• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mumbai-goa highway
Tag:

mumbai-goa highway

Mumbai Goa Highway Mumbai Nagpur Expressway may open in January will cut down 8 hours travel time detail report
રાજ્ય

Mumbai Goa Highway: વાહનચાલકો માટે સારા સમાચાર; મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે તૈયાર, હવે 8 કલાકમાં કપાશે 16 કલાકનું અંતર.. આ તારીખે થશે ઉદ્ઘાટન…

by kalpana Verat January 4, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai Goa Highway: મહારાષ્ટ્ર સરકારે મુસાફરો માટે મોટા સમાચાર આપ્યા છે. 701 કિલોમીટર લાંબા મુંબઈથી નાગપુર એક્સપ્રેસ વેનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે તેનું ઉદ્ઘાટન આવતા મહિને ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. આ એક્સપ્રેસ વેને ‘હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ’ નામ આપવામાં આવ્યું છે. નાસિકમાં નાગપુરથી ઇગતપુરી વચ્ચેનું અંતર 625 કિલોમીટર છે જ્યાં એક્સપ્રેસ વે પહેલેથી જ કાર્યરત છે. હવે એક વખત ઉદ્ઘાટન થયા બાદ મુંબઈથી નાગપુર સુધીની મુસાફરી આનાથી સુલભ બની જશે. બંને શહેરો વચ્ચે મુસાફરીનો સમય 16 કલાકથી ઘટીને 8 કલાક થઇ જશે

Mumbai Goa Highway: બંને ટનલ 26 જાન્યુઆરીથી ટ્રાફિક માટે ખોલવામાં આવશે 

કશેડી ખાતેની પ્રથમ ટનલ દ્વારા બંને તરફનો વાહનવ્યવહાર સુચારૂ રીતે ચાલી રહ્યો છે. બીજી ટનલમાં કામચલાઉ વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. કાયમી વીજ પુરવઠા માટે વિદ્યુતીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. બંને ટનલ 26 જાન્યુઆરીથી સંપૂર્ણ ક્ષમતા સાથે વાહનવ્યવહાર માટે ખુલશે, જેમાં વિદ્યુતીકરણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે.

Mumbai Goa Highway: 8 મિનિટમાં 45 મિનિટની મુસાફરી

મુંબઈ-ગોવા હાઈવે પર કશેડી ઘાટ સૌથી મુશ્કેલ અને જોખમી છે. આ ઘાટમાં લગભગ બે કિલોમીટરની બે અલગ-અલગ ટનલ બનાવવામાં આવી છે. કશેડી ટનલ પૂર્ણ ક્ષમતાથી શરૂ થતાં વાહનચાલકોને ઘણી રાહત થશે. આ હાઈવે પર ટનલ વિસ્તારમાં 45 મિનિટની મુસાફરીમાં 8 મિનિટનો સમય લાગશે. આનાથી કોંકણવાસીઓની માર્ગ યાત્રા વધુ આરામદાયક બનશે.

આ સમાચાર પણ વાંચો :  Bandra Fire : મુંબઈના આ વિસ્તારમાં ONGC કોલોનીમાં આવેલી ઝૂંપડીઓમાં ફાટી નીકળી આગ; અનેક લોકો થયા બેઘર; જુઓ વિડીયો..

Mumbai Goa Highway: આ હાઈવે પૂરો થયા થશે આ ફાયદો.. 

કોંકણમાંથી 503 કિમીનો હાઇવે પસાર થાય છે. આ હાઈવે પૂરો થયા બાદ કોંકણમાં પ્રવાસન વધશે. તેમજ JNPT ખાતેનું ભારતનું સૌથી મોટું કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ અને નિર્માણાધીન દીઘી પોર્ટ આ હાઇવે સાથે જોડાયેલા છે. જેના કારણે ટ્રાફિક પણ મોટા પાયે થાય છે. મુંબઈ કોંકણમાં ઘણા નોકરિયાતો રહે છે. તેઓ ગણપતિ, હોળી કે અન્ય સમયે ગામમાં જાય છે. તે દરમિયાન રેલ્વે રિઝર્વેશન ફુલ થઈ જાય છે. આ તેમના માટે માર્ગ મુસાફરીને અનુકૂળ બનાવે છે. પરંતુ હાઇવેનું કામ પૂર્ણ ન થતાં તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

January 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Goa Highway Will Mumbai-Goa highway be closed during monsoon.. Know details..
મુંબઈ

Mumbai Goa Highway : ચોમાસા દરમિયાન શું મુંબઈ- ગોવા હાઈવે બંધ થઈ જશે?.. જાણો વિગતે

by Hiral Meria June 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mumbai Goa Highway : મુંબઈ ગોવા હાઈવે પર સંગમેશ્વરના ધામણી ખાતે હાલ હાઈવે પર ટ્રાફિક જામ થવાની શક્યતા છે. તો સંરક્ષણ દિવાલનું કામ હજી બાકી હોવાથી વરસાદના ( rain ) કારણે રસ્તાની માટી ફરી પાણી સાથે વહી જવાની શક્યતા છે. જેથી રસ્તામાં પાણી ફરાઈ જવાની હાલ ભીતી વધી રહી છે . જેના કારણે ધામણીમાં રેલ્વે બ્રિજ પાસે હાઈવે પર ટ્રાફિક હવે વધુ જોખમી બન્યો ગયો હતો. જો વહીવટીતંત્ર સમયસર આ તરફ ધ્યાન નહીં આપે તો મુંબઈ-ગોવા હાઈવે બંધ થઈ જવાની શક્યતા છે. 

મુંબઈ – ગોવા હાઈવે પર અહીં હાલ કામ બંધ થઈ ગયું છે. તેથી હવે વરસાદમાં અહીં રોડ પર ફરી પાણી ભરાઈ જશે તેમજ વાહનવ્યવહાર ( Transportation )  બંધ થઈ જશે તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે.

Mumbai Goa Highway : કોંકણમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે…

કોંકણમાં છેલ્લા બે-ત્રણ દિવ ધામણી, સંગમેશ્વર ( Sangameshwar ) ખાતે રેલવે બ્રિજ ( Railway Bridge ) પાસે સુરક્ષા દિવાલનું ચાલી રહેલ રોડનું કામ હાલમાં બંધ થઈ ગયું હતું.  ડીઝલની અછતને કારણેસથી ભારે વરસાદ ( Heavy Rain ) પડી રહ્યો છે.  આવી સ્થિતિમાં પ્રથમ વરસાદમાં જ મુંબઈ ગોવા હાઈવે પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી. જેમાં રત્નાગીરી સિંધુદુર્ગ રોડ પર સંગમેશ્વર પાસે સુરક્ષા દિવાલનું અર્ધું કામ છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવાથી  હવે તાજેતરના વરસાદને કારણે હાઈવે પર તેની અસર જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Indian Railway: ભારતીય રેલવેએ માર્ચ ક્વાર્ટરમાં રુ. 284 કરોડનો ચોખ્ખો નફો કર્યો, રોકાણકારો માટે ડિવિડન્ડની કરી જાહેરાત..

જો હવે આવી જ સ્થિતિ રહેશે તો આ હાઈવે પર વાહનવ્યવહાર બંધ થવાની સંભાવના વધુ છે.  તેમજ જો આ રસ્તો વરસાદના સમયે બંધ થઈ જશે, તો આ રસ્તા માટે કોઈ વૈકલ્પિક રસ્તો નથી. તેમજ હાઈવે ઓથોરિટીના મુજબ ડીઝલની અછતને કારણે આ કામ અટક્યું હોવાનું હાલ અનુમાન છે.  જેમાં આ હાઇવે છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. આગામી ચાર દિવસમાં હવે કોંકણમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેથી સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તાની ભરતી પાણી સાથે ખસી રહી છે. તેથી ચોમાસાની શરૂઆતમાં મુંબઈ ગોવા હાઈવે બંધ થઈ જાય તેવી હાલ શક્યતા વધુ છે.

મહાડ શહેર નજીક નદગાંવના હાઇવે વિસ્તારમાં હાલ ભૂસ્ખલન થયું હતું. સતત વરસાદ અને માટીના ધોવાણના કારણે આ વિસ્તારમાં એક જગ્યાએ હાઈવે પર તિરાડ પડી ગઈ હતી. જેમાં થોડા સમય માટે વાહનવ્યવહાર બંધ પણ થઈ ગયો હતો. જોકે, ટ્રાફિક પોલીસની તકેદારીના કારણે આ તિરાડનું સમારકામ કરીને વાહનવ્યવહાર પુન: શરૂ થયો હતો. હાલ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું હતું, જે હવે મુંબઈ સુધી પહોચી ગયું છે.

 

June 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shocking disclosure in RTI application, 6000 crore spent on Mumbai-Goa highway in 10 years traffic problem remains..
રાજ્યમુંબઈ

Mumbai Goa Highway : RTI અરજીમાં થયો ચોંકવનારો ખુલાસો, મુંબઈ-ગોવા હાઈવે પર 10 વર્ષમાં 6000 કરોડ ખર્ચાયાઃ ટ્રાફિકની સમસ્યા યથાવત..

by Bipin Mewada February 26, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Mumbai Goa Highway : મુંબઈ-ગોવા હાઈવે પ્રોજેક્ટમાં નોંધપાત્ર ખર્ચ થયો હોવાનું માહિતી એક આરટીઆઈ ( RTI ) કાર્યકર્તા દ્વારા ચોંકવનારો ખુલાસો કરવામાં આ્વ્યો છે. આનાથી મહારાષ્ટ્રના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ  ( PWD ) ની કાર્યક્ષમતા અને પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે. આરટીઆઈ કાર્યકર્તાએ આ અંગે માહિતી મેળવી છે. જે પ્રમાણે 10 વર્ષમાં મુંબઈ-ગોવા હાઈવે પર 6000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

કેન્દ્ર સરકાર ( Central Govt ) અને મહારાષ્ટ્ર PWD બંને તરફથી RTI કાયદા હેઠળ મળેલી માહિતી અનુસાર, નવા ફોર-લેન હાઈવે ( Four lane highway )પર કુલ 6,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જ્યારે સમારકામના કામ પર 192 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ રોડની હાલની સ્થિતિથી તદ્દન વિપરીત છે. તેથી સ્પષ્ટ થાય છે કે આ પ્રોજેક્ટના સંચાલન અને દેખરેખની તપાસ કરવાની જરૂર છે.

રોડના મોટા ભાગની જવાબદારી સંભાળતા પીડબલ્યુડી વિભાગે શરૂઆતમાં રાઈ ટુ ઈન્ફોરમેશન અંતર્ગત માહિતી આપવામાં આનાકાની કરી હતી. જો કે, કેન્દ્ર સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( NHAI ) સંપૂર્ણ વિગતો તપાસવા આવવાની હતી. NHAI એ અહેવાલ આપ્યો છે કે, જે મુજબ મુંબઈ-ગોવા હાઈવેના 471 કિલોમીટરના પટમાંથી, તે ફક્ત 84.6 કિલોમીટર માટે જ જવાબદાર છે, જ્યારે બાકીનો PWD વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે. NHAI એ વધુમાં જણાવ્યું હતું કે 2013 થી, તેણે નવા રસ્તાઓ પર રૂ. 1,779,85,57,110 કરોડ અને સમારકામના કામ પર રૂ. 145,82,36,926 કરોડ ખર્ચ્યા છે. વધુમાં, NHAIએ 2011માં કોન્ટ્રાક્ટર સાથેનો કોન્ટ્રાક્ટ વિવિધ ક્ષતિઓને કારણે રદ કર્યો હતો.

 નવા ફોર લેન હાઈવે પર રૂ. 2,354,72,50,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે…

બીજી તરફ પીડબલ્યુડી પેન ઓફિસ જે શરૂઆતમાં માહિતી આપવા માટે અનિચ્છા દર્શાવતી હતી, આખરે PWD વિભાગએ RTIના અરજીના આદેશનું પાલન કર્યું હતું. તેમજ ઓફિસે આપેલી માહિતી મુજબ નવા ફોર લેન હાઈવે પર રૂ. 2,354,72,50,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ સમારકામના કામમાં કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. જો કે, નવા રસ્તાની જાળવણી ન કરનારા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, તેમના પ્રત્યે નરમ વલણ સૂચવવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Weather Update: મુંબઈમાં ઠંડીનો ચમકારો વધ્યો, પારો પહોંચ્યો 15 ડિગ્રી: પાંચ જિલ્લાઓ માટે જાહેર થયું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની આગાહી ..

બીજી તરફ PWDના રત્નાગીરી વિભાગે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 2018 થી 2023 દરમિયાન નવા રસ્તાઓ પર રૂ. 1,815,85,50,959 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે 2011 થી 2023 સુધીમાં રૂ. 46,20,79,483 કરોડ રિપેર કામ પર ખર્ચવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પણ કચેરીએ જણાવ્યું હતું. નવા રસ્તાઓના નિર્માણમાં વિલંબ માટે અનુક્રમે 5 અને 8 કરોડ, પરંતુ આ દંડ વસૂલવામાં આવ્યો છે કે કેમ તે રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

એકંદરે, આંકડા દર્શાવે છે કે, મહારાષ્ટ્રનો ( Maharashtra ) PWD વિભાગ મુંબઈ -ગોવા હાઈવે પરના વિલંબ અને નબળા કામ માટે મુખ્યત્વે જવાબદાર છે. મૂળભૂત RTI માહિતી પ્રદાન કરવામાં અનિચ્છા, તેમજ વિભાગમાં સંભવિત અનિયમિતતા, ભ્રષ્ટાચાર સૂચવે છે. દરમિયાન, વિવિધ પેકેજોમાં કામનું વિભાજન અને બહુવિધ ઓફિસોની સંડોવણી જવાબદારીના પ્રશ્નને વધુ જટિલ બનાવે છે. તેથી આ બાબતે તપાસ થવી જોઈએ, એવું કાર્યકર્તાએ મહાપાલિકા પાસે માંગ કરી છે.

 

February 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Under construction bridge collapsed in Chiplun, people ran to save their lives, watch video..
રાજ્ય

Maharashtra: મુંબઈ-ગોવા એક્સપ્રેસ વે પર ફ્લાયઓવર કડડડ ભૂસ… જીવ બચાવવા લોકો ભાગ્યા…જુઓ વિડીયો..વાંચો સંપુર્ણ વિગતો વિગતે અહીં…

by Hiral Meria October 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Maharashtra: મુંબઈ-ગોવા હાઈવેનું ( Mumbai-Goa Highway ) અટકેલું બાંધકામ ( Construction ) છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ દરમિયાન હાઈવે પર ફ્લાયઓવરના ( flyover ) કામ દરમિયાન મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. જોકે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર,મુંબઈ-ગોવા ફોર-લેન હાઈવે ( Mumbai-Goa four-lane highway ) પર ચિપલુનમાં ( Chiplun ) ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન અચાનક જોરદાર અવાજ આવ્યો અને પુલનો એક ભાગ તૂટી ( Collapsed ) ગયો.

#WATCH | Maharashtra | A pillar at the under-construction site of Mumbai-Goa four-lane highway collapsed today morning in Chiplun. Soon after, a portion of the flyover also collapsed, damaging a crane machine that was being used at the site. No injuries or casualties were… pic.twitter.com/m5iVsXCPhi

— ANI (@ANI) October 16, 2023

મળી રહેલી માહિતી પ્રમાણે બહાદુરશેખ નાકાના ફ્લાયઓવરમાં કુલ 46 પિલર હોય છે. છઠ્ઠા પિલર સુધીનું કામ પૂરું થઈ ગયું છે. અચાનક સોમવારે સવારે ફ્લાયઓવરનો ગર્ડર ધસી પડ્યો હતો અને એને કારણે મોટો અવાજ આવ્યો હતો. ત્યાર બાદ થોડા સમય સુધી તો કંઈ થયું નહીં પરંતુ થોડાક સમય બાદ પુલનો કેટલોક હિસ્સો પણ તૂટી પડ્યો હતો.

ગર્ડર લોન્ચરના ભારે વજનને કારણે પુલનો મધ્ય ભાગ તૂટી ગયો….

આ વીડિયોમાં જોઇ શકાય છે કે બ્રિજ તૂટવાનો અવાજ આવતા લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. જો કે શું થયુ તેની ખબર પડે એ પહેલા જ અવાજ એટલો તીવ્ર હતો કે થયુ શું.. તે ખ્યાલ જ ન આવ્યો. સવારે 8 વાગ્યાની આ ઘટના છે જેનો વીડિયો સામે આવ્યો છે. ફ્લાયઓવરમાં છેલ્લા ઘણા મહિનાથી કામ ચાલી રહ્યું છે. પુલ તૂટવાની આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ દ્રશ્યો નજરે જોનારનું કહેવુ છે કે બ્રિજ પડ્યો તો એટલો તીવ્ર અવાજ આવ્યો કે બધા ડરી ગયા. ઘટનાને પગલે વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યુ હતુ. લોકોની માગ છે કે પુલનુ કામ જલ્દીથી પુરુ કરવામાં આવે. છેલ્લા ઘણા મહિનાથી આ ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે.દ્રશ્યોમાં જોઇ શકાય છે કે બ્રિજમાં મોટી તિરાડ પડી છે . ગર્ડર લોન્ચરના ભારે વજનને કારણે પુલનો મધ્ય ભાગ તૂટી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો :  Diwali Bonus 2023: દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, બોનસને લઇ મોદી સરકારે આપ્યાં ગુડ ન્યુઝ, જાણીને ખુશ થઇ જશો.. વાંચો સંપુર્ણ વિગતો વિગતવાર અહીં…

ચિપલુનમાં આજે સવારે મુંબઈ-ગોવા ફોર-લેન હાઈવેના નિર્માણાધીન સ્થળ પરનો એક થાંભલો ધરાશાયી થયો હતો. જો કે થોડી જ વારમાં ફ્લાયઓવરનો એક ભાગ પણ તૂટી પડ્યો હતો, જેના કારણે સાઇટ પર ઉપયોગમાં લેવાતા ક્રેન મશીનને નુકસાન થયું હતું. સદનસીબે કોઇને ઈજા કે જાનહાનિ નોંધાઈ નથી.

October 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai: Mumbaikar's temporary relief from traffic jam? Six lakh citizens in Konkan, 1,107 more ST Buses left
મુંબઈ

Mumbai: ગણેેશોત્સવ દરમિયાન કોંકણમાં ઉમટી લોકની ભી઼ડ.. આટલી એસટી બસો થઈ રવાના.. જાણો શું મુંબઈકરોને મળશે ટ્રાફિક જામથી રાહત? વાંચો વિગતે અહીં…

by Hiral Meria September 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mumbai: ગણેશજીનું ( Ganeshostav ) આગમન થોડા કલાકો પછી થતું હોવાથી, આજે, સોમવારે રોડ માર્ગે ગામ જતા મુસાફરોને પ્રમાણમાં ઓછા ટ્રાફિક જામનો સામનો કરવો પડશે. શનિવાર અને રવિવારે 1,107 વધારાની એસટી બસો ( ST Buses ) દોડાવવાને કારણે મુંબઈ-ગોવા હાઈવે (Mumbai Goa Highway) પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સેંકડો ખાનગી બસો, ખાનગી કાર અને ટુરિસ્ટ ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરોએ શ્રદ્ધાળુઓની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. મુંબઈ-કોંકણ રૂટ (Mumbai Konkan Root) પર રવિવારે ચાર એસટી અકસ્માતો થયા હતા અને કોર્પોરેશને આ અકસ્માત માટે કોંકણના ( Konkan  ) ખરાબ રસ્તાઓને જવાબદાર ગણાવ્યા હતા.

પરિવહન કમિશનરેટના વરિષ્ઠ અધિકારીઓનો અંદાજ છે કે લગભગ છ લાખ નાગરિકો ખાનગી બસો સાથે સ્પેશિયલ બસો, વધારાની એસટી અને નિયમિતપણે દોડતી રેલ-એસટી માર્ગ દ્વારા કોંકણમાં પ્રવેશ્યા છે. ST નિગમ દ્વારા આ વર્ષે 1000 થી વધુ બસો એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષના તહેવાર માટે 3 હજાર 500 બસો બહાર પાડવામાં આવી છે. આમાંથી 1100 બસો શનિવાર અને રવિવારે કોંકણ માટે રવાના થઈ હતી. સોમવારે મુંબઈથી વધુ 68 એસટી રૂટ દોડાવવાનું આયોજન છે. દરમિયાન કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે ખરાબ રસ્તાના કારણે એસટીના અકસ્માતો થયા છે.

મુંબઈ-કોકણ હાઈવેના ( Mumbai Konkan  Highway ) કેટલાક તબક્કામાં રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈથી કોંકણ તરફ જતા રસ્તાઓ ખીચોખીચ ભરેલા હોવા છતાં કોંકણથી મુંબઈનો રસ્તો ખાલી હતો. તંત્રએ ખાલી રોડ પરના એક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યુ હતુ. જોકે, વાસ્તવમાં એવું ન થતાં ગણેશભક્તોને ભારે હાલાકી ભોગવવી પડી હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું.

 10 કલાકની મુસાફરીના 15 કલાકમાં

મુંબઈથી સિંધુદુર્ગનું અંતર કાપવામાં 12 કલાકનો સમય લાગે છે . પરંતુ શનિવાર-રવિવારે આ અંતર માટે 15 થી 16 કલાકનો સમય લાગ્યો હતો. મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કે કોઈ પણ આ હાઈવેનો ઉપયોગ ટાળો.

આ સમાચાર પણ વાંચો : Vadodara: કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં 4 તાલુકાના 45 ગામો એલર્ટ પર, મહિ નદીમાં 7.50 લાખ ક્યુસેક પાણી છોડાયું

ડોમ્બિવલી-રાજાપુર સ્પેશિયલ એસટી અકસ્માત સ્થળઃ રેપોલી પેટ્રોલ પંપ, માનગાંવ-લોનેરે વચ્ચેનો સમયઃ સવારે 4.15 વાગ્યાનું કારણઃ રોડની હાલત અંગે ડ્રાઈવરની બેદરકારી. મુસાફરોની સંખ્યા : 38 (મૃત્યુ – 1, ઇજાગ્રસ્ત – 37)

રાયગઢ-પેન સ્પેશિયલ એસટી

અકસ્માત સ્થળઃ વડખાલ બ્રિજનો સમય – સવારે 5.30 કલાકે. કારણ – થર્ડ પાર્ટી ડ્રાઇવર દ્વારા રસ્તાની સ્થિતિ પ્રત્યે બેદરકારી. મુસાફરોની સંખ્યા : 15 (8 ગંભીર અને 4 નાની ઇજાઓ) બોરીવલીથી ગુહાગર અને દિવા-કોલબંદરે સ્પેશિયલ એસટી અકસ્માત સ્થળ : હોટેલ ઐશ્વર્યાની સામે, નિડી ગામ પાસે સમય : સવારે 5.30 કલાકે. કારણ: વાહનો વચ્ચે સુરક્ષિત અંતર ન રાખવાને કારણે પાછળની બાજુની અથડામણ

મુસાફરોની સંખ્યા: 90 (9 નાની ઈજાઓ)

ગણેશોત્સવ દરમિયાન મુંબઈ-ગોવા હાઈવે પર ટ્રાફિક જામ ટાળવા અને તાત્કાલિક મદદ મેળવવા માટે જાહેર બાંધકામ વિભાગ, હાઈવે પોલીસ, ST કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ, મેડિકલ સિસ્ટમ તૈયાર છે. પરંતુ સરકારી એજન્સીઓમાં સંકલનનો ભારે અભાવ જોવા મળ્યો હતો. લાખો મુસાફરોને અસર થઈ છે. કશેડી ઘાટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં વેન્ટિલેશનની સુવિધા ઉપલબ્ધ નથી.

September 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai-Goa Highway: Heavy vehicles will not run till September 28, know the reason
મુંબઈ

Mumbai-Goa Highway: મુંબઈકર માટે મહત્ત્વની અપીલ…. રવિન્દ્ર ચવ્હાણે આપ્યું આ મોટુ નિવેદન! આ તારીખ સુધી મુંબઈ- ગોવા હાઈવે પર નહીં ચાલે ભારે વાહનો, જાણો શું છે કારણ..

by kalpana Verat August 27, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai-Goa Highway: ગણેશોત્સવ (Ganeshotsav) ને ધ્યાનમાં રાખીને મુંબઈ-ગોવા હાઈવે (Mumbai- Goa Highway) પર 27 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ભારે વાહનો (Heavy Vehicle) ની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આની જાહેરાત કરતા મહારાષ્ટ્ર (Maharashtra) ના જાહેર બાંધકામ મંત્રી રવિન્દ્ર ચવ્હાણે ભારે વાહન ચાલકોને આ માટે વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરી છે.

ડિસેમ્બર 2023 થી કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

આ હાઈવે પરના ખાડાઓ સામે રાજ ઠાકરે (Raj Thackeray) ની સૂચના મુજબ, MNSના અડગ અવાજ પછી, હાઈવે પ્રશાસને કામ શરૂ કર્યા હતું. આ હાઇવે ડિસેમ્બર 2023 પહેલા કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. દરમિયાન ગણેશોત્સવમાં મુંબઈથી કોંકણ જતા લોકોની સુવિધા માટે ખાડા પુરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ કામમાં વિક્ષેપ ન આવે તે માટે રાજ્યના જાહેર બાંધકામ મંત્રી રવિન્દ્ર ચવ્હાણે 27 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી મુંબઈ-ગોવા હાઈવે પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મુંબઈ-ગોવા હાઈવેના ખાડાઓને લઈને MNS જાગર યાત્રા કાઢવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, મનસે પ્રમુખ રાજ ઠાકરે કોલાડમાં જાગર યાત્રાના સંગમ પર સમર્થકોને સંબોધિત કરશે.

આ સમાચાર પણ વાંચો : Delhi High Court: જમાઈને માતા-પિતાને છોડી દેવા માટે પ્રોત્સાહિત કરવું, ‘ઘર જમાઈ’ તરીકે સાસરિયાં સાથે રહેવાનું કહેવું ક્રૂરતા સમાન છેઃ હાઈકોર્ટ.. જાણો શું છે આ સમગ્ર મામલો…

12 વર્ષથી કામ અટક્યું છે

નોંધનીય છે કે મુંબઈ-ગોવા નેશનલ હાઈવેનું કામ છેલ્લા 12 વર્ષથી અટકેલું છે. આ હાઈવેના ખાડાઓને કારણે કોંકણ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મુસાફરોને પણ તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગે છે. ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં મુંબઈના લોકો કોંકણની મુલાકાતે જવા ઈચ્છે છે. પરંતુ આ સમય દરમિયાન તેમને વાહનોના અભાવથી માંડી રોડ પરના ખાડા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. એવું જોવા મળ્યું છે કે દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન આ હાઈવે પર ખાડાઓની સમસ્યા ઉદભવે છે, પરંતુ આખું વર્ષ આશ્વાસનોમાં જ પસાર થઈ જાય છે.

August 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai- Goa Highway: MNS Aggressive After Mumbai Goa Highway Protest, MNS Broke Company Office in Ratnagiri's Pali Khanu
રાજ્ય

Mumbai – Goa Highway: 15 વર્ષથી બની રહ્યો છે આ રોડ, રાજ ઠાકરેના આદેશ બાદ MNS કાર્યકર્તાઓ આક્રમક… જાણો શું છે આ મુંબઈ-ગોવા હાઈવેનો મામલો?

by Akash Rajbhar August 18, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Mumbai- Goa Highway: રાજ ઠાકરે (Raj Thackeray) અને MNS (MNS) એ મુંબઈ-ગોવા હાઈવે (Mumbai- Goa Highway) પરના ખાડાઓ સામે રણશિંગુ ફૂંક્યું. મુંબઈ-ગોવા હાઈવેના મુદ્દે મનસે ખૂબ જ આક્રમક બની છે. રત્નાગીરી જિલ્લાના રાજાપુરમાં MNS કાર્યકર્તાઓએ હાથીવલે ટોલ બૂથમાં તોડફોડ કરી હતી. પોલીસે આ મામલામાં MNS ના બે પદાધિકારીઓની ધરપકડ કરી છે. MNS રાજાપુર તાલુકા પ્રમુખ પંકજ પાંગરકર અને ઉપતાલુકા પ્રમુખ જયેન્દ્ર કોઠારકરને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ રત્નાગીરી (Ratnagiri) ના પાલી ખાનુમાં હેન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની ઓફિસમાં પણ MNS દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. એકંદરે, મુંબઈ-ગોવા હાઈવેની ખરાબ હાલતના મુદ્દે MNS ખૂબ જ આક્રમક છે.
પનવેલ (Panvel) માં મનસેના નિર્ધાર મેળામાં બોલતા રાજ ઠાકરેએ મુંબઈ-ગોવા હાઈવે પરના ખાડાઓના મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારો પર આકરા પ્રહારો કર્યા હતા. દરમિયાન રાજ ઠાકરેના આદેશ બાદ રત્નાગીરીમાં MNS કાર્યકર્તાઓ આક્રમક બન્યા હતા. કાર્યકરોએ મુંબઈ-ગોવા હાઈવે પર કામ કરતી કંપનીની ઓફિસમાં તોડફોડ કરી હતી . રત્નાગીરી તાલુકામાં હેન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની ઓફિસ MNS કાર્યકરો દ્વારા તોડવામાં આવી હતી. અગાઉ, MNS કાર્યકર્તાઓએ રાયગઢના માનગાંવમાં મુંબઈ-ગોવા હાઈવે પર કામ કરતી કંપનીની ઓફિસમાં તોડફોડ કરી હતી. માનગાંવમાં આવેલી ચેતક સની કંપનીની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. તો હવે MNS ટોલને લઈને મુંબઈ-ગોવા હાઈવે પર અરાજકતા જોવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Don 3: શું કિયારા અડવાણી બનશે ડોન ની જંગલી બિલ્લી, ડાયરેક્ટર ફરહાન અખ્તરે લીડ એક્ટ્રેસ ને લઇ ને કહી આ વાત

રાજ ઠાકરેએ મુંબઈ-ગોવા હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું

છેલ્લા 10 વર્ષમાં મુંબઈ-ગોવા હાઈવે પર અકસ્માતોમાં અઢી હજાર નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. બાંધકામ પાછળ અત્યાર સુધીમાં સાડા પંદર હજાર કરોડનો ખર્ચ થયો છે. જોકે, રાજ ઠાકરેએ પનવેલની બેઠકમાં મુંબઈ-ગોવા હાઈવે પ્રોજેક્ટની ટીકા કરી હતી. જે બાદ મનસેના કાર્યકરો આક્રમક બની ગયા હતા. આ બેઠક બાદ રાજ ઠાકરેએ મુંબઈ-ગોવા હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું. આ હાઈવે પર ક્યાં અને કેટલા ખાડા પડ્યા છે. તેની પણ માહિતી લીધી હતી.

નિરીક્ષણો, પ્રવાસો, આશ્વાસનો, પરંતુ હાઇવેનું કામ જેમનું તેમ હતું

મુંબઈ-ગોવા નેશનલ હાઈવે (Mumbai- Goa Highway) નું કામ છેલ્લા બાર વર્ષથી અટકેલું છે. આ હાઇવે પર રોડની હાલત અને ખાડાઓ વારંવાર ચર્ચામાં રહે છે. આ માર્ગની હાલત અંગે અવારનવાર આ માર્ગ પર મુસાફરી કરતા નાગરિકો પ્રશ્ન ઉઠાવે છે. આ રસ્તાઓ પરના ખાડાઓને કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. દર વર્ષે જ્યારે ગણેશોત્સવ નજીક આવે છે ત્યારે મુંબઈ-ગોવા હાઈવેનો મુદ્દો સામે આવે છે. પછી આંદોલનો શરૂ થાય છે, નિરીક્ષણ મુલાકાતો થાય છે, વચનો આપવામાં આવે છે. અદાલતો સરકારને ઠપકો આપે છે પછી સરકાર નવી સમયમર્યાદા આપે છે. ગણપતિ બાપ્પા ગામડે જાય અને હાઈવેનું કામ યથાવત્ રહે. દોઢ દાયકા વીતી ગયા પણ કંઈ બદલાયું નથી…

August 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai- Goa Highway: MNS Aggressive After Mumbai Goa Highway Protest, MNS Broke Company Office in Ratnagiri's Pali Khanu
રાજ્યTop Post

Raj Thackeray : મુંબઈ ગોવા હાઈવેના કોન્ટ્રાક્ટરની ઓફિસમાં તોડફોડ; રાજ ઠાકરેના આદેશ બાદ મનસે સૈનિકો થયા આક્રમક.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…

by Akash Rajbhar August 17, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

 Raj Thackeray : પનવેલ (Panvel) ખાતે યોજાયેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ની નિર્ધારણ બેઠક બાદ રાયગઢ (Raigad) જિલ્લાના કાર્યકરોએ અટકેલા મુંબઈ-ગોવા હાઈવે (Mumbai- Goa Highway) ના કામના સંદર્ભમાં આક્રમક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. રાજ ઠાકરે (Raj Thackeray) ની સભા બાદ તરત જ તેના પ્રત્યાઘાત આજે માનગાંવ તાલુકામાં જોવા મળ્યા છે. ચેતક એન્ટરપ્રાઈઝ હેઠળ સની કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ઈન્દાપુરથી લખપલે માનગાંવ બાયપાસનું કામ કરવામાં આવી રહ્યું છે. માનગાંવના ગણેશ નગર ખાતે આવેલી તે કંપનીની ઓફિસના કોન્ફરન્સ હોલમાં MNS દક્ષિણ રાયગઢ જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર ગાયકવાડના માર્ગદર્શન હેઠળ માથાડી કામગર સેનાના પ્રમુખ સંજય ગાયકવાડ, ચીમન સુખદરે અને કાર્યકરોએ ખુરશીઓ અને ફર્નિચરની તોડફોડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Viral Infection : મુંબઈકર સાવધાન! રાજ્યમાં રોગચાળાએ લીધો ભરડો; મુંબઈ, ગઢચિરોલીમાં મેલેરિયાના આટલા ટકા દર્દીઓ.. આંખ આવવાના કિસ્સા પણ વધ્યા.. આરોગ્ય વિભાગે જાહેર કરી માહિતી..

બાંધકામ મંત્રી રવિન્દ્ર ચવ્હાણે ઓફિસમાં તોડફોડના મામલાની નોંધ લીધી..

16 ઓગસ્ટના રોજ બપોરે MNSના અધિકારીઓ અને ચેતક એન્ટરપ્રાઈઝ હેઠળની સન્ની કન્સ્ટ્રક્શન કંપનીના અધિકારીઓની ચેતક કંપનીના અધિકારીઓ સાથે બેઠક થઈ હતી.દરમિયાન ઈન્દાપુરથી લખપલે તબક્કામાં કંપની દ્વારા ધીમી ગતિએ ચાલતી કામગીરીના કારણે સતત ટ્રાફિક જામ થઈ જતો હતો. મનગાંવ બાયપાસ અટકી જવાને કારણે માનગાંવ શહેરમાં જામ આવા બધા કારણથી MNS દક્ષિણ રાયગઢ જિલ્લા પ્રમુખ દેવેન્દ્રએ આક્રમક વલણ અપનાવતા ગાયકવાડ અને તેના સાથીદારોએ કંપની ઓફિસના કોન્ફરન્સ હોલમાં ખુરશીઓ, ફર્નિચર અને સામાન તોડ્યો હતો. એક જ હંગામાંથી ચેતક કંપનીના પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. MNS દક્ષિણ રાયગઢ જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર ગાયકવાડે કહ્યું છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજસાહેબ ઠાકરેના આદેશ અનુસાર અમે આ આક્રમક વલણ અપનાવ્યું છે.

મહારાષ્ટ્ર રાજ્યના જાહેર બાંધકામ મંત્રી રવિન્દ્ર ચવ્હાણે માનગાંવમાં આ કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાં તોડફોડના મામલાની નોંધ લીધી છે. આ સંદર્ભે મંત્રી રવિન્દ્ર ચવ્હાણે રાયગઢના પોલીસ અધિક્ષક સોમનાથ ખરગે સાથે ફોન પર ચર્ચા કરી અને ઓફિસમાં તોડફોડ કરનાર સંબંધિત વ્યક્તિઓ સામે તાત્કાલિક કેસ દાખલ કરવા અને તેમની સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે.મુંબઈ-ગોવા હાઈવેના અટકેલા કામને લઈને MNSએ આક્રમક વલણ અપનાવ્યું છે. હવે જોવાનું રહેશે કે MNS આ આંદોલનને કેવી રીતે આગળ વધારશે.

 

August 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

Mumbai-Goa highway: મુંબઈ-ગોવા હાઈવે દયનીય હાલતમાં, બોમ્બે હાઈકોર્ટે NHAI-રાજ્ય સરકારને ફટકાર્યો અધધ આટલા હજારનો દંડ..

by Dr. Mayur Parikh July 6, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Mumbai-Goa highway: મુંબઈ-ગોવા નેશનલ હાઈવે (NH-66)ના કેટલાક ભાગોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આ પૃષ્ઠભૂમિમાં, 5 જુલાઈ, બુધવારના રોજ બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી છે. સાથે જ કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને રાજ્ય સરકાર પર દંડ પણ લગાવ્યો છે.

હાઇવે 2020 સુધીમાં બનાવવાનો હતો

મુંબઈ-ગોવા હાઈવે (Mumbai-Goa highway) પરના ખાડાઓ પૂરવાનું વચન પૂરું ન કરવા બદલ વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે NHAI અને રાજ્ય સરકારને હાઈવેના નિર્માણમાં બેદરકારી બદલ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. બોમ્બે હાઈકોર્ટ (Bombay High court) ના ઈન્ચાર્જ ચીફ જસ્ટિસ અને જસ્ટિસ આરિફ ડોક્ટરની બેંચ દ્વારા આ દંડ ફટકારવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઇવે 2020 સુધીમાં બનાવવાનો હતો, પરંતુ આ માર્ગના ઘણા ભાગોમાં હજુ ખાડાઓ ભરવાના બાકી છે. આ હાઈવેની હાલત દયનીય છે. આ ત્રીજી વખત છે જ્યારે અરજદારો NHAI અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા વચનના અમલીકરણ માટે કોર્ટમાં આવ્યા છે. અરજદાર એડવોકેટ ઓવૈસ પેચકરે હાઈકોર્ટને અંગત રીતે જાણ કરી હતી કે કોર્ટના આદેશ છતાં ખાડાઓ દૂર કરવામાં આવ્યા નથી.

કોર્ટમાં આપેલું વચન પાળ્યું ન હતું, જાહેર હિતની અરજીમાં મુદ્દો ઉઠાવ્યો હતો

અગાઉ, જ્યારે મુંબઈ-ગોવા હાઈવે પરના ખાડાઓને ઠીક કરવા માટે હાઈકોર્ટ સમક્ષ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, ત્યારે NHAI એ કોર્ટ સમક્ષ બાંહેધરી આપી હતી કે ખાડાઓના મુદ્દા પર હાલ ધ્યાન આપવાની જરૂર નથી કારણ કે હાઈવે રોડ બની રહ્યો છે. રોડ પહોળો કરવામાં આવશે અને ખાડાઓ દૂર કરવામાં આવશે. બેન્ચે NHAIને પ્રશ્ન કર્યો કે તેણે સમય વધારવા માટે અરજી કેમ ન કરી, કારણ કે NHAI દ્વારા લેવામાં આવેલ બે વર્ષનો સમયગાળો 2020માં પૂરો થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Railway News: પશ્ચિમ રેલ્વેએ મુંબઈ સેન્ટ્રલ – કાનપુર અનવરગંજ સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ આ તારીખ સુધી લંબાવી, જાણો સંપૂર્ણ વિગતો…

અરજદારે એફિડેવિટ દાખલ કરી, ખાડાઓની તસવીરો પણ મુકી

NHAI માટે હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું કે તેણે ટેન્ડરો બહાર પાડ્યા હતા અને કોન્ટ્રાક્ટરને કામ ફાળવ્યું હતું. જો કે, NHAI એ કામ પૂર્ણ ન કરવા બદલ કોન્ટ્રાક્ટરને કારણ બતાવો નોટિસ જારી કરી હતી અને કોન્ટ્રાક્ટરે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ બીજી અરજી દાખલ કરી હતી. એડવોકેટ પેચકરે પણ આજે કોર્ટ સમક્ષ એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં તેણે મુંબઈ ગોવા હાઈવે પરના ખાડાઓના ફોટોગ્રાફ્સ જોડ્યા હતા, જે 2 જુલાઈ, 2023ના રોજ લેવામાં આવ્યા હતા. બેન્ચે NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને PWDના અધિક્ષક ઈજનેરને સર્વે હાથ ધરવા અને ચાર અઠવાડિયાની અંદર હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

July 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nitin Gadkari :New vehicles running on ethanol will be introduced soon, Information from Minister Nitin Gadkari
મુંબઈ

ક્યારે પૂરું થશે મુંબઈ-ગોવા હાઈવેનું કામ? કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી આ માહિતી

by Dr. Mayur Parikh March 31, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈગોવા હાઇવેનું કામ લાંબા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યું હતું પરંતુ હવે આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થવાના સંકેત છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે મુંબઈ-ગોવા હાઈવેનું કામ આ વર્ષના ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે, જેનાથી રાજ્યના કોંકણ ક્ષેત્રમાં વિકાસને મોટો વેગ મળશે. ગુરુવારે (30 માર્ચ), કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ પનવેલમાં પલાસપે-ઈન્દુપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને અન્ય માર્ગોને પહોળા કરવા માટે આયોજિત ‘ભૂમિ પૂજન’ સમારોહ દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટરની સમસ્યાઓ, જમીન સંપાદન, મંજૂરીઓ જેવા મુદ્દાઓને કારણે રાજ્યના કોંકણ પ્રદેશમાં ઘણા કામો અટવાયેલા છે.

 

આ સમાચાર પણ વાંચો : નાણાકીય વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં શાનદાર તેજી, માર્કેટ ખુલતા સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા..

મુંબઈગોવા હાઈવેનું હવાઈ નિરીક્ષણ
નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવેનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. આ હાઇવે કોંકણના 60 થી વધુ પ્રવાસન સ્થળોને જોડે છે. તેની રચના સાથે, આ પ્રવાસન સ્થળોની પહોંચ સરળ બનશે. હાઈવેના નિર્માણમાં વિલંબ માટે તેમણે 2011માં હાઈવેના નિર્માણ માટે કોન્ટ્રાક્ટ અપાયેલા કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા.

આ દરમિયાન ગડકરીએ 13,000 કરોડના ખર્ચે મોરબી-કરંજડે રોડ બનાવવાની પણ જાહેરાત કરી હતી. આ રોડ જવાહરલાલ નહેરુ પોર્ટ પાસેથી પસાર થશે અને મુંબઈ અને દિલ્હી વચ્ચેનું અંતર 12 કલાકનું થઈ જશે. તેમણે કહ્યું કે રૂ. 1,200 કરોડના કલંબોલી જંકશન અને રૂ. 1,200 કરોડના પેગોડ જંકશનનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

‘મુંબઈગોવા હાઈવેનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે’
તેમણે કહ્યું કે લાંબા સમયથી વિલંબિત મુંબઈગોવા નેશનલ હાઈવે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે, જે કોંકણ ક્ષેત્રની વિકાસની સંભાવનાઓને વેગ આપશે. ગડકરીએ કહ્યું, “મુંબઈગોવા હાઈવે કોંકણ, મહારાષ્ટ્રના 66 પર્યટન સ્થળોને જોડે છે. આનાથી વિકાસને મોટો વેગ મળશે. આ હાઇવે પૂર્ણ થવાથી કોંકણથી ફળો અને અન્ય ઉત્પાદનોના ઝડપી પરિવહનની સુવિધા પણ થશે. તેનાથી વેપારમાં વધારો થશે.

March 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક