• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - sale
Tag:

sale

Krishi bazaar A natural agricultural market providing a platform for the sale of products of farmers practicing natural farming in Surat.
Agricultureસુરત

Krishi bazaar :સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરૂ પાડતું પ્રાકૃતિક કૃષિ બજાર

by kalpana Verat June 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Krishi bazaar :

  • ખેડૂતો પ્રાકૃતિક કૃષિ જણસો સીધા ગ્રાહકને વેચાણ કરે છે, જેથી બજાર કિંમત કરતા ૩૦ થી ૪૦ ટકા વધુ ભાવ મળી રહ્યા છે
  • સુરત જિલ્લા પંચાયત તથા સુરત મહાનગરપાલિકાની મહેનત રંગ લાવીઃ વેસુ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર વ્યવસ્થા ઉભી કરવામાં આવી જેમાં માત્ર બે મહિના દરમિયાન રૂા.૨૪ લાખનું માતબર વેચાણ થયુંઃ આત્મા પ્રોજેકટ ડાયરેકટર એન.જી.ગામીત
  • ખેડૂતો પ્રાકૃતિક કૃષિ જણસો સીધા ગ્રાહકને વેચાણ કરે છે, જેથી બજાર કિંમત કરતા ૩૦ થી ૪૦ ટકા વધુ ભાવ મળી રહ્યા છે
  • અઠવાડિયામાં બુધ અને રવિવારે ખેડૂતો પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો લઈને આવે છેઃ સુરતીઓ હોંશે-હોંશે શાકભાજી, ફળોની ખરીદી કરી રહ્યા છેઃ
  • માત્ર બે કલાકમાં ૮ થી ૧૦ હજારના ઉત્પાદનોનું વેચાણ કરીએ છીએઃ ખેડૂત વિકાસભાઈ ગામીત
  • બાળપણમાં ગામડાના આહારમાં જે સ્વાદ આવતો હતો તે સ્વાદ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત આ શાકભાજીમાં આવી રહ્યો છે. ગ્રાહક કાંતિલાલ સોલંકી

  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. ભૂમિની ઉત્પાદકતા અને ભૂગર્ભ જળ વધારવા, પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગ ઘટાડવા, લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર કલ્યાણકારી ઉપાય છે, ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આવા ખેડૂતોના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળે એ માટે રાજ્ય સરકારે સામૂહિક વેચાણ વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરી છે. સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે આ પ્રકારની બજાર વ્યવસ્થા શહેરના પોશ વિસ્તાર એવા વેસુ ખાતે ગત તા.૭મી એપ્રિલ-૨૦૨૫ના રોજ ઉભી કરવામાં આવી છે, જેમાં હાલ ૪૦ થી ૫૦ ખેડૂતો પોતાના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે આવે છે.

સુરત જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર અને નાયબ ખેતી નિયામકશ્રી એન.જી.ગામીત જણાવે છે કે, વેસુની એસ.ડી.જૈન કોલેજની બાજુમાં પ્રાકૃતિક કૃષિ બજાર બે મહિના પહેલા રાજ્યપાલશ્રીના હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું. સપ્તાહમાં દર બુધ અને રવિવારે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા દરમિયાન અહીં ખેડૂતો શ્રેષ્ઠ, સ્વાસ્થ્યપ્રદ, ગુણવત્તાવાળા અને કેમિકલમુક્ત શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું વેચાણ કરે છે, જેનો શહેરીજનોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર બે મહિનાના ટુંકાગાળામાં રૂા.૨૪ લાખનું માતબર વેચાણ થયું છે. આ બજારમાં વેસુ સહિત પાલ, અડાજણ, અલથાણ જેવા દૂરના વિસ્તારોમાંથી પણ શહેરીજનો હોંશે-હોંશે ખરીદી માટે આવે છે. ખેડૂતોને બજાર ભાવ કરતા ૩૦ થી ૪૦ ટકા વધુ ભાવો મળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે મોડેલ ફાર્મ, પ્રેરણા પ્રવાસ તથા જીવામૃત્ત, ઘનજીવામૃત્તની તાલીમ પણ આપવામાં આવી છે.

માંડવીના ઉટેવા ગામના યુવા ખેડૂત વિકાસ ગામીતે જણાવ્યું કે, આ બજારમાં ભીંડા, રીંગણ, મેથી, ગલકા જેવા પ્રાકૃતિક શાકભાજી પાકો લઈને નિયમિત વેચાણ માટે આવું છું. સરકારે અમારા જેવા ખેડૂતો માટે બજાર વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં સપ્તાહમાં બે વાર અમારી પ્રાકૃતિક કૃષિ જણસો સીધા ગ્રાહકને વેચાણ કરીએ છીએ. દૈનિક રૂા.૮ થી ૧૦ હજારનું વેચાણ થાય છે એમ જણાવી આ પ્લેટફોર્મ પુરૂ પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ બજારમાં નિયમિત ખરીદી કરવા માટે આવતા કૈલાશ કાગડીયાએ જણાવ્યું કે, પ્રાકૃતિક ઉત્પાદનો પ્રત્યે શહેરીજનોનું આકર્ષણ વધ્યું છે. અહીં વેચાતા શાકભાજીનો ટેસ્ટ અને ક્વોલિટી કંઈક અલગ જ છે. સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલે કહ્યું કે, હું કેળાની ખેતી અને કેળાનું મૂલ્યવર્ધન કરીને વેફર, ચિપ્સ બનાવીને વેચાણ કરૂ છું. અહીં દૈનિક ૨૦૦ કિલો કેળા તથા અન્ય પ્રોડકટ મળીને રૂ.૧૫ થી ૨૦ હજારનું વેચાણ કરૂ છું. આ બજાર ઉપલબ્ધ કરવા બદલ જિલ્લા પંચાયત, આત્મા અને સુરત મહાનગરપાલિકાને ખૂબ ખૂબ આભાર વ્યકત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Gujarat Rain News : છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ-આહવા તાલુકામાં તેમજ વલસાડના કપરાડામાં ૯.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

વેસુ વિસ્તારના રહેવાસી કાંતિલાલ સોલંકી કહે છે કે, હું નિયમિત પ્રાકૃતિક કૃષિ બજારમાં ખરીદી કરવા આવું છું. અહી દેશી, કેમિકલ-ફ્રી શાકભાજી મળે છે. બાળપણમાં ગામડાના આહારમાં જે સ્વાદ આવતો હતો તે સ્વાદ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત આ શાકભાજીમાં આવી રહ્યો છે. આ બજારમાંથી લોકોને વધુમાં વધુ ખરીદી કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

ઓલપાડ તાલુકાના એરથાણ ગામના મહેશભાઈ પટેલ કહે છે કે, હું વર્ષોથી છ પ્રકારની હળદરની પ્રાકૃતિક ખેતી કરીને વેચાણ કરૂ છું. અત્યાર સુધી ઘરેથી, આસપાસના બજારમાં વેચાણ કરતો હતો. પણ હવે સુરતમાં કૃષિ બજાર મળવાથી અમારી મેથી, રાય, તલ જેવા ઉત્પાદિત વસ્તુઓ સરળતાથી વેચાણ થાય છે. પ્રાકૃતિક કૃષિ પેદાશોથી ખેડૂતોનો કૃષિ ખર્ચ ઘટ્યો છે અને આવક પણ વધી છે.

ખરીદી કરનાર પૂનમ પટેલ કહે છે કે, કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર વિના માત્ર પ્રાકૃતિક રીતે ઉત્પાદિત શાકભાજીનો સ્વાદ કંઈક અલગ છે. અહીં બે દિવસને બદલે દરરોજ પ્રાકૃતિક કૃષિ બજાર ખૂલ્લું રહે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
RCB Stake Sale RCB Not for Sale, Says Diageo After IPL Victory Amid Valuation Buzz
ક્રિકેટ

RCB Stake Sale :શું RCB ખરેખર 17,000 કરોડ રૂપિયામાં વેચાશે? ટીમની માલિક કંપનીએ અટકળો પર આપી પ્રતિક્રિયા..

by kalpana Verat June 11, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

RCB Stake Sale :આ વર્ષે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષના દુકાળનો અંત લાવ્યો અને IPLનો ખિતાબ જીત્યો. પરંતુ, બીજા જ દિવસે, બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય ઉજવણીમાં ભાગદોડ મચી ગઈ. જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા. ઓછામાં ઓછા 54 લોકો ઘાયલ થયા. આ પછી, કર્ણાટક ક્રિકેટ એસોસિએશન અને બેંગલુરુ ફ્રેન્ચાઇઝમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી એક સમાચાર વહેતા થયા છે, તે એ છે કે ફ્રેન્ચાઇઝના માલિક ડિયાજિયો હવે ફ્રેન્ચાઇઝી વેચવા માંગે છે.

RCB Stake Sale : ફ્રેન્ચાઇઝી વેચવાનો કોઈ ઇરાદો નથી

ડિયાજિયો વિજય માલ્યાની યુનાઇટેડ સ્પિરિટ્સ કંપનીની પેરેન્ટ કંપની છે. જ્યારે આ સમાચાર બજારમાં ફેલાયા, ત્યારે મંગળવારે પેરેન્ટ કંપનીના શેરમાં પણ 3 ટકાનો વધારો થયો. પરંતુ, આખરે, મંગળવારે મોડી રાત્રે, યુનાઇટેડ સ્પિરિટ્સ કંપનીએ સ્પષ્ટતા કરી કે તેનો ફ્રેન્ચાઇઝી વેચવાનો કોઈ ઇરાદો નથી. RCB ફ્રેન્ચાઇઝી વેચવાના સમાચાર માત્ર અટકળો છે. જોકે, આવી કોઈ વાટાઘાટો હાલમાં ચાલી રહી નથી. 

RCB Stake Sale :ફ્રેન્ચાઇઝનું મૂલ્યાંકન 17,000 કરોડ સુધી પહોંચી ગયું 

મહત્વનું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLમાં એક લોકપ્રિય ફ્રેન્ચાઇઝી છે. ટાઇટલ જીતતા પહેલા, આ ફ્રેન્ચાઇઝનું મૂલ્યાંકન 17,000 કરોડ સુધી પહોંચી ગયું હતું. તે પછી, આ વેચાણના સમાચાર બધે ફેલાઈ ગયા. પરંતુ, હવે યુનાઇટેડ સ્પિરિટ્સે તેનો ઇનકાર કર્યો છે. જ્યારે 2008 માં IPL ફ્રેન્ચાઇઝ વેચાઈ હતી, ત્યારે વિજય માલ્યાની કિંગફિશર કંપનીએ આ ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. જોકે, જ્યારે 2012 માં કિંગફિશર એરલાઇન્સે મોટી લોન લીધી, ત્યારે ડિયાજિયોએ આ લોન સાથે કિંગફિશરમાં મોટો હિસ્સો ખરીદ્યો. ત્યારથી, ફ્રેન્ચાઇઝીની માલિકી પણ ડિયાજિયો પાસે ગઈ છે.

RCB Stake Sale :ડિયાજિયો વ્હિસ્કી  એક બ્રિટીશ દારૂ કંપની

જણાવી દઈએ કે ડિયાજિયો એક બ્રિટીશ દારૂ કંપની છે. તેની વ્હિસ્કી પ્રીમિયમ શ્રેણીમાં છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તે જે દારૂ બનાવે છે તે કુલ 180 દેશોમાં નિકાસ કરવામાં આવે છે. કંપનીએ યુનાઇટેડ સ્પિરિટ્સમાં રોકાણ કરવા માટે ભારતમાં ડિયાજિયો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની પેટાકંપની સ્થાપી છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઇઝીની પણ માલિકી ધરાવે છે.

June 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Saras Mela 2025 The Saras Mela held at Adajan, Surat received a huge response, with a total sale of more than 3.50 crores in just ten days.
સુરત

Saras Mela 2025 : સુરતના અડાજણ ખાતે યોજાયેલા સરસમેળાને મળ્યો બહોળો પ્રતિસાદ, માત્ર દસ દિવસમાં કુલ ૩.૫૦ કરોડથી વધુ વેચાણ..

by kalpana Verat March 17, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai  

Saras Mela 2025 : 

  • ૧૯ રાજયોની મહિલાઓના હસ્તકલાથી ઉત્પાદિત ઉત્પાદનોની સુરતીઓએ બહોળી ખરીદી કરી વોકલ ફોર લોકલનો સંદેશો આપ્યોઃ
  • બેસ્ટ સેલ્સ, બેસ્ટ ડિઝાઈન અને ઈનોવેટિવ ઉત્પાદનોને જૂથને મળ્યો એવોર્ડ 
  • પશ્ચિમ બંગાળના મોહિની સખી ગ્રુપે ૧૨.૬૧ લાખના 3D પેઇન્ટિંગોનું વેચાણ કર્યું
  • સુરતીઓએ સરસમેળામાં બહોળા પ્રમાણમાં ખરીદી કરી ગ્રામીણ વિસ્તાર રહેતી બહેનોના આર્થિક ઉત્થાનમાં સાચા અર્થમાં સહભાગી બન્યાઃ

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ગામ’ની થીમ સાથે અડાજણ ખાતે આયોજીત  ‘સરસ મેળો-૨૦૨૫’માં દસ દિવસમાં ૧૯ રાજયોમાંથી આવેલા ૧૬૫ જૂથો દ્રારા કુલ ૩.૫૦ કરોડથી વધુનું વેચાણ થયું છે. સુરત પ્રથમવાર આવનાર પશ્ચિમ બંગાળના મોહિની સખી ગ્રુપે રૂ.૧૨.૬૧ લાખના 3D પેઇન્ટિંગોનું વેચાણ કર્યું હતું.

Saras Mela 2025 The Saras Mela held at Adajan, Surat received a huge response, with a total sale of more than 3.50 crores in just ten days.

                 સુરતના સરસ મેળામાં અવનવી સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને સુરતવાસીઓ ‘વોકલ ફોર વોકલ’ની નેમને સાકાર કરતા મનભરીને મેળાને માણ્યો હતો. સુરત સરસ મેળાના  સમાપન સમારોહમાં બેસ્ટ સેલ્સ, બેસ્ટ ડિઝાઈન અને બેસ્ટ ઇનોવેટિવ ઉત્પાદનોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Saras Mela 2025 The Saras Mela held at Adajan, Surat received a huge response, with a total sale of more than 3.50 crores in just ten days.

આ સમાચાર પણ વાંચો: સરસ મેળામાં કલકત્તાના જનની સખી મંડળની બહેનોને મળ્યો સુરતવાસીઓનો સહયોગ ; ૩૪ પ્રકારના પરફ્યુમનું વેચાણ કરીને વર્ષે કરે છે લાખોની કમાણી

Saras Mela 2025 The Saras Mela held at Adajan, Surat received a huge response, with a total sale of more than 3.50 crores in just ten days.

     સરસ મેળાના સમાપન પ્રસંગે DRDAના નિયામક એમ.બી. પ્રજાપતિ એ સુરતની જનતાનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે, સુરતની જનતા કલા અને આર્ટને હંમેશા સ્વીકારે છે. એક જ સ્થળે દેશના વિવિધ પ્રાંતથી આવતા આર્ટિસ્ટ થકી આ સરસ મેળા શક્ય બન્યો છે. સુરતીઓ સરસ મેળામાં ખર્ચ કરીને ગ્રામીણ વિસ્તાર રહેતાં બહેનોના આર્થિક ઉત્થાનમાં સાચા અર્થમાં સહભાગી બન્યાં છે. દર વર્ષે યોજાતા મેળાઓમાં વધુમાં વધુ ખરીદી કરી સહકાર આપવા અનુરોધ કર્યો હતો. 

Saras Mela 2025 The Saras Mela held at Adajan, Surat received a huge response, with a total sale of more than 3.50 crores in just ten days.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
MHADA Lottery 2025 MHADA to put 3000 houses on sale by mid-2025
મુંબઈ

MHADA Lottery 2025 : મુંબઈમાં સપનાનું ઘર ખરીદવાની સુવર્ણ તક; મ્હાડાના 3000 મકાનોની નીકળશે લોટરી, જાણો વિગતે..

by kalpana Verat January 1, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

MHADA Lottery 2025 : સામાન્ય નાગરિકોનું માયાનગરી મુંબઈ (MHADA મુંબઈ)માં પોતાનું ઘર ખરીદવાનું સપનું હોય છે. પરંતુ વધતી જતી મોંઘવારીના કારણે મકાન ખરીદવું શક્ય નથી. આ ધીમા પગાર વધારાને કારણે અનેક સપનાં પૂરાં થવામાં પણ વિલંબ થાય છે.  ડ્રીમ હોમ ખરીદવામાં ઘણા કારણોને લીધે વિલંબ થાય છે જેમ કે સુખદ જગ્યાએ ઘર ન હોવું, સારો પાડોશી ન હોવો અને સૌથી અગત્યનું પોસાય તેમ ન હોવું.

 MHADA Lottery 2025 : 3000 ઘરોની લોટરીની જાહેરાત

જોકે, આ વર્ષે લાંબા સમયથી અધૂરું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે અને મ્હાડા આમાં મદદ કરશે. વર્તમાન વર્ષમાં, મ્હાડા લગભગ 250 થી 3000 ઘરોની લોટરીની જાહેરાત કરશે, અને અહેવાલ છે કે દિવાળીના અવસરે આ લોટરીની જાહેરાત કરવામાં આવશે. મ્હાડા ઓથોરિટી તરફથી મીડિયા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ લોટરી પ્રક્રિયામાં નાના અને લઘુમતી જૂથો માટે મોટી સંખ્યામાં ઘરો આરક્ષિત કરવામાં આવશે.

 MHADA Lottery 2025 :આ ઘરો ક્યાં હશે?

નવા વર્ષમાં મ્હાડાના મુંબઈ બોર્ડ દ્વારા કાઢવામાં આવનાર આ લોટરીમાં મુંબઈના ઉપનગરોમાં આવેલા મકાનોનો સમાવેશ થશે. પશ્ચિમી ઉપનગરોમાં ગોરેગાંવ પહાડીમાં બે વર્ષમાં અઢી હજાર મકાનો બનવા જઈ રહ્યા છે. આમાંથી કેટલાક મકાનો નવા વર્ષમાં કાઢવામાં આવનાર લોટરીમાં સામેલ થશે. આ ઉપરાંત અંધેરી, જુહુ, ગોરેગાંવ, કાંદિવલી, બોરીવલી, વિક્રોલી, ઘાટકોપર, પવઈ, તાડદેવ, સાયનના ઘરોનો સમાવેશ કરવામાં આવશે.

આ ડ્રોમાં ગોરેગાંવ પહાડીમાં નિર્માણ થનારા મકાનો પણ સામેલ થશે. દરમિયાન, રાજ્યના નવા શાસકો મ્હાડામાં મકાનોની વધતી કિંમતોની સમસ્યાનો કોઈ ઉકેલ કાઢે છે કે કેમ તે જોવું અગત્યનું રહેશે. સામાન્ય રીતે, મ્હાડાના ઘરની પ્રારંભિક કિંમત 34 લાખથી શરૂ થાય છે. જો કે, આ દરો 27 લાખની રેન્જમાં હોવા જોઈએ તેવી જ માંગ હાલમાં ઉઠાવવામાં આવી રહી છે. આના પર શું નિર્ણય લેવામાં આવે છે અને આ નવા ડ્રો માટે આ દરો લાગુ પડે છે કે કેમ તે જોવાનું પણ મહત્વનું રહેશે.

આ સમાચાર પણ વાંચો  : Air India:  નવા વર્ષ પર મુસાફરોને એર ઈન્ડિયાની ભેટ, ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં શરૂ થઈ આ સેવા…

MHADA Lottery 2025 : દર વર્ષે બે વખત લોટરી કાઢવામાં આવે છે

મહત્વનું છે કે મ્હાડા તરફથી દર વર્ષે બે વખત લોટરી કાઢવામાં આવે છે. કોંકણ મંડળની સાથે મ્હાડાના મુંબઈ મંડળના ડ્રોને ઉમેદવારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો હવે મુંબઈમાં આ લોટરીને કેવો પ્રતિસાદ મળે છે, આ મકાનો ઈચ્છુકોની અપેક્ષાઓ પર ખરા ઉતરે છે કે કેમ તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

 

 

January 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
GST on Used Cars GST hike on Used Cars Sale will shift Transactions to informal channels
વેપાર-વાણિજ્ય

GST on Used Cars: હવે સેકન્ડ હેન્ડ કાર ખરીદવી થશે મોંઘી, સરકારે GST 12% થી વધારીને આટલા ટકા કર્યો..

by kalpana Verat December 24, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

GST on Used Cars: આગામી 1 જાન્યુઆરી 2025 એટલે કે નવા વર્ષના પહેલા દિવસથી દેશમાં કાર ખરીદવી મોંઘી થઈ જશે. લગભગ તમામ કંપનીઓ પોતાની કારની કિંમતમાં 4% સુધીનો વધારો કરવા જઈ રહી છે. એટલે કે 31મી ડિસેમ્બર સુધી સસ્તા ભાવમાં કાર ખરીદવાની તમારી પાસે ઉત્તમ તક છે. જો કે આ દરમિયાન જૂની કાર ખરીદવી પણ મોંઘી થઈ ગઈ છે.  બજારમાં જૂની કારની માંગ ઘણી વધારે છે, પરંતુ હવે ગ્રાહકોએ તેને ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. વાસ્તવમાં, 55મી બેઠકમાં GST કાઉન્સિલે યુઝડ કાર પર ટેક્સ 12% થી વધારીને 18% કરવાનો નિર્ણય લીધો છે. કાઉન્સિલ દ્વારા નક્કી કરાયેલા નવા દરો જૂના વાહન ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ અથવા ડીલરો દ્વારા ખરીદવામાં આવેલા વાહનો પર જ લાગુ થશે.

GST on Used Cars:  યુઝડ કાર પરનો નવો GST દર 18% 

જો તમે તમારી યુઝડ કારને રજિસ્ટર્ડ ડીલર દ્વારા વેચી રહ્યા છો, તો આ GST લાગુ થશે. જો તમે કાર સીધી વેચી રહ્યા છો, તો તમારે આ GST ચૂકવવો પડશે નહીં. આમ, યોગ્ય કિંમત નક્કી કરતી વખતે તમારે આને તમારા ધ્યાનમાં રાખવું પડશે. યુઝડ કાર પરનો નવો GST દર વ્યક્તિગત ખરીદદારોને લાગુ પડશે નહીં. આનો અર્થ એ છે કે જો તમે કોઈની પાસેથી ડાયરેક્ટ યુઝડ કાર ખરીદો છો, તો તમારે 18% GSTને બદલે માત્ર 12% ટેક્સ ચૂકવવો પડશે.

GST on Used Cars: નવી EV ખરીદવા પર 5% GST 

બીજી તરફ, જો તમે યુઝડ ઇલેક્ટ્રિક વાહન વેચો છો તો પણ તમારે 18% GST ચૂકવવો પડશે. જો કે, તમારે નવી EV ખરીદવા પર 5% GST ચૂકવવો પડશે. જીએસટીના દરમાં વધારાને કારણે નવી અને જૂની કારની કિંમતો વચ્ચેનો તફાવત ઓછો થવા જઈ રહ્યો છે. આ સિવાય યુઝડ કારના વેચાણ પર પણ અસર પડશે. ધારો કે તમે 18 લાખ રૂપિયામાં કાર ખરીદો છો. જો તમે તેને 13 લાખ રૂપિયામાં કોઈ મિત્ર અથવા સંબંધી અથવા પરિચિતને વેચો છો, તો તેના પર કોઈ GST લેવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો  : GST Council Meeting: આમ જનતાને ઝટકો, સસ્તો નહીં થાય હેલ્થ અને ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ, સરકારે લીધો આ નિર્ણય..

GST on Used Cars: પ્રોફિટ માર્જિન પર જ 18% GST 

 બીજી તરફ, જો કોઈ ડીલર 13 લાખ રૂપિયામાં કાર ખરીદે છે અને તેને 17 લાખ રૂપિયામાં વેચે છે, તો 4 લાખ રૂપિયાના પ્રોફિટ માર્જિન પર જ 18% GST ચૂકવવો પડશે. આનો અર્થ એ છે કે હવે યુઝડ  કાર ખરીદતી વખતે, પછી તે પેટ્રોલ, ડીઝલ અથવા EV હોય, નફાના માર્જિન પર 18% ટેક્સ ચૂકવવો પડશે. એકંદરે, આ બીજી કારની કિંમતોમાં વધારો કરશે.

 

December 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai dry day 2024 Liquor sale banned on these days
મુંબઈલોકસભા ચૂંટણી 2024

Mumbai dry day 2024: મુંબઈમાં ત્રણ દિવસ ‘ડ્રાય ડે’, વેચાણ અને વપરાશ પર રહેશે પ્રતિબંધ. જાણો કારણ..

by kalpana Verat May 17, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai dry day 2024: હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ( Lok Sabha election 2024 )નો માહોલ ચાલી રહ્યો છે. કુલ 543 લોકસભા સીટો માટે સાત તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી દેશભરમાં ચાર તબક્કાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે પાંચમા તબક્કાનું મતદાન 20 મે, સોમવારે થશે. આ તબક્કામાં મુંબઈની છ બેઠકો પર મતદાન થશે.  

Mumbai dry day 2024: છ બેઠકો પર મતદાન

20 મેના રોજ મુંબઈની તમામ છ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં ઉત્તર મુંબઈ મતવિસ્તાર, ઉત્તર-પશ્ચિમ મુંબઈ મતવિસ્તાર, ઉત્તર-પૂર્વ મુંબઈ ( Mumbai news ) મતવિસ્તાર, ઉત્તર-મધ્ય મુંબઈ મતવિસ્તાર, દક્ષિણ મધ્ય મુંબઈ મતવિસ્તાર અને દક્ષિણ મુંબઈ મતવિસ્તારનો સમાવેશ થાય છે.  આચારસંહિતા અનુસાર, જે મતવિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે અને તે મતવિસ્તારની નજીકના મતવિસ્તારમાં ‘ડ્રાય ડે’ જાહેર કરવામાં આવે છે. આ કારણે મુંબઈ સહિત રાજ્યના અનેક સ્થળોએ શનિવાર 18મી મેથી સોમવાર 20મી મે સુધી ત્રણ દિવસ (ત્રણ દિવસ ડ્રાય ડે) માટે દારૂની દુકાનો બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  આજે શિવાજી પાર્કમાં રાજ ઠાકરે કરશે ગર્જના, પીએમ મોદી સાથે શેર કરશે સ્ટેજ.. પોલીસે ગોઠવ્યો કડક બંદોબસ્ત..

Mumbai dry day 2024: દુકાનો ક્યારે બંધ થશે?

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં તમામ દારૂની દુકાનો અને સંસ્થાઓ 18 થી 20 મે સુધી બંધ રહેશે. મુંબઈ શહેરમાં 18 મેના રોજ સાંજે 5 વાગ્યે દારૂની દુકાનો અને ( Dry day ) બાર બંધ થઈ જશે. આ પછી, 19 મેના રોજ, આ દુકાનો આખો દિવસ બંધ રહેશે. અને 20 મેના રોજ સાંજે 5 વાગ્યે આ દુકાનો ફરી શરૂ થશે. વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે આ આદેશ જારી કર્યો છે.  

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ મોટી માત્રામાં દારૂની હેરાફેરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ‘ડ્રાય ડે’ દરમિયાન દારૂનો ગુપ્ત સંગ્રહ, દારૂના કાળા બજાર, રાજ્ય બહારથી દાણચોરી, ઉંચી કિંમતે દારૂનું વેચાણ, નકલી દારૂ વગેરેના કિસ્સાઓ સામે આવે છે. તેમજ મતદારો માટે દારૂની પાર્ટીઓનું આયોજન કરવું. જેને રોકવા માટે આબકારી વિભાગ દ્વારા ચૂંટણી પંચની ટીમો સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

 

May 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Luxury Flat Despite skyrocketing house prices in real estate, sales of luxury homes surge Report.. Know more here…
રાજ્ય

Luxury Flat: રિયલ એસ્ટેટમાં ઘરોના ભાવ આસમાને તેમ છતાં, લક્ઝરી ઘરોના વેચાણમાં થયો ધરખમ વધારો: રિપોર્ટ.. જાણો વિગતે અહીં…

by Bipin Mewada November 29, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Luxury Flat: એક સમયે કહેવાયું હતું કે ‘ઘર એક ઘર જેવું હોવું જોઈએ, માત્ર દિવાલો નહીં, અહીં હોવિ જોઈએ પ્રેમ અને આત્મીયતા, માત્ર સંબંધો નહીં’. પરંતુ હવે લોકોનું જીવનધોરણ સુધર્યું છે. પૈસા હાથમાં આવવા લાગ્યા છે. માથાદીઠ આવક વધી રહી છે. અમીર લોકોની યાદી દર વર્ષે મોટી થતી જાય છે. આ કારણે મોંઘા મકાનો ( Expensive houses ) ની માંગ વધી રહી છે. CBREનો જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીનો રિપોર્ટ આવી ગયો છે. દેશના સાત મોટા શહેરોમાં રૂ. 4 કરોડ કે તેથી વધુ કિંમતના લક્ઝરી ફ્લેટ ( Luxury Flat ) ના વેચાણમાં ( Sale ) વધારો થયો છે. મોંઘા અને લક્ઝરી ઘરોની માંગમાં 97 ટકાનો વધારો થયો છે. દેશની અર્થવ્યવસ્થાની ( Economy ) મજબૂતીનું આ પરિણામ છે.

લક્ઝરી ઘરોના વેચાણમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ દેશની મજબૂત થતી અર્થવ્યવસ્થા છે. લોકોની આવક વધી રહી છે. તેનાથી મહાનગરોમાં મોટા અને લક્ઝરી ઘરોની માંગ વધી છે. જ્યારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન આ માંગમાં વધારો થયો હતો, ત્યારે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન તેમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. ડેવલપર્સ હવે સ્માર્ટ હોમ ( Smart Home ) બનાવવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. તેમાં સ્માર્ટ સ્વીચ અને ફોન ક્લિક લાઇટની સાથે અન્ય લક્ઝરી સુવિધાઓ પણ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચોઃ Gujarat: ગુજરાત હાઈકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ અંગેની અરજી ફગાવી.. જાણો વિગતે..

લક્ઝરી હોમ એ ભારતીય રિયલ એસ્ટેટનો મહત્વનો ભાગ બની ગયો છે….

CBRE રિપોર્ટમાં જણાવાયું છે કે આર્થિક વિકાસ, અનુકૂળ નિયમો અને બદલાતી જીવનશૈલીએ પ્રીમિયમ અને લક્ઝરી હાઉસિંગની માંગમાં વધારો કર્યો છે. આ માંગ 2023માં દસ વર્ષની ટોચે હતી. NRIsમાં વૈભવી ઘરોની લોકપ્રિયતા વધી રહી છે. હવે લક્ઝરી હોમ એ ભારતીય રિયલ એસ્ટેટનો મહત્વનો ભાગ બની ગયો છે.

મહાનગરોમાં લક્ઝરી ઘરોની માંગ વધી છે. લક્ઝરી ઘરોની કુલ માંગના 90 ટકા ( Delhi NCR ) દિલ્હી NCR, મુંબઈ ( Mumbai ) અને હૈદરાબાદના શહેરોમાં રહી છે. દિલ્હી-એનસીઆરમાં પણ કુલ માંગ 37 ટકા હતી. 35 હૈદરાબાદ મુંબઈમાં આવાસની કુલ માંગના 18 ટકા હિસ્સો ધરાવે છે. પુણે શહેરમાં વૈભવી ઘરોની માંગ વધી રહી છે. પુણેમાં માંગ 4 ટકા હતી..

November 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar
વેપાર-વાણિજ્ય

National Bank for Agriculture and Rural Development: ભટારના ઉમા ભવન ખાતે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(નાબાર્ડ) દ્વારા બે દિવસીય શિવ શક્તિ સખી મેળાનો પ્રારંભ કરાયો

by Hiral Meria September 26, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

National Bank for Agriculture and Rural Development: નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(નાબાર્ડ) દ્વારા ભટાર ( Bhatar ) સ્થિત ઉમાભાવન ( uma bhavan ) ખાતે શિવ શક્તિ સખી મેળાનો ( Shiva Shakti Sakhi Mela ) પ્રારંભ કરાયો હતો. જેમાં સમગ્ર સુરત ( Surat ) જિલ્લાના ૪૫થી વધુ સખી મંડળો દ્વારા સ્ટોલો ઉભા કરીને ચીજવસ્તુઓનું વેચાણ (  sale ) અને પ્રદર્શન ( exhibition ) યોજાયું છે.

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar 1

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar 1

ગ્રામીણ મહિલાઓને ( rural women ) આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ તેઓને રોજગારી તક આપવાના હેતુસર આયોજિત મેળામાં સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલા મસાલા, અથાણાં, હેન્ડીક્રાફટની વસ્તુઓ, હેન્ડમેડ ઘરેણાં, બાંબુમાંથી બનાવેલા રમકડાં અને ગૃહ સુશોભનની વસ્તુઓ, ગાયના છાણમાંથી તૈયાર કરાયેલા કુંડા, દીવા અને ધૂપ, કોસ્મેટિક ચીજવસ્તુઓ, વેસ્ટ ફૂલોમાંથી તૈયાર કરાયેલી અગરબત્તીઓ, મેક્રમમાંથી બનાવેલી વસ્તુઓ માટેનાં સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

 આ સમાચાર પણ વાંચો : Mumbai Mantralaya News: શિક્ષકની ભરતી માટે યુવાનોનો મંત્રાલયમાં વિરોધ, સુરક્ષા જાળમાં ઝંપલાવ્યું.. જુઓ વિડીયો

ડાંગ, વલસાડ, માંડવી, પલસાણા અને ઓલપાડ સહિતના વિવિધ તાલુકાઓમાંથી વેચાણ અર્થે આવેલા સખી મંડળોની વિવિધ બનાવટોનો શહેરીજનોને બે દિવસ ખરીદીનો લાભ મળશે.

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

September 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amazon Great Freedom Festival sale: Discount on iPhone, iPad, AirPods and other Apple products
વેપાર-વાણિજ્ય

Amazon Great Freedom Festival sale: ઓનલાઈન શોપિંગના શોખિનો માટે ખાસ ખબર, એમેઝોન સેલની તારીખો બદલાઈ.. એપલના પ્રોડક્ટસ પર ભારે ડિસકાઉન્ટ્સ.. જાણો અહીં સંપુર્ણ વિગતો…

by Dr. Mayur Parikh August 4, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

Amazon Great Freedom Festival sale: ઑનલાઇન ખરીદદારો માટે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે. ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને તેના ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલની તારીખોમાં ફેરફાર કર્યો છે. હવે આ ઈવેન્ટ 5 અને 9 ઓગસ્ટની વચ્ચે લાઈવ થવાને બદલે 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટની વચ્ચે થશે. નવીનતમ અપડેટમાં એમેઝોને કિકસ્ટાર્ટર ડીલ્સ રદ કરવાની જાહેરાત કરી હતી. યુઝર્સ હજુ પણ 3જી ઓગસ્ટના રોજ બપોરે 12:00 વાગ્યાથી પ્રાઇમ નંબરની ઝટપટ ઍક્સેસ મેળવવાની વિશેષ તકની રાહ જોઈ શકે છે.

એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ સેલ 2023ની સુધારેલી તારીખ

એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ: ઓગસ્ટ 4 થી ઓગસ્ટ 8
પ્રાઇમ સભ્યો માટે ઈન્સ્ટન્ટ ઍક્સેસ: 3જી ઓગસ્ટ, બપોરે 12:00 વાગ્યા સુધી 4ઠ્ઠી ઓગસ્ટ, મધ્યરાત્રિ
ગ્રેટ ફ્રિડમ ફેસ્ટિવલ : 4 ઓગસ્ટ, 12:00 મધ્યરાત્રિથી 8 ઓગસ્ટ, મધ્યરાત્રિ

Apple ના 10 લેટેસ્ટ પ્રોડક્ટ પર ડિકાઉન્ટ્સ..

1) Apple iPhone 14 128GB: રૂ. 66,999માં ઉપલબ્ધ (મૂળ કિંમત): (રૂ. 79,900) Apple iPhone 14 એ A15 Bionic દ્વારા સંચાલિત છે અને તેમાં 6.1-ઇંચની ડિસ્પ્લે છે. ફોન ડ્યુઅલ 12MP રિયર કેમેરા અને ફ્રન્ટમાં 10MP કેમેરાથી સજ્જ છે. બેંક ઓફરના ભાગ રૂપે ખરીદદારો 1,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.

2) Apple iPhone 12 (64GB): રૂ. 53,999 (મૂળ કિંમત: રૂ. 59,900)માં ઉપલબ્ધ iPhone 12 માં 6.1-ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે છે અને તે A14 બાયોનિક ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોન પાછળના ભાગમાં ડ્યુઅલ 12MP સેન્સર સાથે આવે છે.

3) Apple 2020 MacBook Air લેપટોપ M1: 79,990 રૂપિયામાં ઉપલબ્ધ (મૂળ કિંમત: રૂ. 92,900) Apple MacBook Air M1 8GB RAM, 256GB સ્ટોરેજ, બેકલિટ કીબોર્ડ, રેટિના ડિસ્પ્લે સાથે આવે છે અને લગભગ 18 કલાકની બેટરી લાઇફ આપવાનો દાવો કરે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Houses Cost: મુંબઈમાં મકાનોના ભાવમાં વધારો; આંકડાઓ અનુસાર આ વર્ષ દરમિયાન ખરીદીમાં મંદીના કારણે સરકારને થયું નુકસાન… સંપુર્ણ રિપોર્ટ વાંચો અહીંયા

4) Apple iPad: 27,990 રૂપિયામાં ઉપલબ્ધ (મૂળ કિંમત: રૂ. 30,900) Apple iPad 10.2-ઇંચ છેલ્લી પેઢીનું મોડલ છે અને તે 10.2-ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. તે 1લી જનરેશન એપલ પેન્સિલને પણ સપોર્ટ કરે છે.

5) Apple Watch SE (2nd Gen): રૂ. 24,999માં ઉપલબ્ધ (મૂળ કિંમત: રૂ. 29,900) ઘડિયાળ હાર્ટ રેટ મોનિટર, સ્લીપ ટ્રેકિંગ, ક્રેશ ડિટેક્શન અને વધુ જેવી સુવિધાઓ સાથે આવે છે. તે watchOS નું નવીનતમ સંસ્કરણ પણ ચલાવે છે. આ અત્યારે બજારમાં સૌથી સસ્તું એપલ વોચ છે.

6) Apple વૉચ સિરીઝ 8: 36,900 રૂપિયામાં ઉપલબ્ધ (મૂળ કિંમત: 45,900 રૂપિયા) Apple Watch Series 8, વર્તમાન જનરેશના મોડલને Amazon સેલ દરમિયાન 20% ડિસ્કાઉન્ટ મળ્યું છે. ઘડિયાળ ECG, હંમેશા ચાલુ રેટિના ડિસ્પ્લે, SpO2 મોનિટર અને વધુ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે.

7) Apple AirPods (2nd Gen): 8,999 રૂપિયામાં ઉપલબ્ધ (મૂળ કિંમત: રૂ. 14,900) 2nd Genના એરપોડ્સ બહેતર કનેક્ટિવિટી અને ઑડિયો ગુણવત્તા માટે Apple H1 હેડફોન ચિપ સાથે આવે છે. તે ચાર્જિંગ કેસ સાથે આવે છે અને કાનને સંપુર્ણ રીતે સપોર્ટ કરે છે.

8) Apple 20W USB-C પાવર એડેપ્ટર: 1,579 રૂપિયામાં ઉપલબ્ધ (મૂળ કિંમત: રૂ. 1,900) Apple 20W USB Type-C પાવર એડેપ્ટર iPhone 14 અને new Genના iPad Pro મોડલ્સ સહિત iPads અને iPods સાથે તાજેતરમાં લૉન્ચ થયેલા iPhones સાથે સુસંગત છે.

9) Apple પેન્સિલ 2જી-જનરેશન: 9,990 રૂપિયામાં ઉપલબ્ધ છે (મૂળ કિંમત: રૂ. 11,990) 2જી જનરેશનની Apple પેન્સિલ હવે વેનીલા આઈપેડ સહિત સમગ્ર આઈપેડ લાઇનઅપ સાથે સુસંગત છે.

10) Apple MagSafe ચાર્જર: 3,464 રૂપિયામાં ઉપલબ્ધ (મૂળ કિંમત: રૂ. 4,500) Apple MagSafe ચાર્જર iPhone 11 પછી લૉન્ચ થયેલા તમામ iPhones સાથે કામ કરે છે. ચાર્જર AirPods સાથે પણ સુસંગત છે.

 

August 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bakra Eid 2023: Bakra Eid Uproar in Mumbai high-rise society, There were chants of Jai Shri Ram.
મુંબઈ

Bakri id 2023: એશિયાના સૌથી મોટા કતલખાના દેેવનારમાં બકરી ઈદના ઉમટી પડ્યા વિક્રેતાઓ, અધધ આટલા લાખ બકરા-ઘેટાંનું થયું વેચાણ..

by Dr. Mayur Parikh July 4, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Bakri id 2023: બકરી ઈદના અવસરે એશિયાના સૌથી મોટા કતલખાના તરીકે પ્રતિષ્ઠિત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના દેવનાર કતલખાનામાં મોટી સંખ્યામાં પ્રાણીઓ પ્રવેશ્યા હતા. જેમાં 1 લાખ 77 હજાર 278 બકરા અને ઘેટાં અને 16 હજાર 350 ભેંસોનો સમાવેશ થાય છે. તેમાંથી 1 લાખ 68 હજાર 489 બકરા-ઘેટાં અને 16 હજાર 350 ભેંસનું વેચાણ થયું હતું.

ગયા અઠવાડિયે બકરી ઈદના તહેવાર નિમિત્તે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના દેવનાર કતલખાના વિસ્તારમાં સંબંધિત વિક્રેતાઓને જગ્યા આપવા માટે કાર્યવાહી કરી રહી છે. આ અનુસંધાનમાં, દેવનાર કતલખાનામાં સેવાઓ અને સુવિધાઓ વધુ અસરકારક રીતે પ્રદાન કરવા માટે નગરપાલિકા પ્રશાસક સતત વિવિધ પ્રયાસો કરી રહ્યા હતા. આ વિવિધ કક્ષાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને વહીવટદાર શ્રી. ઇકબાલ સિંહ ચહલ, અધિક મ્યુનિસિપલ કમિશનર (શહેર) શ્રી. શ્રવણ હાર્ડીકર, ડેપ્યુટી કમિશનર (એન્જિનિયરિંગ) શ્રી. અશોક મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હોવાની માહિતી દેવનાર કતલખાનાના જનરલ મેનેજર ડૉ. કાલિમપાશા પઠાણે આપી છે.

વિક્રેતાઓ ઉમટી પડ્યા

બકરી ઈદના તહેવાર નિમિત્તે દેવનાર કતલખાનામાં તમામ પ્રકારની વ્યવસ્થા સુચારૂ વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ ગયા અઠવાડિયે આયોજિત ‘બકરી ઈદ’ (ઈદ-ઉલ-ઝુઆ) તહેવાર માટે દેશના વિવિધ ભાગોમાંથી વિક્રેતાઓ દેવનાર કતલખાનામાં ઉમટી પડ્યા હતા. સામાન્ય રીતે આ વિક્રેતાઓ તહેવારના 10 થી 15 દિવસ પહેલા દેવનાર કતલખાનામાં પ્રવેશતા હતા. તેમની સાથે 1 લાખ 77 હજાર 278 બકરીઓ અને 16 હજાર 350 ભેંસ દાખલ કરવામાં આવી હતી. તેમાંથી 1 લાખ 68 હજાર 489 બકરા-ઘેટાં અને 16 હજાર 350 ભેંસનું વેચાણ થયું હતું.

દેવનાર કતલખાનાના 64 એકર પર, ‘બકરી ઈદ’ના હેતુ માટે બકરા અને ભેંસ માટે કાયમી રહેવાની ક્ષમતા સાથે 77,000 ચોરસ મીટરના વિસ્તારમાં વધારાના આશ્રયસ્થાનો અને પેવેલિયન બનાવવામાં આવ્યા હતા. પશુઓ માટે પાણી, ઘાસચારો, પ્રાથમિક પશુ આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી હતી. કતલખાનાના ‘બફેલો શોક’ ખાતે પશુઓ માટે નવો શેડ બનાવવામાં આવ્યો હતો. તેમજ અગાઉના શેડનું સમારકામ કરવામાં આવ્યું હતું. ‘મૈસ ધક્કા’ ખાતે, મહારાષ્ટ્ર સરકારના પશુપાલન વિભાગ હેઠળના વેટરનરી અધિકારીઓ દ્વારા વેચાણ માટે લાવવામાં આવેલા પ્રાણીઓની તબીબી તપાસ કરવામાં આવી હતી. તબીબી તપાસ બાદ જ આ પ્રાણીઓને વેચવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બાબતની નોંધ લેવી જોઈએ તેમ ડો. પઠાણે માહિતી આપી છે.

આ સમાચાર પણ વાંચો:  Anil Ambani: ગઈ કાલે અનિલ અંબાણી, તો આજે તેમની પત્ની ED સમક્ષ થઈ હાજર.. જાણો શું છે સમગ્ર મામલો..

ફૂડ ઝોન’ બનાવવામાં આવ્યો

મોટી સંખ્યામાં ખરીદદારો આવતા હોવાથી આ સ્થળે એક વિસ્તારમાં ‘ફૂડ ઝોન’ બનાવવામાં આવ્યો હતો. જેથી મુલાકાતીઓને સુવિધા મળી હતી. મુલાકાતીઓ માટે પાણીના ફુવારા પણ ગોઠવવામાં આવ્યા હતા. પીવાના પાણીના પુરવઠા માટે વિવિધ સ્થળોએ ટાંકીઓ પણ ગોઠવવામાં આવી હતી. પ્રાણીઓ માટે પીવાના પાણીની વાત કરીએ તો દરેક મહેલની નજીક 5000 લિટર પાણીની ટાંકી મૂકવામાં આવી હતી.

દેવનાર કતલખાનાના પરિસરમાં સુરક્ષા

આ વર્ષે, અસરકારક સુરક્ષા માટે દેવનાર કતલખાનાના પરિસરમાં 300 ‘ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા’ (CCTV) કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા હતા. તેની સાથે 12 પેન-ટિલ્ટ-ઝૂમ (PTZ) કેમેરા, 1 વિડિયો વોલ, 5 LED સ્ક્રીન લગાવવામાં આવી હતી. નાગરિકોની સુરક્ષા માટે હેન્ડ મેટલ ડિટેક્ટર, વોકી ટોકી, ડોર મેટલ ડિટેક્ટર વગેરે જેવા અત્યાધુનિક ઉપકરણો સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સુરક્ષા વિભાગ અને મુંબઈ પોલીસ માટે કંટ્રોલ રૂમમાંથી દેવનાર કતલખાનાના પરિસર પર નજર રાખવાનું સરળ બન્યું.

સ્વચ્છતા જાળવવા માટે કતલખાનાના પરિસરમાં કામદારો ચોવીસ કલાક કામ કરી રહ્યા હતા. વિસ્તારમાંથી કચરો અને મરેલા પ્રાણીઓને દૂર કરવા વધારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે શહેરીજનોની સુવિધા માટે શૌચાલય અને મોબાઈલ ટોઈલેટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જનરલ મેનેજર ડો. કાલિમપાશા પઠાણે આપી હતી.

આ દેશોમાં કરવામાં આવે છે માંસની સપ્લાય

ઉલ્લેખનીય છે કે દેવનાર ભારતનું એક માત્ર એવું કતલખાનું છે જેના ઘણાં ફર્મને આંતરરાષ્ટ્રીય બજારમાં માન્યતા મળી છે. અહીંથી યુએઈ, ઓસ્ટ્રેલિયા સહિત ઘણાં દેશોમાં માંસની સપ્લાય કરવામાં આવે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અહીં અંદાજે રોજ 10થી 15 કરોડનું માંસ વેચાય છે.

July 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક