકાર નહોતી. વન રેન્ક વન પેન્શન પર ભૂતકાળની સરકારોએ આપેલા ખોટાં વચનોને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે જ આ યોજનાનો અમલ કર્યો છે, જેમાં ભૂતપૂર્વ સૈનિકોને 1.25 લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ આપવામાં આવી છે. તેમણે વધુમાં ભૂતકાળની સરકારોની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, “આ તે જ લોકો છે જેમણે આઝાદીના 7 દાયકા પછી પણ શહીદો માટે યુદ્ધ સ્મારક બનાવ્યું ન હતું, સરહદ પર તૈનાત આપણા સૈનિકોને પૂરતા પ્રમાણમાં બુલેટપ્રૂફ જેકેટ પૂરા પાડ્યા ન હતા અને કારગિલ વિજય દિવસની અવગણના કરતા રહ્યા હતા.”

સંબોધનનું સમાપન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કારગિલની જીત કોઈ સરકાર કે કોઈ પણ પક્ષની જીત નહોતી. આ જીત દેશની છે, આ જીત દેશની ધરોહર છે. આ દેશના ગૌરવ અને સ્વાભિમાનનો તહેવાર છે.” તેમણે સમગ્ર દેશ વતી વીર જવાનોને નમન કર્યા હતા અને કારગિલ વિજયના 25 વર્ષ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે લદ્દાખનાં લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર (ડૉ. ) બી. ડી. શર્મા, કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સશસ્ત્ર દળોનાં સેનાનાં પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં.

बीते 10 वर्षों में हमने defence reforms को रक्षा क्षेत्र की पहली प्राथमिकता बनाया है: PM @narendramodi pic.twitter.com/H0vP4ayAW7

— PMO India (@PMOIndia) July 26, 2024

આ સમાચાર પણ વાંચો:  Umashankar Joshi: મુલુંડમાં કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજેલા સ્મૃતિવંદના કાર્યક્રમને મળ્યો જોરદાર પ્રતિસાદ

પાશ્વ ભાગ

શિંકુન લા ટનલ પ્રોજેક્ટમાં 4.1 કિલોમીટર લાંબી ટ્વીન-ટ્યુબ ટનલ સામેલ છે, જેનું નિર્માણ લેહને તમામ ઋતુમાં કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે નિમુ-પદુમ-દારચા રોડ પર આશરે 15,800 ફૂટની ઊંચાઈ પર કરવામાં આવશે. એકવાર પૂર્ણ થયા પછી, તે વિશ્વની સૌથી ઉંચી ટનલ હશે. શિંકુન લા ટનલ આપણા સશસ્ત્ર દળો અને ઉપકરણોની ઝડપી અને કાર્યદક્ષ હિલચાલને સુનિશ્ચિત કરવાની સાથે સાથે લદ્દાખમાં આર્થિક અને સામાજિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

July 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ladakh achieved full functional literacy under ULLAS-Nav Bharat Saaksharta Karyakram
દેશ

Ladakh : લદ્દાખે ULLAS – ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ હેઠળ સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા પ્રાપ્ત કરી

by Hiral Meria June 26, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ladakh : લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર ડો. બી. ડી. મિશ્રાએ ( Dr. B. d. Mishra ) 24 જૂન, 2024ના રોજ 97 ટકાથી વધુ સાક્ષરતા પ્રાપ્ત કર્યા પછી, ULLAS – નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ સંપૂર્ણ કાર્યકારી સાક્ષરતા પ્રાપ્ત કરવા માટે લદ્દાખને વહીવટી એકમ તરીકે જાહેર કર્યું હતું. આ સિમાચિહ્ન પાયાગત સાક્ષરતા અને આંકડાકીય માહિતી તથા તમામ માટે ક્રિટિકલ લાઇફ સ્કિલ્સ મારફતે તેના નાગરિકોને સશક્ત બનાવવા લદ્દાખની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ડો.મિશ્રાએ લેહના સિંધુ સંસ્કૃતિક કેન્દ્ર (એસએસકે)માં એક ઉજવણીમાં આ માહિતી આપી હતી. 

આ જાહેરનામું ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ શ્રી સંજય કુમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શ્રીમતી અર્ચના શર્મા અવસ્થી, સંયુક્ત સચિવ; ડો.મહોમ્મદ. જાફર અખૂન, ચેરમેન, એલએએચડીસી, કારગિલ; શ્રી સંજીવ ખિરવાર, અગ્ર સચિવ, શાળા શિક્ષણ, લદ્દાખ; અને 500થી વધુ નવા સાક્ષરો અને સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.

આ સમારંભમાં નવ-સાક્ષરો અને સ્વયંસેવક શિક્ષકોનું સન્માન અને શાળા વિભાગના વાર્ષિક એચિવમેન્ટ રિપોર્ટ 2023ના લોકાર્પણનો સમાવેશ થાય છે. મહાનુભાવોએ ઉલ્લાસ મેળાની મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમને સંબોધન કરતી વખતે ડો.મિશ્રાએ નવા શીખનારાઓ અને સ્વયંસેવકોને તેમના સમગ્ર જીવન દરમિયાન શીખવાના માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે તેમના બાળકોને શાળાએ મોકલવાની જવાબદારી માતાપિતાની છે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર નોકરીઓ શોધવા જ નહીં, પણ નોકરીઓ ઉભી કરવા વિશે પણ વિચારવા માટે પ્રોત્સાહિત કર્યા. એનઇપી 2020 પ્રસ્તુત કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, આ નીતિ દેશનાં ભવિષ્યનાં વિકાસ માટે માર્ગ પ્રશસ્ત કરે છે.

આ સમાચાર પણ વાંચો : Gujarat: નવોન્મેષ સંશોધનમાં ગુજરાતની હરણફાળ, છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના સંશોધકોના નામે થઈ ૯૫૨ પેટન્ટ

શ્રોતાઓને સંબોધન કરતાં શ્રી સંજય કુમારે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ બદલ લદ્દાખની જનતાને અભિનંદન આપ્યાં હતાં અને ખાતરી આપી હતી કે, શિક્ષણ મંત્રાલય ( Education Ministry ) લદ્દાખની શાળાકીય શિક્ષણ વ્યવસ્થાને સુધારવા શક્ય તમામ સાથસહકાર આપશે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, શિક્ષણમાં વિશ્વને બદલવાની તાકાત છે. તેમણે જણાવ્યું હતું કે, ઉલ્લાસ નામ સૂચવે છે તેમ, તે નવા શીખનારાઓ માટે અપાર આનંદ લાવી શકે છે. તેમણે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે, સમગ્ર ઉલ્લાસ મોડલ સ્વૈચ્છિકતા પર આધારિત છે, જેમાં સ્વયંસેવકો પુરસ્કારની અપેક્ષા વિના ઉલ્લાસ મોબાઇલ એપ મારફતે નોંધણી કરાવે છે અને બિન-સાક્ષરોને માત્ર શીખવે છે, જે આ કાર્યક્રમની સાચી સુંદરતા છે. તેમણે દ્રઢતાની પ્રેરણાદાયી ગાથાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમ કે બરફીલા વાતાવરણમાં પરીક્ષા આપવી, લદ્દાખેની સાક્ષરતા પ્રત્યેની ધગશને રેખાંકિત કરવી. શ્રી સંજય કુમારે ઉમેર્યું હતું કે, આ સિદ્ધિ લદ્દાખેમાં હકારાત્મક પરિવર્તન અને અનંત તકો માટેનો તખ્તો તૈયાર કરે છે.

ઉલ્લાસ – નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ ( ULLAS-Nav Bharat Saaksharta Karyakram ) અથવા ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ ( NILP ) એ 2022-2027થી અમલમાં મૂકાયેલી કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. આ યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020ની ભલામણો સાથે સુસંગત છે અને તેનો ઉદ્દેશ 15 વર્ષ કે તેથી વધુ વયના પુખ્ત વયના લોકોને તમામ પૃષ્ઠભૂમિમાંથી સશક્ત બનાવવાનો છે, જેઓ યોગ્ય શિક્ષણ મેળવી શક્યા નથી અને તેમને સમાજ સાથે મુખ્ય પ્રવાહમાં લાવી શકે છે જેથી તેઓ દેશની વિકાસગાથામાં વધુ ફાળો આપી શકે. આ યોજનામાં પાંચ ઘટકોનો સમાવેશ થાય છે – ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી, ક્રિટિકલ લાઇફ સ્કિલ્સ, બેઝિક એજ્યુકેશન, વોકેશનલ સ્કિલ્સ અને સતત શિક્ષણ. ઉલ્લાસ યોજનાનું વિઝન ભારત – જન જન સાક્ષર બનાવવાનું છે અને તે કર્તવ્ય બોધની ભાવના પર આધારિત છે અને તેનો અમલ સ્વયંસેવકતાના આધારે થઈ રહ્યો છે. આ યોજનાથી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 77 લાખથી વધારે લોકોને લાભ થયો છે. ઉલ્લાસ મોબાઇલ એપ્લિકેશનમાં 1.29 કરોડથી વધુ શીખનારાઓ અને 35 લાખ સ્વયંસેવક શિક્ષકો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Frozen Lake Marathon Pangong frozen lake marathon, 120 participants from across the world
ખેલ વિશ્વ

Frozen Lake Marathon: લદ્દાખમાં થયું ‘પેંગોંગ ફ્રોઝન લેક મેરેથોન’નું આયોજન, 7 દેશોના આટલા દોડવીરોએ લીધો ભાગ

by kalpana Verat February 21, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai    

Frozen Lake Marathon: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ( Ladakh ) વિશ્વનો સૌથી ઊંચો સ્થિર પર્વત પેંગોંગ તળાવ ( pangong lake) પર મેરેથોનની બીજી આવૃત્તિ મંગળવારે યોજાઈ હતી. લદ્દાખના એડવેન્ચર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા લદ્દાખ પ્રશાસન અને ભારતીય સેનાના (  Indian Army ) 14 કોર્પ્સના સહયોગથી આ સાહસિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનમાં ભારત સહિત સાત દેશોના 120 દોડવીરોએ બે કેટેગરીમાં ભાગ લીધો હતો. 1. 21 કિમી અને 2. 10 કિમી. રમતગમત સચિવ લદ્દાખ રવિન્દર કુમાર આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. તેમની સાથે ચુશુલ મતવિસ્તારના કાઉન્સિલર કોનચોક સ્ટેનઝીન પણ હતા.

આ છે દોડ પાછળનો મુખ્ય ઉદ્દેશ

આ દોડ પાછળનો મુખ્ય ઉદ્દેશ હિમાલયના ( Himalayas ) ગ્લેશિયરો ઝડપથી પીગળવા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ મેરેથોનને થિએસ્ટ્રોન ( Theastron ) નામ આપવામાં આવ્યું હતું, જેનો અર્થ છે કે ગ્લોબલ વોર્મિંગની ( global warming ) અસરોને કારણે થીજી ગયેલા પેંગોંગ લેક પર આ છેલ્લી રેસ હોઈ શકે છે. ઉપરાંત, આના દ્વારા ચાંગથાંગ જેવા સ્થળોએ શિયાળુ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું છે.

આ સમાચાર પણ વાંચો :  Space Research: વૈજ્ઞાનિકોની અજાયબી શોધ.. દરરોજ એક સૂરજને ખાઈ રહ્યો છે અંતરીક્ષનો ‘આ’ કાળો રાક્ષસ, 300 કરોડ સૂર્ય સમાય તેટલી છે તાકાત..

તાપમાન ઘટીને -15 થઈ ગયું

પેંગોંગની આજુબાજુના ગામોના લોકો જેમાં માન, મરાક, સ્પૅન્ગમિક અને ફોબ્રાંગનો સમાવેશ થાય છે તેઓએ દોડવીરોને ( Runners ) હોસ્ટ કરવા સાથે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તેઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરી હતી. આ રેસ 14,273 ફૂટની ઊંચાઈએ ભારે હિમવર્ષા ( Snow Fall ) વચ્ચે યોજાઈ હતી અને તાપમાન ઘટીને -15 થઈ ગયું હતું, જે સત્તાવાર રીતે અમને વિશ્વની સૌથી અઘરી મેરેથોનમાંની ( Marathon ) એક જાહેર કરવાનો વિશ્વાસ આપે છે, આયોજકોએ ( Organizers ) દાવો કર્યો હતો.

February 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ladakh Statehood Demands Ladakh shuts down as thousands march for statehood and constitutional safeguards
દેશ

Ladakh Statehood Demands: હાડ થીજવતી ઠંડી વચ્ચે લદાખમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા.. ભારે વિરોધને કારણે સંપૂર્ણ લદ્દાખ બંધ.. જાણો શું છે આ મામલો.

by kalpana Verat February 5, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Ladakh Statehood Demands: શનિવારે લદ્દાખના લેહ જિલ્લામાં વિશાળ વિરોધ રેલી ( Protest rally ) ઓ જોવા મળી હતી કારણ કે સ્થાનિકોએ તેમની ચાર માંગણીઓ – લદ્દાખ ( Ladakh ) ને રાજ્યનો દરજ્જો આપવા, લદ્દાખને આદિવાસીનો દરજ્જો આપતા બંધારણની છઠ્ઠી સૂચિમાં લદ્દાખનો સમાવેશ, સ્થાનિકોને નોકરીમાં અનામત, લેહ અને કારગીલ માટે એક-એક સંસદીય બેઠક આપવા માટે સંપૂર્ણ બંધ પાળ્યો હતો. આ વિરોધ પ્રદર્શનનું આયોજન લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

#WATCH | Leh, Ladakh: Thousands brave the freezing cold as they march demanding statehood for Ladakh and protections under the 6th Schedule of the Constitution for the Union Territory. (03.02) pic.twitter.com/gwsiGZBxXc

— ANI (@ANI) February 4, 2024

એક અહેવાલ મુજબ, હજારો પુરુષો અને સ્ત્રીઓએ થીજવતી ઠંડીનો સામનો કરતા, લદ્દાખના મુખ્ય શહેર લેહમાં વિરોધ કરવા માટે એકઠા થયા હતા. તેઓએ લદ્દાખને રાજ્યનો દરજ્જો, બંધારણની છઠ્ઠી સૂચિનો અમલ, લેહ અને કારગિલ જિલ્લાઓ માટે અલગ સંસદીય બેઠકોની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.

કેન્દ્રએ એક ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરી ..

ઉલ્લેખનીય છે કે, લદ્દાખ બંધની સ્થિતિ એવા સમયે જોવા મળી છે. જ્યારે કેન્દ્ર સરકાર લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના પ્રતિનિધિઓ સાથે વાતચીતનો બીજો રાઉન્ડ યોજી ચૂકી છે. તાજેતરમાં જ કેન્દ્રએ બીજા રાઉન્ડની વાતચીતની પણ જાહેરાત કરી હતી. તેમ જ કેન્દ્રએ લદ્દાખના લોકોની માંગણીઓને સંબોધવા માટે રાજ્યમંત્રી (ગૃહ બાબતો)નિત્યાનંદ રાયનીઅધ્યક્ષતામાં પહેલેથી જ એક ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરી છે .

આ સમાચાર પણ વાંચો : Paytm Crisis: ફક્ત 1 જ પાન કાર્ડથી આટલા ખાતાઓ ખોલવામાં આવ્યા અને KYC વગર થઈ રહ્યા હતા બેનામી ટ્રાન્ઝેકશન.. જાણો અહીં Paytm કઈ રીતે RBIના રડાર પર આવ્યું…

લદ્દાખના લોકો કહે છે કે તેઓ ક્યારેય સમાપ્ત ન થનારા અમલદારશાહી શાસન હેઠળ જીવી શકતા નથી. લોકોએ કહ્યું કે તેમની માંગ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યા પછી જ પૂરી થશે, જ્યારે તેઓ રાજ્ય માટે પોતાના પ્રતિનિધિઓ પસંદ કરી શકશે. ડિસેમ્બરમાં, કેન્દ્રએ લદ્દાખમાં તેની પ્રથમ બેઠક યોજી હતી અને લેહ અને કારગીલના બંને સંગઠનોને તેમની માંગણીઓ રજૂ કરવા કહ્યું હતું.

નોંધનીય છે કે, કલમ 370 હટાવ્યા બાદ લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2019 માં, અગાઉના જમ્મુ ( Jammu ) અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. પરંતુ બે વર્ષ પણ પસાર થયા ન હતા અને લેહ અને કારગીલના લોકોએ વિરોધ શરૂ કરી દીધો હતો..તેમનું કહેવું છે કે તેઓ રાજકીય રીતે વંચિત અનુભવી રહ્યા છે. તેથી તેમણે છેલ્લા બે વર્ષમાં અનેક વિરોધ પ્રદર્શનો યોજ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Viksit Bharat Sankalp Yatra More than 10 crore people took part in the Viksit Bharat Sankalp Yatra
દેશ

Viksit Bharat Sankalp Yatra : વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 10 કરોડથી વધુ લોકો સામેલ થયા

by kalpana Verat January 6, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Viksit Bharat Sankalp Yatra : વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ આજે ​​એક મોટું સીમાચિહ્ન પાર કર્યુ. માત્ર 50 દિવસના ટૂંકા ગાળામાં 10 કરોડથી વધુ લોકોએ યાત્રામાં ભાગ લીધો છે. આ આશ્ચર્યજનક સંખ્યા વિકસિત ભારતના સહિયારા વિઝન સાથે દેશભરના લોકોને એક કરવા માટે યાત્રાની ઊંડી અસર અને અજોડ સંભવિતતા દર્શાવે છે.

યોગાનુયોગ, વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને દક્ષિણ આફ્રિકા જેવા કેટલાક મોટા દેશોની સમગ્ર વસ્તી કરતાં વધુ છે. યાત્રાને મળેલો વ્યાપક સમર્થન વિકસિત ભારતના નિર્માણ પ્રત્યે નાગરિકોના મજબૂત સમર્પણને દર્શાવે છે.

અરુણાચલ પ્રદેશના મુકુટ રત્ન અંજાવથી લઈને ગુજરાતના પશ્ચિમ કિનારે દેવભૂમિ દ્વારકા સુધી, લદ્દાખ ( Ladakh ) ના હિમાચ્છાદિત શિખરો પર ચડીને અને આંદામાનના પીરોજી કિનારાને શોભાવતી, વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ સમગ્ર દેશના દૂરના ખૂણે સમુદાયોને સ્પર્શ કર્યો છે. ગળે લગાવ્યું કલ્યાણકારી યોજનાઓ પાયાના સ્તર સુધી પહોંચે અને લોકોને સીધો લાભ મળે તેની ખાતરી કરીને આ યાત્રાએ સમગ્ર ભારત ( Inida ) ની વિશાળતામાં ઉત્સાહ અને આશાની એક ચિનગારી પેદા કરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002INGZ.png

આ સમાચાર પણ વાંચો  : Organ Donation : મૂળ નેપાળના અને સુરતમાં રહેતા 23 વર્ષીય બ્રેઈનડેડ યુવાનના દાનથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CIBO.png

વસ્તીના આંકડા, સ્ત્રોતો

15 નવેમ્બર, 2023 ના રોજ તેની શરૂઆત થઈ ત્યારથી, 7.5 કરોડથી વધુ વ્યક્તિઓએ “2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતાની પ્રતિજ્ઞા લીધી” – માત્ર થોડા અઠવાડિયામાં નાગરિકો વચ્ચેની મુસાફરી પર ઝડપી અસર જોવા મળી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005LQE8.png

યાત્રાની અસર ઊંડી અને જીવન બદલનાર છે. યાત્રા દરમિયાન 1.7 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ ( Ayushman Card ) જારી કરવામાં આવ્યા છે અને 2.2 કરોડથી વધુ નાગરિકોની આરોગ્ય શિબિરોમાં તપાસ કરવામાં આવી છે. 7.5 લાખથી વધુ લાભાર્થીઓએ પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ લીધો છે, નાણાકીય સ્વતંત્રતા તરફ પગલાં ભર્યા છે. યાત્રા દરમિયાન 33 લાખથી વધુ નવા પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી છે. 87000થી વધુ ડ્રોન ( Drone ) પ્રદર્શનો કરવામાં આવ્યા છે જે ખેડૂતોને તકનીકી સહાય પૂરી પાડે છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા માત્ર કૂચ કરતાં વધુ છે; આ એક શક્તિશાળી કોલ ટુ એક્શન છે જે સમગ્ર દેશમાં પડઘો પડી રહ્યો છે. પરિવર્તન લાવવા માટે આજે કરેલા પ્રયાસો સમૃદ્ધ ભવિષ્યના વચનને ધરાવે છે. આ ચળવળનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને સશક્ત કરવાનો છે અને ભારતને 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યની નજીક લાવવાનો બોલ્ડ ઠરાવ કરવાનો છે. આ એ વાત પર ભાર મૂકે છે કે વિકસિત ભારત તરફની યાત્રા એ વ્યક્તિગત પ્રયાસ નથી પરંતુ તમામ વર્ગના લોકોનો સમાવેશ કરતો સામૂહિક પ્રયાસ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

January 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક