• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mumbai central
Tag:

mumbai central

Western Railway To Add 3 Extra AC Chair Car Coaches To Mumbai Central–Gandhinagar Vande Bharat Express
ગાંધીનગરમુંબઈ

Western Railway : મુસાફરોની સુવિધા માં વધારો.. પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસમાં આટલા વધારાના કોચ જોડવામાં આવશે

by kalpana Verat May 10, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Western Railway : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ ની સુવિધા અને તેમની યાત્રા માંગ પુરી કરવા માટે 11 મે, 2025 થી ટ્રેન સંખ્યા 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ માં ત્રણ વધારાના એસી ચેયર કાર કોચ ને કાયમી રૂપે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતની મુખ્ય એક્સપ્રેસ ટ્રેનો માં એક રૂપમાં આ ટ્રેન આધુનિક સુવિધા ઓ સાથે તેજ, આરામદાયક અને કુશળ યાત્રા અનુભવ પ્રદાન કરેછે. મુંબઈ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આપણી હાઈ-સ્પી કનેક્ટિવિટી માટે 

આ સમાચાર પણ વાંચો : Western Railway : યાત્રીગણ કૃપા ધ્યાન દે… કચ્છ, રાજસ્થાન જતી અમદાવાદ મંડળની આ ટ્રેનો રદ્દ… જુઓ યાદી..

જાની જવાવાળી આ ટ્રેનની આત્રી ક્ષમતામાં વધારો થશે, જેનાથી વર્ષમાં સીધા 85,000 થી વધારે યાત્રીઓની વધારાની ક્ષમતા વધી જશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

May 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Vande Bharat Express Mumbai-Gandhinagar Vande Bharat Express to halt at Anand station
મુંબઈ

Vande Bharat Express : મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે આણંદ સ્ટેશન પર પણ ઊભી રહેશે..

by kalpana Verat March 21, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Vande Bharat Express : ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ના મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશનો પર સમય માં પરિવર્તન
મુસાફરોની સુવિધા માટે 23 માર્ચ, 2025 થી પ્રતિષ્ઠિત ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને આણંદ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. તે જણાવવું યોગ્ય છે કે આણંદ સ્ટેશન પર વધારાના સ્ટોપેજને કારણે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશનો પર ટ્રેન નંબર 20902 ના સમયમાં પરિવર્તન થશે .

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, 23 માર્ચ, 2025 થી, ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ આણંદ સ્ટેશન પર 10.38 કલાકે પહોંચશે અને 10.40 વાગ્યે રવાના થશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Tree Cutting : મુંબઈના પર્યાવરણની કોઈ ચિંતા નથી… ચાર મહિનામાં મનપાના કોન્ટ્રાક્ટરોએ 2,500 વૃક્ષોના મૂળ ઉખાડી નાખ્યા!

એ જ રીતે, ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ આણંદ સ્ટેશન પર 15.30 કલાકે પહોંચશે અને 15.32 કલાકે પ્રસ્થાન કરશે. વધારાના સ્ટોપેજને કારણે, અમદાવાદ સ્ટેશન પર ટ્રેનના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે અમદાવાદ સ્ટેશન પર 14.50/15.00 કલાક ને બદલે 14.45/14.55 કલાકે આગમન/પ્રસ્થાન કરશે. સાથે જ, આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર 20:25 ને બદલે 20:30 કલાકે પહોંચશે. અન્ય સ્ટેશનો પરના સમયમાં કોઈ ફેરફાર થશે નહીં.

વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

 

March 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Local Train Updates Western Railway jumbo block on Feb 9, 13-hour disruption between Grant Road and Mumbai Central
મુંબઈ

Mumbai Local Train Updates : મુંબઈ લોકલ યાત્રીઓને થશે હેરાનગતિ.. આજે આ રેલવે લાઈન પર રહેશે 13 કલાકનો જમ્બો બ્લોક.. મુસાફરી કરતા પહેલા વાંચો આ સમાચાર

by kalpana Verat February 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Local Train Updates : પશ્ચિમ રેલ્વેના ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે 08 અને 09 ફેબ્રુઆરી 2025 ના રોજ જમ્બો બ્લોક અંગેની માહિતી લોકલ ટ્રેનના મુસાફરો માટે જારી કરવામાં આવી છે. ગ્રાન્ટ રોડ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે શનિવાર અને રવિવાર એટલે કે 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાતે 22.00 થી સવારે 11.00 વાગ્યા સુધી એટલે કે 13 કલાકનો અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોના જાળવણી માટે જમ્બો બ્લોક કરવામાં આવશે.

Mumbai Local Train Updates : મુંબઈની ઘણી લોકલ ટ્રેનો રદ

પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, બ્લોક સમયગાળા દરમિયાન, અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પરની બધી ટ્રેનો ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે સ્લો લાઇન પર દોડાવવામાં આવશે. આ કારણે, બ્લોક દરમિયાન, કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ કરવામાં આવશે અને ચર્ચગેટથી આવતી કેટલીક ટ્રેનોને બાંદ્રા, દાદર સ્ટેશનો પર શોર્ટ ટર્મિનેટ અને રિવર્સ કરવામાં આવશે.

Mumbai Local Train Updates : બઈની લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત

જો મુસાફરો આ જમ્બો બ્લોક વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય, તો તેને લગતી વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર પાસે ઉપલબ્ધ છે અને તેઓ તેમનો સંપર્ક કરીને તેના વિશે માહિતી મેળવી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Local Train Update : નોકરિયાતોને આજે ફરી લાગશે લેટમાર્ક, આ કારણે પશ્ચિમ રેલવેના મુસાફરોને મુશ્કેલી; અંધેરી, બોરીવલી સ્ટેશનો પર ભારે ભીડ..

મહત્વનું છે લ ગત 4 ફેબ્રુઆરીની સવારે મુંબઈ નજીક સેન્ટ્રલ રેલ્વે મુખ્ય લાઇન પર સિગ્નલ સિસ્ટમમાં ખામી સર્જાતાં મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. મુંબઈની લાઈફલાઈન ગણાતી આ ટ્રેનો મોડી દોડી રહી હતી.

 

February 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai local Youth falls from local train; Video goes viral
મુંબઈ

Mumbai local : જીવના જોખમે મુસાફરી? મુંબઈ લોકલ ટ્રેનમાં લટકીને મુસાફરી કરી રહ્યો હતો યુવક, પછી થયું એવું કે… વિડીયો જોઈને કાંપી ઉઠશો..

by kalpana Verat July 27, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Mumbai local : મુંબઈ લોકલ ટ્રેન ( Mumbai local train ) ના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘણા મુસાફરો લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવે છે કે મુંબઈમાં લોકલ ટ્રેનોના કારણે દરરોજ 10 લોકોના મોત થાય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો ( Old video )  વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુસાફર ચાલતી ટ્રેનમાંથી પડી જાય છે. ટ્રેનમાંથી પેસેન્જર પડતા જ અન્ય મુસાફરો જોરથી બૂમો પાડવા લાગે છે.

Mumbai local : જુઓ વિડીયો 

આ વાયરલ વીડિયો મુંબઈ સેન્ટ્રલ ( Mumbai central ) નો હોવાનું કહેવાય છે. મુંબઈ લોકલ ટ્રેનની બાજુમાં એક એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. આ એક્સપ્રેસના મુસાફરો પોતાના મોબાઈલ ફોન ( Mobile phone ) થી લોકલ ટ્રેનમાં લટકતા મુસાફરોનો વીડિયો ઉતારી રહ્યા હતા. આ સમયે ચાર યુવકો લોકલ ટ્રેનમાં લટકીને મુસાફરી કરી રહ્યા હતા. તે જ સમયે એક યુવકનો હાથ લપસી જાય છે. ત્યારબાદ તે ટ્રેક પર પડી જાય છે.

 

To run family we need Job, To save Job , have to attend office in time, To attend office we have to catch Train, To catch daily late , Overcrowded trains we have to risk our life . Family is more important than LIFE and for @RailMinIndia Mails and Express are important Than Lives pic.twitter.com/tvlloMwoI9

— मुंबई Mumbai Rail Pravasi Sangha (@MumRail) July 25, 2024

લોકલ ટ્રેનમાંથી લટકતી વખતે એક યુવકનો હાથ વીજ પોલ સાથે અથડાયો. ત્યારે આ યુવક ચાલતી ટ્રેનમાંથી પડી જાય છે. ત્યારે વિડિયો લઈ રહેલા યાત્રીઓ જોરથી ચીસો પાડી રહ્યા છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં યુવાન મુસાફરનું શું થયું તે જાણી શકાયું નથી.

Mumbai local : લોકલ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે

દરમિયાન, મુંબઈ ( Mumbai news ) ની લોકલ ટ્રેનોમાં મુસાફરો ( Commuters ) ની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વેસ્ટર્ન રેલવે કે સેન્ટ્રલ રેલવે રૂટ પર દરરોજ ભીડ રહે છે. કર્જત-બદલાપુરથી થાણે અને મુંબઈ તરફ જતા મુસાફરો પોતાનો જીવ જોખમમાં મૂકે છે. રેલ્વે મુસાફરોને વારંવાર કહે છે કે લોકલ ટ્રેનમાં લટકીને અથવા દરવાજા પર ઉભા રહીને મુસાફરી ન કરો. જો કે લોકલની ભીડને કારણે અનેક મુસાફરોને દરવાજામાં ઉભા રહીને હાલાકી વેઠવી પડે છે. મુસાફરો એકબીજાને સલાહ આપે છે કે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, ઘરે કોઈ તેમની રાહ જોઈ રહ્યું છે, તેથી તેઓએ સાવચેતીપૂર્વક મુસાફરી કરવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Heavy rain : મુંબઈમાં ભારે વરસાદ, 10મા અને 12માના પૂરક પેપર મોકૂફ, હવે આ દિવસે લેવાશે પરીક્ષા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

July 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai local Train Updates Western railway Train jumbo Block , 4 hour block on 3rd may midnight know time and details
મુંબઈ

Western Railway Special Block : પશ્ચિમ રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર! આ બ્રિજના તોડકામ માટે શનિવારે મધ્યરાત્રિના રહેશે વિશેષ બ્લોક, કેટલીક લોકલ ટ્રેન થશે રદ્દ.

by Bipin Mewada May 10, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Western Railway Special Block : મુંબઈના પશ્ચિમ રેલવેએ ચર્ચગેટ વિસ્તારમાં વાનખેડે સ્ટેડિયમને જોડતો પગપાળા પુલ જૂનો હોવાથી તેને હવે તોડી પાડવાનો નિર્ણય લીધો છે. રેલ્વે પ્રશાસને પુલ તોડી પાડવા માટે શનિવારે મધરાતે 1.10 થી રવિવારે વહેલી સવારે 4.10 વાગ્યા સુધી વિશેષ ટ્રાફિક બ્લોકની ( traffic block ) જાહેરાત કરી છે. આ કારણે મોડી રાત્રે ચાલતી લોકલ ટ્રેનોમાં કેટલાક ફેરફાર થશે અને કેટલીક લોકલ ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવશે.

ચર્ચગેટની છેલ્લી ( Local Train ) લોકલઃ શનિવારે રાત્રે 11.30 વાગ્યે વિરારથી ઉપડતી ચર્ચગેટ ( Churchgate )  લોકલ રાત્રે 1.10 વાગ્યે ચર્ચગેટ પહોંચશે. ચર્ચગેટ માટે આ છેલ્લી લોકલ હશે. ત્યાર બાદ બ્લોક લેવાતા તોડકામની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Yodha OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ યોદ્ધા, જાણો ક્યા પ્લેટફોર્મ પર જોઈ શકશો સિદ્ધાર્થ મલ્હોત્રા ની ફિલ્મ

Western Railway : મુંબઈ સેન્ટ્રલ ( Mumbai Central ) સુધી ચલાવવામાં આવતી ( Mumbai Local Train ) લોકલ ટ્રેનોઃ

– શનિવારે મધ્યરાત્રિ બાદ 12.10 વાગ્યે બોરીવલી-ચર્ચગેટ
– શનિવારે મધ્યરાત્રિ બાદ 11.49 વાગ્યે વિરાર-ચર્ચગેટ
– શનિવારે મધ્યરાત્રિ બાદ 12.30 વાગ્યે બોરીવલી-ચર્ચગેટ
– શનિવારે મધ્યરાત્રિ બાદ 12.05 વાગ્યે વિરાર-ચર્ચગેટ

મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી લોકલ ટ્રેનો (ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ રદ્દ થનારી ટ્રેનો)
– રવિવારે સવારે 4.25 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ-વિરાર
– રવિવારે સવારે 4.18 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ-બોરીવલી

May 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway Two Vande Bharat trains to depart from both ends around same time
રાજ્ય

Western Railway : અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ની શરૂઆત; આ સ્ટેશને ઉભી રહેશે…

by kalpana Verat March 12, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવેની મુસાફરોની સુવિધા  અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદેશ્યથી અમદાવાદ ( Ahmedabad )  અને મુંબઈ સેન્ટ્રલ ( Mumbai central ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ( Vande Bharat Express )  ટ્રેન શરૂ કરવાનો અને અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા ( Okha ) સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 22962/22961 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નંબર 22962 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચ 2024 થી રવિવાર સિવાય દરરોજ અમદાવાદથી 06:10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, વળતરની દિશામાં ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચ, 2024 થી રવિવાર સિવાય દરરોજ મુંબઈ સેન્ટ્રલથી 15:55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21:25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં આજથી CAA લાગુ, પરંતુ ભારતીય નાગરિકતા મેળવવું સરળ નથી, આ રહેશે નિયમો અને કાયદાઓ.. જાણો વિગતે..

ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું ઓખા સુધી વિસ્તરણ

ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર 22925 અમદાવાદ – ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 માર્ચ, 2024 થી મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી 18:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:40 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે, વળતરની દિશામાં, ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 14 માર્ચ, 2024 થી બુધવાર સિવાય દરરોજ 03:40 કલાકે ઓખાથી ઉપડશે અને તે જ દિવસે 10:10 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

ટ્રેન નંબર 22961/22962 ની બુકિંગ અને વિસ્તૃત ટ્રેન નંબર 22925/22926 ની બુકિંગ 12 માર્ચ, 2024થી તમામ પીઆરએસ કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર થશે. સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈ ને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway Second Vande Bharat express between Ahmedabad and Mumbai Central will be rolled out on March 12
રાજ્ય

Western Railway : હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદી આ તારીખે બતાવશે લીલી ઝંડી..

by kalpana Verat March 11, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવે 13 માર્ચ, 2024 થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ ( Mumbai Central )  વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ( Vande Bharat express Train )  શરૂ કરવા માટે પુરી તૈયાર છે. હાલમાં, પશ્ચિમ રેલવે પર 05 વંદે ભારત ટ્રેનો જેમ કે ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ ( Ahmedabad )  ( સાબરમતી)-જોધપુર, અમદાવાદ-જામનગર, ઈન્દોર-ભોપાલ-નાગપુર અને ઉદયપુર-જયપુર (ચિત્તૌરગઢ ખાતે સ્ટોપ) દોડી રહી છે.

PM મોદી વંદે ભારત એક્સપ્રેસ લીલી ઝંડી બતાવશે

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન અને અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસનું ઓખા સુધી વિસ્તરણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) દ્વારા 12 માર્ચ, 2024ના રોજ સવારે 09:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવશે.

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત પરિચાલન 13 માર્ચ, 2024થી શરૂ થશે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 06 દિવસ ચાલશે. ટ્રેન નંબર 22962 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી 06:10 કલાકે ઉપડશે અને 11:35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 15:55 કલાકે ઉપડશે અને 21:25 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

આ સમાચાર પણ વાંચો : ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SBIની અરજી ફગાવી, આ તારીખ સુધીમાં વિગતો આપવાનો આદેશ.. જાણો વિગતે..

વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે

ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર 22925 અમદાવાદ – ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ અમદાવાદથી મંગળવાર સિવાય દરરોજ 18:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:40 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ઓખાથી બુધવાર સિવાય દરરોજ 03:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10:10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fire Breaks Out At Building In Agripada
મુંબઈ

Mumbai Fire : મુંબઈના આગ્રીપાડાની રહેણાંક ઇમારતમાં ફાટી નીકળી આગ, લોકોએ માંડ માંડ બચાવ્યો જીવ.. જુઓ વિડીયો

by kalpana Verat November 27, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai Fire : મુંબઈ (Mumbai) ના આગ્રીપાડા (Agripada) પોલીસ સ્ટેશન પાસે 21 માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળી છે. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ (Fire brigade) ની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં આગ્રીપાડા પોલીસ સ્ટેશન પાસે જહાંગીર બોમન બહેરામ માર્ગ પર સ્થિત બિલ્ડિંગમાં સવારે 8.07 વાગ્યે આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અલગ-અલગ માળ પરના મોટાભાગના લોકોને સીડી દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના શોર્ટ સર્કિટના કારણે બની શકે છે.  

જુઓ વિડીયો 

#Mumbai Fire : #મુંબઈના #આગ્રીપાડાની રહેણાંક #ઇમારતમાં ફાટી નીકળી #આગ, લોકોએ માંડ માંડ બચાવ્યો #જીવ..#MumbaiNews #Mumbaifire #agripada #residentialbuilding #BMC #firebrigade pic.twitter.com/g7TFCBpwci

— news continuous (@NewsContinuous) November 27, 2023

લાખોનો સામાન બળીને રાખ થઈ ગયો

સદનસીબે આ આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઈમારતમાં રહેતા લોકોનો લાખોનો સામાન બળીને રાખ થઈ ગયો છે જેના કારણે તેમને ઘણું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચોઃ  Dev Diwali 2023: આજે છે દેવ દિવાળી, 12 લાખ દીવડાઓથી ઝગમગી ઉઠશે કાશીનો આ ઘાટ, 70 દેશના રાજદૂત જોશે આ નજારો..

 બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી 

આ પહેલા ગુરુવારે મુંબઈના ભાયખલા વિસ્તારમાં સ્થિત મહાડા કોલોની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે અલગ-અલગ માળેથી 135 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. મુંબઈ ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

November 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway's big gift for cricket fans coming to watch the India-Pakistan cricket match
દેશ

Ind Vs Pak : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે પશ્ચિમ રેલવે ની મોટી ભેટ

by Akash Rajbhar October 12, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Ind Vs Pak : અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ(Ind Vs Pak) મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારા ની ભીડ ને સમાવવા માટે પશ્ચિમ રેલવે(Western Railway) મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central) અને અમદાવાદ(Ahmedabad) વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની(Special trains) જોડી ચલાવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે
ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન બંને દિશા માં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર 2023 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 12 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

October 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Western Railway Canceled 250 Locals For 10 Days due to this reason
મુંબઈMain PostTop Post

Mumbai local : લોકલ ટ્રેનના મુસાફરો તૈયાર રહેજો.. પશ્ચિમ રેલવે પર આ તારીખથી 10 દિવસ માટે 250 લોકલ ટ્રેનો થશે રદ, કારણ કે…

by Akash Rajbhar October 10, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Mumbai local : મુંબઈ સેન્ટ્રલ (Mumbai central) અને બોરીવલી (Borivali) વચ્ચેની છઠ્ઠી રેલ્વે લાઈનનું કામ, જે એક દાયકા કરતાં વધુ સમયથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, તેને વેગ મળ્યો છે. મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી સુધીની છઠ્ઠી લાઇનને જોડવાનું કામ પશ્ચિમ રેલવે (Western Railway) એ શરૂ કર્યું છે. હાલમાં પ્રાથમિક કામગીરી ચાલી રહી છે અને મુખ્ય કામગીરી દશેરા (Dussehra) પછી એટલે કે 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. આ દરમિયાન બ્લોક (Block) લેવામાં આવશે અને દરરોજ સરેરાશ 250 લોકલ અને 61 મેલ-એક્સપ્રેસ રદ કરવામાં આવશે. જેના કારણે દશેરા બાદ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને થોડી હાલાકી ભોગવવી પડશે.

છઠ્ઠા રૂટને જોડવાનું કામ 7 ઓક્ટોબરથી શરૂ થયું છે અને 29 દિવસ સુધી રૂટિન કામ ચાલુ રહેશે. 25મી ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન અનુકૂલનનું મુખ્ય કાર્ય કરવામાં આવશે. આ છેલ્લા દસ દિવસોમાં દરરોજ સરેરાશ 250 લોકલ ટ્રેનો રદ થશે. લોકલ ટ્રેનો (Local trains) પણ મોડી દોડશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે રેલવે સત્તાવાળાઓએ આને ધ્યાનમાં રાખીને આયોજન કર્યું છે કે મુંબઈ લોકલ પર ઓછામાં ઓછી અસર પડશે. ટ્રેક કનેકશન (Track connection) ની કામગીરી માટે ટ્રેક પર વાહનવ્યવહાર અટકાવવો જરૂરી છે. કેટલીક લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનો (Express trains) બ્લોકના સમયગાળા દરમિયાન રદ કરવામાં આવી રહી છે. કારણ કે મુંબઈ લોકલને ઘણા દિવસ સુધી બંધ રાખવાનું અવ્યવહારુ છે.

વર્તમાન સ્થિતિ

– મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી વચ્ચે બે ફાસ્ટ અને બે સ્લો રૂટ છે. મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસથી અને ત્યાંથી મેલ-એક્સપ્રેસ પાંચમા ટ્રેક પર ચાલે છે.

શું થશે

– છઠ્ઠો રૂટ ગોરેગાંવ અને સાંતાક્રુઝ વચ્ચે જોડવામાં આવશે. આ મેલ-એક્સપ્રેસ ટ્રાફિકને અવરોધ વિનાનું બનાવશે.

કાર્ય ક્યારે શરૂ થશે?

– નવા રૂટને હાલના ટ્રેક સાથે જોડવાનું કામ નવેમ્બરમાં પૂર્ણ થશે. રેલ્વે સેફ્ટી કમિશનર દ્વારા તપાસ કરવામાં આવશે. સ્થાનિકોની તપાસ બાદ ઓપરેશન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Facial At Home: માત્ર 4 સ્ટેપમાં તૈયાર કરો બે રીતે ફેશિયલ, તમારો ચહેરો ચમકશે અને ડાઘ-ધબ્બા થઈ જશે દૂર.

શું ફાયદો છે?

– છઠ્ઠો રૂટ વધુ લોકલ ટ્રીપ્સ ચલાવવા માટે વધારાની જગ્યા આપશે. તેનાથી લોકલ ટ્રેનોની કુલ ક્ષમતામાં 20 ટકાનો વધારો થવાની ધારણા છે.

કિલોમીટરની ગણતરી

– મુંબઈ સેન્ટ્રલ થી બોરીવલી છઠ્ઠો રૂટ : કુલ લંબાઈ 30 કિ.મી

– પ્રથમ તબક્કો : વિલેપાર્લેથી ગોરેગાંવ (સમય મર્યાદા ઓક્ટોબર 2023): 9 કિ.મી.

– બીજો તબક્કો : ગોરેગાંવ થી બોરીવલી (સમયગાળો માર્ચ 2025): 11 કિ.મી.

– ત્રીજો તબક્કો : મુંબઈ સેન્ટ્રલથી ખાર (જગ્યાની મર્યાદાને કારણે કોઈ સમય મર્યાદા નથી): 10.18 કિ.મી.

29 દિવસમાં પરિણામ

– દરરોજ દોડતી લોકલ ટ્રેનો : 1,394

– વિલંબિત લોકલ ટ્રેનો : 1,820

– રદ કરાયેલી લોકલ ટ્રેનો : 2,720

– વિલંબિત મેઇલ-એક્સપ્રેસ : 277

– રદ કરો મેઇલ-એક્સપ્રેસ : 61

ખર્ચ ત્રણ હજાર કરોડનો વધારો

– MUTP-2 પ્રોજેક્ટ (મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી સુધીનો છઠ્ઠો માર્ગ) વર્ષ 2008-09માં મંજૂર

– પ્રોજેક્ટની મૂળ કિંમત : રૂ. 5,300 કરોડ

– વિલંબને કારણે વર્તમાન અંદાજીત ખર્ચ: રૂ. 8,087 કરોડ

October 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક