• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - number
Tag:

number

Numerology Children with Birth Number 2 Are Called Lunar Offspring, Known for Chanakya-like Intelligence
જ્યોતિષ

Numerology: આ મૂલાંક વાળા બાળકો માં હોય છે ચાણક્ય જેવી બુદ્ધિ, કહેવાય છે ચંદ્ર સંતાન

by Zalak Parikh August 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Numerology: અંક જ્યોતિષ (Numerology) અનુસાર મૂલાંક 2 ધરાવનારા બાળકો પર ચંદ્ર દેવ (Chandra Dev) નો વિશેષ પ્રભાવ રહે છે, તેથી તેમને ‘ચંદ્ર સંતાન’ (Lunar Offspring) કહેવામાં આવે છે. જેમના જન્મની તારીખ 2, 11, 20 કે 29 હોય તેમનું મૂલાંક 2 બને છે. આ બાળકો ચાણક્ય (Chanakya) જેવી તીવ્ર બુદ્ધિ ધરાવે છે અને દરેક કાર્યમાં યોજના બનાવીને સફળતા પ્રાપ્ત કરે છે.

મૂલાંક 2ના બાળકોની ખાસિયતો

આ બાળકો શાંત સ્વભાવના અને ધૈર્યવાન હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું સંતુલન ગુમાવતા નથી. તેઓ સતત કંઈક નવું શીખવા માટે ઉત્સુક રહે છે અને દરેક જગ્યાએથી જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરે છે. આ જ ગુણ તેમને દરેક ક્ષેત્રમાં સફળ બનાવે છે.

બોલચાલ અને બુદ્ધિથી લોકો પર છાપ છોડી જાય છે

મૂલાંક 2ના બાળકો મૃદુભાષી (Soft Spoken) હોય છે. તેમની વાતચીત અને વર્તનથી લોકો પ્રભાવિત થાય છે. તેઓ વાંચન-લેખન (Reading-Writing) અને બુદ્ધિ આધારિત કાર્યોમાં ખૂબ જ તેજ હોય છે. શિક્ષણ અને વિચારશીલતામાં તેઓ આગળ રહે છે.

આ સમાચાર પણ વાંચો : Shani Sadesati: શનિ સાડેસાતી માં અચૂક કરો દશરથકૃત શનિ સ્તોત્ર, જાણો પાછળની કથા

ચંદ્રના પ્રભાવથી બને છે સંવેદનશીલ અને કલાત્મક

ચંદ્રના પ્રભાવને કારણે આ બાળકો સંવેદનશીલ (Sensitive), કલાત્મક (Creative) અને આધ્યાત્મિક (Spiritual) હોય છે. તેઓ પોતાના વિચારો અને ભાવનાઓને સુંદર રીતે વ્યક્ત કરી શકે છે. આ ગુણો તેમને જીવનમાં અનોખું સ્થાન અપાવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

August 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
India - Maldives tourist Sharp drop in number of Indian tourists to Maldives in 2024 after diplomatic row
આંતરરાષ્ટ્રીયદેશ

India – Maldives tourist : ભારત સાથે ‘દુશ્મની’ પડી ભારે, પ્રવાસીઓની સંખ્યામાં આવ્યો 38% ઘટાડો.. જાણો આંકડા..

by kalpana Verat April 20, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 India – Maldives tourist : ભારત સાથે રાજદ્વારી વિવાદ ( Diplomatic row )  બાદ મોટાભાગના ભારતીયો માલદીવ જવાનો વિચાર છોડી રહ્યા છે. તાજેતરના ડેટા પરથી આ વાત સામે આવી છે. એક રિપોર્ટ મુજબ 2024ના પહેલા ક્વાર્ટરમાં બહુ ઓછા ભારતીયોએ માલદીવની યાત્રા કરી હતી. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે માત્ર 38,847 ભારતીયો ( Indians  )  જ માલદીવ પહોંચ્યા હતા. ગયા વર્ષની સરખામણી કરીએ તો આ ઘટાડો લગભગ 38 ટકા છે. તે સમયગાળા દરમિયાન 56,000 ભારતીયો અહીં મુલાકાતે આવ્યા હતા.

 India – Maldives tourist : માલદીવને વેઠવું પડી રહ્યું છે ભારે નુકસાન

મહત્વનું છે કે મોહમ્મદ મુઈઝુ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા હતા. માલદીવમાંથી ભારતીય સૈનિકોને પાછા મોકલવાની જાહેરાત વચ્ચે મુઈઝુએ ચીન સાથે સંબંધો વધારવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. જોકે ભારત સાથે ‘દુશ્મની’ મોડ લેનારા માલદીવને હવે ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. વાસ્તવમાં માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓ ( Indian tourist ) ની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. એટલે કે પ્રવાસીઓ દ્વારા ભારત માલદીવને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યું છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર માલદીવ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

 India – Maldives tourist :જાન્યુઆરી ક્વાર્ટરમાં માત્ર 34,847 ભારતીયો જ માલદીવ આવ્યા 

મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આ વર્ષે જાન્યુઆરી ક્વાર્ટરમાં માત્ર 34,847 ભારતીયો જ માલદીવ આવ્યા છે, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 56,208 પ્રવાસીઓ હતા. એટલે કે ભારતમાંથી માલદીવ જનારા લોકોની સંખ્યામાં 38 ટકાનો ઘટાડો થયો છે. આ સંખ્યા 2019 ના પ્રથમ ક્વાર્ટર કરતા ઓછી છે, જ્યારે 36,053 ભારતીય પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી. કોરોના મહામારી પછી 2021 થી 2023 સુધી ભારતીયો પ્રથમ સૌથી મોટું બજાર હતું.

India – Maldives tourist : માર્ચમાં માત્ર 8 હજાર 322 ભારતીયો જ માલદીવ ગયા

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કુલ 11,522 ભારતીય પ્રવાસીઓ માલદીવ પહોંચ્યા હતા. જયારે ગયા વર્ષે આ જ મહિનામાં કુલ 19,497 ભારતીયોએ માલદીવની મુલાકાત લીધી હતી. હવે માર્ચની વાત કરીએ તો આ વર્ષે માત્ર 8 હજાર 322 ભારતીયો જ માલદીવ ગયા હતા, જ્યારે ગયા વર્ષે સમાન મહિનામાં આ આંકડો 18,099 હતો. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ભારત સાથેના સંબંધોમાં તિરાડને કારણે માલદીવને ભારે નુકસાન થઈ રહ્યું છે. 

 India – Maldives tourist : ભારતીય સૈનિકો ( Indian army ) ને પરત ફરવાનું અલ્ટીમેટમ 

નોંધનીય છે કે ભૂતકાળમાં ભારત અને માલદીવ વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા, પરંતુ ગયા વર્ષે માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોહમ્મદ મુઈઝુએ ભારત વિરુદ્ધ પ્રચાર કરીને જીત મેળવી હતી. મુઈઝુએ ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે જો તે જીતશે તો ભારતીય સૈનિકોને માલદીવ છોડવું પડશે. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે ભારતીય સૈનિકોને પરત ફરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી ભારતીય સૈનિક અનેક તબક્કામાં માલદીવથી પરત ફર્યા.

April 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Desi Jugad 1010 If You Can Count The Number Of Passengers In This Mahindra Scorpio
અજબ ગજબ

Desi Jugad : તમને 10માંથી 10 માર્ક્સ! જો તમે આ મહિન્દ્રા સ્કોર્પિયોમાંથી મુસાફરોની સંખ્યા ગણી બતાવો; જુઓ વિડીયો..

by kalpana Verat March 5, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Desi Jugad : આપણે બધા જાણીએ છીએ કે માત્ર ભારત ( India ) માં જ નહીં પરંતુ હવે દુનિયાના દરેક ખૂણે લોકો જુગાડ ( Jugad ) ટેક્નોલોજી ( technology ) ને પસંદ કરવા લાગ્યા છે. કોઈ પણ કાર્ય શક્ય તેટલું જલદી પૂરું કરવા અથવા વધુ કિંમતી વસ્તુઓ સસ્તામાં કરવા માટે તેઓ જુગાડનો ઉપયોગ કરે છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જે જુગાડ સાથે પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને પછી પસ્તાવો કરે છે. ભારતમાં, વાહન ચલાવવા માટે કાનૂન અને નિયમો બનાવવામાં આવ્યા છે. મોટા શહેરોમાં પણ આનું પાલન થાય છે, પરંતુ નાના શહેરોમાં નિયમો અને કાયદાઓ પર કોઈ ધ્યાન આપતું નથી.

જુઓ વિડીયો 

Desi people when they go to any marriage or function pic.twitter.com/L2yyYWHARJ

— narsa. (@rathor7_) March 4, 2024

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નવ કે દસ નહીં પરંતુ અઢાર લોકો ( passenger ) ગાડી ( car ) માં બેઠા છે. એટલું જ નહીં, બધા એક પછી એક ગાડી માંથી ઉતરી રહ્યા છે. તેમને ગણવા મુશ્કેલ છે.  નેટિઝન્સ  9 9-સીટર SUV કારમાં 18 લોકોને જોઈને દંગ રહી ગયા છે. આજુબાજુના વિસ્તારને જોતા એવું લાગે છે કે આ વીડિયો ભારતના કોઈ ગામડાનો છે.  

આ સમાચાર પણ વાંચો : Gandhinagar : મેટ્રો ટ્રેન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પ્રવેશી; આ રૂટ પર ટૂંક સમયમાં શરૂ થશે ટ્રાયલ રન

વીડિયોને ધ્યાનથી જોયા બાદ જાણવા મળે છે કે આ ગાડી મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો ( Mahindra Scorpio ) છે. આ ક્લિપને માઇક્રોબ્લોગિંગ સાઇટ X (અગાઉ ટ્વિટર) પર ‘નરસા’ નામના યુઝર દ્વારા શેર કરવામાં આવી છે અને કેપ્શન સાથે લખ્યું છે કે, “દેશી લોકો જ્યારે તેઓ કોઈ લગ્ન કે ફંક્શનમાં જાય છે.” 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shehnaaz gill said she blocked salman khan number after he called to offer her KKBKKJ
મનોરંજન

KKBKKJ ની ઑફર પહેલા શહનાઝ ગિલે કર્યો હતો સલમાનનો નંબર બ્લોક, જાણો કેમ અભિનેત્રી એ કર્યું આ કામ

by Zalak Parikh April 14, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે બિગ બોસ 13 ફેમ શહનાઝ ગિલ પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રમોશન દરમિયાન શહઝાન ગિલે ખુલાસો કર્યો હતો કે તેણે ફિલ્મ સાઈન કરતા પહેલા સલમાન ખાનનો નંબર બ્લોક કરી દીધો હતો. શા માટે? ચાલો જાણીએ.

 

આ કારણોસર શહેનાઝે કર્યો હતો સલમાન ખાન નો નંબર બ્લોક 

ફિલ્મના પ્રમોશન માટે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની ટીમ કોમેડિયન કપિલ શર્માના શોમાં જોવા મળી હતી. આ દરમિયાન શહનાઝે ખુલાસો કર્યો હતો કે જ્યારે સલમાન ખાને તેને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઓફર કરવા માટે ફોન કર્યો ત્યારે તેણે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. શહનાઝે કહ્યું, ‘હું અમૃતસરના ગુરુદ્વારામાં હતી, ત્યારે મને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. મને અજાણ્યા નંબરો બ્લોક કરવાની આદત છે, તેથી મેં અજાણતામાં સલમાન સરનો નંબર પણ બ્લોક કરી દીધો હતો.”

 

આ રીતે મળી શહનાઝ ને ફિલ્મ 

શહનાઝે વધુમાં કહ્યું કે, “સલમાન સર મને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને વારંવાર કોલ આવી રહ્યા હતા, તેથી મેં ટ્રુકોલર પર નંબર એન્ટર કર્યો કે તે કોણ છે જે વારંવાર ફોન કરી રહ્યું છે. પછી મને ખબર પડી કે આ સલમાન સરનો નંબર છે. મેં તરત જ તેને અનબ્લોક કર્યો અને તેમને પાછો કોલ કર્યો. પછી તેમણે મને ફિલ્મની ઓફર કરી અને આ રીતે મને ફિલ્મ મળી.”તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે તમામ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શહનાઝ ગિલ ઉપરાંત શ્વેતા તિવારીની પુત્રી પલક, વેંકટેશ, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ અને વિનાલી ભટનાગર જેવા સ્ટાર્સ જોવા મળશે.

April 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
this number From 1 to 9 is the most impressive These people lives rich life
જ્યોતિષ

1 થી 9 સુધીમાં આ નંબર હોય છે સૌથી પ્રભાવશાળી, આ લોકો અમીરીમાં વિતાવે છે તેમનું જીવન

by Dr. Mayur Parikh February 28, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્રને પણ મહત્ત્વનું માનવામાં આવે છે. આ શાસ્ત્ર જે સંખ્યાઓના આધારે ગણતરી કરે છે, તે જ રીતે જીવનને પ્રભાવિત કરનાર માનવામાં આવે છે, જે રીતે આપણી રાશિ, આપણી કુંડળીમાં હાજર ગ્રહો અને નક્ષત્રોનો પ્રભાવ આપણા જીવન પર પડે છે. આજે જે લકી નંબર વિશે વાત કરીશું એ જીવનભર પૈસા કમાય છે અને તેમને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

અંકશાસ્ત્રમાં, 1 થી 9 સુધીના મૂલાંક ગણવામાં આવે છે. રાશિચક્રની જેમ, તમામ મૂલાંકને પણ નવ ગ્રહોમાંથી એક અથવા બીજા ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. એવામાં તે મૂલાંક સાથે સંકળાયેલ વ્યક્તિના જીવન પર તે ગ્રહની અસર ચોક્કસપણે થાય છે, જેની સાથે તે મૂલાંક સંબંધિત છે.

આ તારીખો પર જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે

અંકશાસ્ત્રમાં 9 નંબરને સૌથી પ્રભાવશાળી, મજબૂત અને નસીબદાર નંબર માનવામાં આવે છે. જો તમારો જન્મ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય તો તમારો અંક 9 ગણાશે. ગણતરી કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારી જન્મ તારીખો એકસાથે ઉમેરો. જેમ કે જો તમારો જન્મ 27 તારીખે થયો હોય તો 2+7=9 આવશે.

આ સમાચાર પણ વાંચો : આ કડવી વસ્તુમાંથી હર્બલ ટી તૈયાર કરો, નસોમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ગાયબ થઈ જશે

આ લોકો સમૃદ્ધિમાં જ જીવન જીવે છે

અંકશાસ્ત્ર અનુસાર 9 નંબર વાળા લોકો ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે. સાથે જ આ લોકો મજબૂત પણ હોય છે. તેઓ જીવનમાં જે કંઈ પ્રાપ્ત કરવા માગે છે, તે પ્રાપ્ત કર્યા પછી જ તેઓ શ્વાસ લે છે. પોતાની બુદ્ધિમત્તા અને દૃઢ નિશ્ચયના કારણે આ લોકો જીવનમાં પ્રગતિ કરતા રહે છે. ઉચ્ચ પદ મેળવે છે. તેઓને શાસનમાં પણ મોટું પદ મળે છે. આ લોકો ખૂબ નામ, પ્રસિદ્ધિ અને પૈસા કમાય છે. આ લોકોને પોતાનું જીવન અમીરી સાથે જીવવું ગમે છે. તેઓ પરિવાર અને મિત્રો પર પણ ઘણો ખર્ચ કરે છે. તેમની જીવનશૈલી, ખોરાક અને બધું જ ઉચ્ચ હોય છે. આ લોકો સ્વભાવે ખૂબ જ હિંમતવાન હોય છે પણ ગુસ્સાવાળા પણ હોય છે. પરંતુ તેમના વિશે કોણ શું વિચારે છે, તેનાથી તેમને બહુ ફરક પડતો નથી.

Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી. . .

February 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
urfi javed number got leaked 10 kids abused actress threatens file police complaint
મનોરંજન

ઉર્ફી જાવેદ નો ફોન નંબર થયો લીક, ટીન એજ બાળકો કોલ કરી ને કરતા હતા આવી હરકત, હવે આ 10 બાળકો ને તેમના ગંદા કૃત્ય માટે ચૂકવવી પડશે મોંઘી કિંમત

by Dr. Mayur Parikh December 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ ( urfi javed )  દરરોજ હેડલાઈન્સમાં રહે છે. ઉર્ફી તેની અતરંગી ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે. ટીવી અભિનેત્રી એ ઘણીવાર લોકો સામે કંઈક એવું પહેરીને આવે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. જ્યાં એક તરફ લોકો તેના આત્મવિશ્વાસના વખાણ કરે છે તો બીજી તરફ ઘણા લોકો તેને ખરી ખોટી પણ સંભળાવે છે. આ બધાની વચ્ચે, અમે ઉર્ફીને તે લોકો માટે સારો પાઠ ભણાવતા પણ જોયા છે જેઓ તેને હેરાન ( abused actress )  કરે છે અથવા તેના વિશે ખરાબ બોલે છે. ઉર્ફીએ ઘણી વખત યોગ્ય જવાબો સાથે તેના નફરત કરનારાઓ ની ક્લાસ પણ લગાવી છે.હવે ફરી એકવાર કંઈક ( number got leaked ) આવું જ જોવા મળ્યું છે. જો કે આ વખતે અભિનેત્રીને એક સાથે 10-10 લોકો સાથે પનારો ( threatens ) પડ્યો છે.

 જાણો શું છે મામલો

છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક ટીનેજ બાળકો ફોન પર ઉર્ફી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા. આ વાતનો ખુલાસો ખુદ ઉર્ફી જાવેદે કર્યો છે. તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં ઉર્ફીએ એક છોકરાને ટેગ કરીને કહ્યું, ‘આ બાળક અને તેના 10 મિત્રો મને સતત ફોન કરી રહ્યા છે. હું લાંબા સમયથી એક જ નંબરનો ઉપયોગ કરી રહી છું અને મને ખબર નથી કે તેમને તે નંબર ક્યાંથી મળ્યો. આ લોકો મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આ દિવસોમાં બાળકોને શું થયું છે? તેઓ મને કોઈ કારણ વગર પરેશાન કરી રહ્યા છે.અભિનેત્રીએ આગળ લખ્યું, ‘હું આ 10 સે 10 બાળકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહી છું, પરંતુ જો કોઈ તેમના માતા-પિતાને ઓળખતું હોય તો મને જણાવો. આ માટે હું તેને ઈનામ પણ આપીશ!’

આ સમાચાર પણ વાંચો: MCD Election Exit Poll : ભાજપની વાપસી થશે કે પછી આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળશે?

છોકરા એ ઉર્ફી ની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર કરી શેર

વાત અહીં પુરી નથી થઈ, ટીવી એક્ટ્રેસનો ગુસ્સો ત્યારે વધુ ભડકી ગયો જ્યારે આ છોકરાએ ઉર્ફીની આ સ્ટોરી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી. અભિનેત્રીએ લખ્યું, ‘આગામી પેઢી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. આટલું બધું હોવા છતાં, આ બાળક મારી વાર્તા ખૂબ ગર્વ સાથે શેર કરી રહ્યો છે. તેણે માફી માંગવી જોઈએ, પરંતુ તેના બદલે તે તેનું પ્રદર્શન કરી રહ્યો છે! આવા છોકરાઓ છોકરીઓને કોલ કરે છે અને પ્રેન્ક ના નામે તેમની સાથે દુર્વ્યવહાર કરે છે, પછી તેને બેશરમ બની ને તેનું પ્રદર્શન પણ કરે છે.

December 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

રેલવેની આજથી વધારાની લોકલ ટ્રેન સર્વિસ, પરંતુ ટ્રેનમાં ઊમટેલી ભીડ શું આપી રહી છે ત્રીજી લહેરને આમંત્રણ? જાણો વિગત

by Dr. Mayur Parikh August 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

સોમવાર

 

સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ  આજથી પોતાની લોકલ ટ્રેન સવિર્સ વધારીને 95 ટકા સુધી કરી નાખી છે. આજથી પહેલાંની માફક લોકલ ફરી દોડી રહી છે. આજથી વેસ્ટર્નમાં 1,300 જેટલી સબર્બન ટ્રેન તો સેન્ટ્રલ રેલવેમાં આજથી 1,686 સબર્બન ટ્રેન દોડી રહી છે. આજે બૅન્ક હોલિડે હોવા છતાં લોકલ ટ્રેનમાં મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. એને જોતાં મુંબઈમાં ત્રીજી લહેરનું આગમન બહુ જલદી થઈ જાય એવી ચેતવણી જોકે નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

કોરોનાને પગલે લોકલ ટ્રેન ફક્ત અત્યાવશ્યક સેવા પૂરી પાડનારા કર્મચારીઓ માટે હતી. અત્યાર સુધી વેસ્ટર્ન રેલવેની મુંબઈ ડિવિઝનમાં 1,201 ટ્રેન દોડતી હતી. હવે 99 સર્વિસનો ધારો કરવામાં આવ્યો છે, એટલે કે આજથી વેસ્ટર્ન રેલવેની 1,300 જેટલી સબર્બન ટ્રેનની સેવા ઉપલબ્ધ રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પહેલાં વેસ્ટર્ન રેલવેની રોજ 1,367 લોકલ ટ્રેન સર્વિસ હતી.

સેન્ટ્રલ રેલવે આજથી પોતાના મુંબઈ ડિવિઝનમાં 1,686 ટ્રેન સેવા કરી નાખી છે. અત્યાર સુધી સેન્ટ્રલમાં 1,612 લોકલ સર્વિસ ચાલી રહી હતી. એમાં 74 ફેરા વધારીને એ હવે 1,686 કરી નાખવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોના પહેલાં સેન્ટ્રલ દ્વારા રોજની 1,774 લોકલ ટ્રેન દોડાવવામાં આવતી હતી.

મુંબઈમાં આ ગતિએ જ કોરોના વધ્યો તો છેક પાંચ વર્ષે કેસ બમણા થશે; જાણો વિગત

વેક્સિનના બંને ડોઝ લીધેલા નાગરિકોને 15મીઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે. રવિવાર અને સોમવારે હોલિડે હોવાથી લોકલ ટ્રેનમાં ભીડ જણાઈ નહોતી, પરંતુ મંગળવારથી ટ્રેનમાં મોટા પ્રમાણમાં ભીડ થવાની શક્યતા છે. એથી રેલવે દ્વારા લોકલ સવિર્સ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. કોરોનાની બીજી લહેરને પગલે એપ્રિલ 2021થી સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેન ફરી બંધ કરી દેવામાં આવી હતી.

August 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક