• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - sameer wankhede
Tag:

sameer wankhede

Sameer Wankhede દિલ્હી હાઈકોર્ટે શાહરૂખ ખાન-ગૌરી ખાનની રેડ ચિલીઝને
મનોરંજન

Sameer Wankhede: દિલ્હી હાઈકોર્ટે શાહરૂખ ખાન-ગૌરી ખાનની રેડ ચિલીઝને મોકલ્યું સમન્સ, નેટફ્લિક્સ વિરુદ્ધ પણ નોટિસ જારી, જાણો સમગ્ર મામલો

by Dr. Mayur Parikh October 8, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 
Sameer Wankhede દિલ્હી હાઈકોર્ટે શાહરૂખ ખાન, ગૌરી ખાન, તેમની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સહિત અન્ય ઘણા લોકોને સમન્સ જારી કર્યા છે. આ મામલો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી), મુંબઈના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર અને આઈઆરએસ અધિકારી સમીર વાનખેડેના માનહાનિના કેસને લઈને છે. સમીર વાનખેડેએ નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’માં પોતાની મજાક ઉડાવવા બદલ અરજી દાખલ કરી છે. આ વેબ સિરીઝથી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. સમીર વાનખેડેનો દાવો છે કે આ સિરીઝે તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે.

₹2 કરોડનું વળતર અને કેન્સર હોસ્પિટલને દાનની માંગ

સમીર વાનખેડેની અરજીમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, નેટફ્લિક્સ અને અન્યને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમણે કોર્ટ પાસે માંગ કરી છે કે આ મામલામાં એક કાયમી અને ફરજિયાત નિષેધાજ્ઞા (Permanent and Mandatory Injunction) આપવામાં આવે. એટલું જ નહીં, તેમણે માનહાનિના બદલામાં ₹2 કરોડનું વળતર પણ માંગ્યું છે, જેને તેમણે કેન્સરના દર્દીઓની સારવાર માટે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાન કરવાની વિનંતી કરી છે.

વાનખેડેનો આરોપ: જાણી જોઈને બદનામ કરવાનો પ્રયાસ

આઈઆરએસ અધિકારી વાનખેડેએ પોતાની અરજીમાં કહ્યું છે કે, ‘આ સિરીઝ માદક દ્રવ્ય વિરોધી પ્રવર્તન એજન્સીઓને ભ્રામક અને નકારાત્મક અંદાજમાં દર્શાવે છે. તેનાથી કાયદા પ્રવર્તન સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ ઓછો થાય છે.’ તેમણે દલીલ કરી કે આ સિરીઝની ‘જાણીજોઈને સંકલ્પના તૈયાર કરવામાં આવી અને તેને સમીર વાનખેડેની પ્રતિષ્ઠાને બદનામ કરવાના ઈરાદાથી તૈયાર કરવામાં આવી.’ તેમણે વધુમાં કહ્યું કે આ ‘અશ્લીલ અને આપત્તિજનક સામગ્રીના ઉપયોગથી રાષ્ટ્રીય ભાવનાઓને ઠેસ પહોંચાડવા’નો પ્રયાસ છે.

આ સમાચાર પણ વાંચો : Akhilesh Yadav: અખિલેશ યાદવને બરેલીમાં નો એન્ટ્રી, હવે એરપોર્ટ પરથી સીધા આ જગ્યા એ જશે

શોના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધની માંગ

અરજદાર વાનખેડેએ કોર્ટ પાસે શોના સ્ટ્રીમિંગ અને ડિસ્ટ્રીબ્યુશન પર રોક લગાવવાની માંગ કરી છે. સાથે જ તેને અપમાનજનક જાહેર કરવા વિનંતી કરી છે. વાનખેડે વિરુદ્ધ સીબીઆઈએ બે વર્ષ પહેલા, મે 2023માં એક કેસ દાખલ કર્યો હતો, જેમાં તેમના પર આર્યન ખાન સાથે જોડાયેલા 2021ના ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન શાહરૂખ ખાન પાસેથી ₹25 કરોડની ખંડણી વસૂલવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. સમીર વાનખેડેએ આ આરોપોનું ખંડન કર્યું છે.

October 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sameer Wankhede દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ
Main Postમનોરંજન

Sameer Wankhede: દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો

by Dr. Mayur Parikh September 26, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Sameer Wankhede દિલ્હી હાઈકોર્ટે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના મુકદ્દમાની અરજીની સ્વીકાર્યતા પર સવાલો ઉઠાવ્યા છે. સમીર વાનખેડેએ શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાનની માલિકીની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે આ કંપનીઓએ તેમની સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ માં કથિત રીતે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સિરીઝ આર્યન ખાન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : OpenAI: એ લોન્ચ કર્યું ફીચર,જાણો કેવી રીતે થશે તેનો ઉપયોગ

કોર્ટે સંશોધન માટે આપ્યો સમય

મીડિયા રિપોર્ટ મુજબ ન્યાયમૂર્તિ પુરુષેન્દ્ર કુમાર કૌરવે વાનખેડેના વકીલને સવાલ કર્યો કે આ અરજી દિલ્હીમાં કેવી રીતે સ્વીકાર્ય છે? તેના જવાબમાં વાનખેડેના વકીલ એ કહ્યું કે આ વેબ સિરીઝ દિલ્હી સહિત તમામ શહેરો માટે છે અને અધિકારીને અહીં બદનામ કરવામાં આવ્યા છે.જોકે, વકીલે કહ્યું કે તેઓ તેમની અરજીમાં સંશોધન (Amendment) કરશે. ત્યારબાદ કોર્ટે તેમને ફરીથી સાચી અરજી દાખલ કરવા માટે સમય આપ્યો છે, જેના પછી જ કોર્ટ આ મામલે સુનાવણી કરશે. કોર્ટના આ નિર્ણયથી હાલ પૂરતી કેસની સુનાવણી ટળી ગઈ છે.

September 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sameer Wankhede Sues Shah Rukh Khan's Company
મનોરંજન

Sameer Wankhede: સમીર વાનખેડેએ ખખડાવ્યો દિલ્હી હાઇકોર્ટ નો દરવાજો, શાહરૂખ ખાનની કંપની પર કર્યો આ કેસ, જાણો સમગ્ર મામલો

by Zalak Parikh September 25, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sameer Wankhede:  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) મુંબઈના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ શાહરૂખ ખાનની કંપની ‘રેડ ચિલીઝ’, નેટફ્લિક્સ અને અન્ય સામે દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે ‘રેડ ચિલીઝ’ની સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ માં ખોટી, દ્વેષપૂર્ણ અને બદનક્ષીભરી સામગ્રી છે, જેનો ઉદ્દેશ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે.’ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ નું નિર્દેશન આર્યન ખાને કર્યું છે. આ સિરીઝ તાજેતરમાં રિલીઝ થઈ છે અને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. વાનખેડેએ આ શોના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. આશા છે કે દિલ્હી હાઈકોર્ટ ટૂંક સમયમાં આ મામલે સુનાવણી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Milan Film Festival 2025: મિલાન ફેશન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો બોલ્ડ લુક થયો વાયરલ, અભિનેત્રી એ જાહેર કરી ‘અલ્ફા’ ફિલ્મની રિલીઝ ડેટ

અરજીમાં લગાવ્યા ગંભીર આરોપ

પોતાના કેસ માં સમીર વાનખેડેએ પ્રોડક્શન હાઉસ, નેટફ્લિક્સ અને અન્ય સામે કાયમી અને ફરજિયાત રાહત, જાહેરાત અને વળતર સ્વરૂપે રાહત માંગી છે. તેમણે કહ્યું કે આર્યન ખાનના નિર્દેશનમાં બનેલા પહેલા શો ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ માં એક ખોટા, દ્વેષપૂર્ણ અને બદનક્ષી કરતા વીડિયોથી તેમને ઠેસ પહોંચી છે.

Sameer Wankhede, former NCB Mumbai zonal director, has filed a defamation suit in the Delhi High Court against Red Chillies Entertainment Pvt. Ltd., owned by actor Shah Rukh Khan and Gauri Khan, global streaming platform Netflix, and others. He alleges that their series “Ba**ds…

— ANI (@ANI) September 25, 2025


તેમણે અરજીમાં દાવો કર્યો છે કે આ સિરીઝ દવાઓના અમલીકરણ કરતી એજન્સીઓને ખોટી અને અપમાનજનક રીતે દર્શાવે છે, જેનાથી લોકોનો આ સંસ્થાઓ પ્રત્યેનો વિશ્વાસ ઓછો થાય છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ સિરીઝ જાણીજોઈને સમીર વાનખેડેની પ્રતિષ્ઠાને ખોટી રીતે બગાડવાના ઈરાદાથી તૈયાર કરવામાં આવી છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેમની અને આર્યન ખાન સાથે જોડાયેલી કાર્યવાહી બોમ્બે હાઈકોર્ટ અને મુંબઈની NDPS વિશેષ અદાલતમાં ચાલી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
aryan khan drug case investigator sameer wankhede denies leaking shahrukh khan chat
મનોરંજન

Aryan khan drug case: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ની ધરપકડ પર સમીર વાનખેડે એ કહી આવી વાત, ચેટ લીક કરવા પર આપ્યો જવાબ

by Zalak Parikh January 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aryan khan drug case: શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ની વર્ષ 2021 માં ડ્રગ કેસ માં ધરપકડ કરવામાં આવી હતી. આર્યનને જામીન મળ્યા પહેલા 25 દિવસ જેલમાં વિતાવ્યા હતા અને બાદમાં તેને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલાની તપાસ સમીર વાનખેડે દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સમીર વાનખેડે પર ઘણા આરોપ પણ લાગ્યા હતા.સમીર પર શાહરૂખ ખાન સાથેની તેની લીક થયેલી ચેટ અને આર્યનને છોડાવવા માટે લાંચ લેવાના આરોપો પણ લાગ્યા હતા. હવે સમીરે આ અંગે ખુલીને વાત કરી છે.

આ સમાચાર પણ વાંચો: Pushpa 2: દંગલ નો આ રેકોર્ડ તોડવા તરફ આગળ વધી પુષ્પા 2, આમિર ખાને એડવાન્સ માં આપેલા અભિનંદન પર અલ્લુ અર્જુને આપી આવી પ્રતિક્રિયા

શાહરુખ ખાન અને આર્યન ખાન મામલે સમીર વાનખેડે એ કરી વાત

એક ઇન્ટરવ્યૂ દરમિયાન સમીર વાનખેડે ને શાહરુખ ખાન અને આર્યન ખાન વિશે પૂછવામાં આવ્યું હતું જેના જવાબ માં સમીરે કહ્યું, ‘હું એમ નહીં કહું કે મને નિશાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હું કહીશ કે હું સૌથી નસીબદાર વ્યક્તિ છું. કારણ કે મને મધ્યમ વર્ગના લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો, જેમનું નસીબ એટલું સારું નથી. ક્યારેક મને લાગે છે કે મને જે પ્રેમ મળ્યો છે તેના કારણે આ બધું સહન કરવું યોગ્ય છે. તેની નજરમાં કોઈ વ્યક્તિ ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિએ સમાન નિયમો સાથે કાયદાનો સામનો કરવો જોઈએ. મને કોઈ અફસોસ નથી, જો મને ફરી તક મળશે તો હું ફરી આવું જ કરીશ.’

 

View this post on Instagram

 

A post shared by NEWJ (@newjplus)


સમીર વાનખેડે ને જયારે શાહરુખ ખાન અને તેની ચેટ લીક કરવા પર પૂછવામાં આવ્યું ત્યારે સમીરે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે કોર્ટમાં સબમિટ કરેલા સોગંદનામાને ટાંક્યો હતો જે તેને આ કેસ વિશે બોલવા માટે પ્રતિબંધિત કરે છે. જોકે, તેણે સ્પષ્ટતા કરી હતી કે તેણે ચેટ લીક કરી નથી. તેણે કહ્યું, ‘હું એટલો નબળો નથી કે વસ્તુઓ લીક કરી દઉં.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું શાહરૂખ ખાન અને આર્યનને પીડિતા જેવા દેખાડવા માટે ચેટ જાણીજોઈને લીક કરવામાં આવી હતી? તો તેણે જવાબ આપ્યો, ‘જેણે પણ આ કર્યું છે, હું તેને કહીશ કે વધુ પ્રયત્ન કરે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
sameer wankhede reacts on shahrukh khan film jawan dialogue
મનોરંજન

Sameer wankhede: સમીર વાનખેડે એ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પહલે’ પર આપ્યું આવું રિએક્શન

by Zalak Parikh December 18, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Sameer wankhede: સમીર વાનખેડે ત્યારે ચર્ચામાં આવ્યો  જયારે તેને શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ને ડ્રગ કેસમાં પકડ્યો હતો.સમીર વાનખેડે એ ત દરમિયાન ખુબ લાઈમલાઈટમાં રહ્યો હતો. ત્યારે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પહલે’ ચર્ચામાં આવ્યો હતો હવે આ  મામલે સમીર વાનખેડે એ રિકેશન આપ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 પર થયો નોટો નો વરસાદ, અલ્લુ અર્જુન ની ફિલ્મે 11 માં દિવસે કરી અધધ આટલી કમાણી

સમીર વાનખેડે એ જવાન ના ડાયલોગ પર આપ્યું રિકેશન 

સમીર વાનખેડે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો  જેમાં તેને શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ડાયલોગ ‘બેટે કો હાથ લગાને સે પહલે’ વિશે પૂછવામાં આવ્યું હતું જેના જવાબ માં સમીરે કહ્યું કે,  “જુઓ, હું કોઈનું નામ લઈને કોઈને પ્રખ્યાત કરવા નથી માંગતો, જે ચેટ્સ લીક ​​થઈ છે તે માનનીય હાઈકોર્ટ સમક્ષ છે, તેથી હું તેના પર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી.મેં કહ્યું હતું કે, આ તે સંવાદો છે જે તમે કહ્યું છે અને હું ફિલ્મો જોતો નથી, ‘બાપ’, ‘બેટા’, આ ખૂબ જ સસ્તા અને થર્ડ ક્લાસ શબ્દો લાગે છે. અમારી ભારતીય સંસ્કૃતિમાં, અમે આવા શબ્દોનો ઉપયોગ કરતા નથી, તેથી આ રોડ-સાઇડ ડાયલોગ્સ છે અને હું મારી જાતને આ સ્તર પર જઈને રસ્તાની બાજુના સંવાદોનો પ્રતિસાદ આપવાની અપેક્ષા રાખતો નથી.”

Bete ko hath lagane se pehle baap se baat kar 🔥
SRK dialogue delivery 💥#Jawan success event pic.twitter.com/NbJzKFvhqY

— Syed Irfan Ahmad (@Iam_SyedIrfan) October 3, 2023


તમને જણાવી દઈએ કે વર્ષ 2023 માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ બસ્ટ કેસના સંબંધમાં સમીર વાનખેડે ઉપરાંત પાંચ લોકો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

December 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Elections 2024 Will Sameer Wankhede make his political debut in upcoming Assembly elections
મુંબઈMain PostTop Postરાજકારણરાજ્ય

Maharashtra Elections 2024: કિંગખાનના પુત્રને જેલમાં ધકેલનાર અધિકારી સમીર વાનખેડેની થશે રાજનીતિમાં એન્ટ્રી!? જાણો કઈ પાર્ટીમાંથી મળશે ટિકિટ અને ક્યાંથી લડશે ચૂંટણી…

by kalpana Verat October 17, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Maharashtra Elections 2024:  દેશના સૌથી પ્રખ્યાત અને હાઈપ્રોફાઈલ આઈઆરએસ ઓફિસર સમીર વાનખેડે હવે રાજકારણમાં આવવા જઈ રહ્યા છે. અટકળો છે કે વાનખેડે મુંબઈની ધારાવી સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આ અંગે એકનાથ શિંદેની શિવસેના સાથે તેમની વાતચીત પણ થઈ ગઈ છે.  મીડિયા રિપોર્ટ અનુસાર હાઈપ્રોફાઈલ આઈઆરએસ ઓફિસર સમીર વાનખેડે ટૂંક સમયમાં એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની એનસીપી સાથે લડી રહી છે.

Maharashtra Elections 2024:  સમીર વાનખેડે  નોકરીમાંથી આપી શકે છે રાજીનામું 

અહેવાલ છે કે સમીર વાનખેડે ટૂંક સમયમાં નોકરીમાંથી રાજીનામું આપી શકે છે. રાજીનામું આપ્યા બાદ તેઓ શિવસેના (શિંદે)માં જોડાઈ શકે છે. જે વાનખેડે બેઠક પરથી ચૂંટણી લડવાની ચર્ચા છે તે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડની પરંપરાગત બેઠક છે. ધારાવી પહેલા તેઓ ધારાસભ્ય હતા, પરંતુ 2024માં તેઓ સાંસદ સીટ જીતીને લોકસભામાં પહોંચ્યા છે. 2019ની ચૂંટણીમાં શિવસેનાના આશિષ વસંત મોરે આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ આશિષને વર્ષાએ હાર આપી હતી. હવે મહાયુતિ આ બેઠકને હોટ સીટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

Maharashtra Elections 2024:  આર્યન અને રિયા આ કેસને કારણે ચર્ચામાં આવ્યા હતા

સમીર વાનખેડે રિયા ચક્રવર્તી અને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન કેસને કારણે ચર્ચામાં આવ્યા હતા. તે સમયે વાનખેડે મુંબઈ નાર્કોટિક્સ વિભાગમાં પોસ્ટેડ હતા. જો કે, 2023 માં, વાનખેડે પોતે જ વિવાદોમાં ફસાઈ ગયો અને તેની સામે બે મોટી બેક ટુ બેક કાર્યવાહી કરવામાં આવી. પહેલા તેને વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો અને પછી ફેબ્રુઆરી 2024માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની સામે કેસ નોંધ્યો. જોકે, એપ્રિલ 2024માં કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : Baba Siddique murder : બાબા સિદ્દીકીની હત્યામાં ઓસ્ટ્રેલિયા-તુર્કી કનેક્શનનો ખુલાસો… બધું પહેલેથી જ પ્લાનિંગ હતું, સત્ય જાણીને પોલીસ પણ ચોંકી ગઈ..

Maharashtra Elections 2024:  હવે સમીર વાનખેડેની વાર્તા

મુંબઈ, મહારાષ્ટ્રમાં જન્મેલા સમીર વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ મુંબઈથી પૂર્ણ કર્યું. સમીરની છેલ્લી મોટી પોસ્ટિંગ નાર્કોટિક્સ વિભાગના ઝોનલ ચીફ તરીકે હતી. એવું કહેવાય છે કે તેની આખી કારકિર્દીમાં વાનખેડેએ 17 હજાર કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જે એક રેકોર્ડ છે. વાનખેડેએ ઘણા મોટા કેસની તપાસ કરી છે. આમાં સુશાંત સિંહ ડ્રગ્સ કેસ અને આર્યન ખાન કેસ મહત્વપૂર્ણ છે.

 

October 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sameer wankhede filled defamation case against rakhi sawant and ali kaashif khan
મનોરંજન

Rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, આ મામલે સમીર વાનખેડે એ કર્યો ડ્રામા ક્વીન વિરુદ્ધ કેસ

by Zalak Parikh March 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Rakhi sawant: રાખી સાવંત તેની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. હવે રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે રાખી સાવંત કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ રાખી સાવંત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે એ રાખી સાવંત ના વકીલ કાશિફ અલી ખાન અને રાખી સાવંત પર તેની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે, જેના બદલામાં તેણે 11 લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે.

 

રાખી વિરુદ્ધ નોંધાયો કેસ 

મીડિયા રિપોર્ટ મુજબ સમીર વાનખેડેએ પોતાના મુકદ્દમામાં 2023ના એક ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો છે, કાશિફ અલી ખાને એવા નિવેદનો આપ્યા હતા જે જાણીજોઈને ખોટા અને ‘બનાવટી, પાયાવિહોણા’ હતા. આટલું જ નહીં, મુકદ્દમામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કાશિફ અલીએ સમીર વાનખેડેને મીડિયામાં ભ્રમિત અને સેલેબ્સને નિશાન બનાવનાર ગણાવ્યા છે, જેના કારણે સમીર વાનખેડેની છબી કલંકિત થઈ છે. આ કારણોસર હવે સમીર વાનખેડેએ 11 રૂપિયાનો દાવો દાખલ કર્યો છે અને વળતરની માંગણી કરી છે.

આ સમાચાર પણ વાંચો : Vikrant Massey: સારા અલી ખાન ને લઈને આવું વિચારતો હતો વિક્રાંત મેસી, બાદ માં અભિનેતા એ માંગી અભિનેત્રી ની માફી,જાણો સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે આ મામલે સમીર વાનખેડેએ કહ્યું છે કે કાશિફ અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેને રાખી સાવંતે ફરીથી શેર કરી હતી.

 

March 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Sameer Wankhede ED files money laundering case against ex-NCB Mumbai zonal director Sameer Wankhede
દેશTop Post

Sameer Wankhede : કિંગ ખાનનું ટેન્શન વધારનાર અધિકારી મુકાયા મુશ્કેલીમાં! પૈસાની હેરાફેરી કરી? તપાસ એજન્સી ઇડી આવી એક્શનમાં..

by kalpana Verat February 10, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Sameer Wankhede : મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે હવે નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. સીબીઆઈ બાદ હવે ઇડીએ ( ED ) સમીર વાનખેડે વિરુદ્ધ મની લોન્ડરિંગનો ( Money Laundering ) કેસ નોંધ્યો છે. ઇડીએ એ સમીર વાનખેડે સામે મની લોન્ડરિંગ કેસની તપાસ શરૂ કરી છે અને ત્રણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ( NCB ) ના અધિકારીઓને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. 

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ સમીર વાનખેડે અને અન્ય બે અધિકારીઓ સામે NCB દ્વારા હાથ ધરવામાં આવેલી વિજિલન્સ તપાસમાં બહાર આવ્યું છે કે તેઓએ કોર્ડેલિયા ક્રૂઝ કેસમાં ( Cordelia Cruise case ) તેમના પુત્ર આર્યન ખાનની ( Aryan Khan ) મુક્તિ માટે અભિનેતા શાહરૂખ ખાન ( Shah Rukh Khan ) પાસેથી કથિત રીતે ખંડણીની માંગણી કરી હતી.

લાંચ માંગવાનો આરોપ

અહેવાલો મુજબ સમીર વાનખેડે પર તેના પુત્ર આર્યન ખાનને ઓક્ટોબર 2021ના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાવવાથી બચાવવા અભિનેતા શાહરૂખ ખાન પાસેથી ₹25 કરોડની લાંચ માંગવાનો આરોપ છે. આ સિવાય તેમની સામે આવકના જાણીતા સ્ત્રોતોથી વધુ સંપત્તિ મેળવવાનો કેસ પણ પેન્ડિંગ છે. મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા NCBના કેટલાક અધિકારીઓને સમન્સ પાઠવ્યા બાદ વાનખેડેએ આ સપ્તાહની શરૂઆતમાં બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે કોર્ટને ED ECIR રદ કરવા અને કોઈ શિક્ષાત્મક પગલાં ન લેવાની અપીલ કરી છે. આ પહેલા તેણે સીબીઆઈ કેસમાં પણ આવી જ અરજી કરી હતી. તે કેસમાં સમીર વાનખેડેને હાઈકોર્ટે રક્ષણ આપ્યું છે.

સમીર વાનખેડે એ આ આરોપોને નકારી કાઢ્યા

ઈડીએ ગયા વર્ષે મે મહિનામાં દાખલ કરાયેલી સીબીઆઈ એફઆઈઆરના આધારે થોડા દિવસો પહેલા ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (આઈઆરએસ) અધિકારી વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સીબીઆઈ આ કેસમાં સમીર વાનખેડે અને અન્ય આરોપીઓની પૂછપરછ કરી ચૂકી છે. એનસીબીના ભૂતપૂર્વ અધિકારીએ તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે સીબીઆઈની કાર્યવાહી એનસીબીના કેટલાક અધિકારીઓ દ્વારા તેમની સામે બદલો લેવાનું પરિણામ છે. આર્યન ખાનની ધરપકડ 3 ઓક્ટોબર, 2021 ના ​​રોજ મુંબઈમાં કોર્ડેલિયા ક્રૂઝ પરના દરોડા પછીના એક દિવસ પછી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Egypt Economic Crisis : પાકિસ્તાન કરતાં પણ ગરીબ છે આ મુસ્લિમ દેશ, UAEને ‘વેચવા’ જઈ રહ્યો છે, ‘ધરતી પરનું સ્વર્ગ’..

આર્યન ખાનને ક્લીનચીટ

NCB દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ ગયા વર્ષે 27 મેના રોજ આર્યન ખાનને ક્લીનચીટ આપી હતી, જેમાં સમીર વાનખેડેના આરોપ મુજબ તે કોઈપણ મોટા ડ્રગ ડીલિંગ રેકેટનો ભાગ નથી તેમ કહેતો હતો. NCBની આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે એજન્સીની ‘ઈન્ફોર્મેશન નોટ’માં છેલ્લી ક્ષણે આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટના નામ સામેલ હતા. વધુમાં, તપાસમાં જાણવા મળ્યું કે સમીર વાનખેડેની ટીમ દ્વારા ફોન જપ્ત કરવાના દસ્તાવેજીકરણ અને નિવેદનોના રેકોર્ડિંગ જેવી પ્રક્રિયાઓ યોગ્ય રીતે હાથ ધરવામાં આવી ન હતી. NCBએ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે સમીર વાનખેડે અભિનેતા શાહરૂખ ખાન સાથેની ચેટનો ઉપયોગ તેની ઈમાનદારીના પુરાવા તરીકે કરી શકે નહીં, કારણ કે તેણે આ ચેટ્સને ‘ગુપ્ત’ રાખી હતી.

February 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Mumbai Retired Police Officer Had to Buy Dry Fruits Online, Becomes Victim of Cyber Fraud
મુંબઈ

Mumbai: મુંબઈના નિવૃત્ત પોલીસ અધિકારીને ઓનલાઈન ડ્રાયફ્રુટ ખરીદવા પડ્યા મોંધા, બન્યા સાયબર ફ્રોડનો શિકાર.. જાણો શું છે આ સંપુર્ણ મામલો.. વાંચો વિગતે અહીં..

by Hiral Meria October 25, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mumbai: ભારતીય મહેસૂલ સેવા ( Indian Revenue Service ) અધિકારી સમીર વાનખેડેના ( Sameer Wankhede ) પિતા નિવૃત્ત આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ જ્ઞાનદેવ વાનખેડે ( Gyandev Wankhede )  રવિવારે ઓનલાઈન ડ્રાયફ્રૂટ્સ ( Dry Fruits ) ખરીદવાનો ( Online  Purchase ) પ્રયાસ કરતી વખતે સાયબર છેતરપિંડીના ( cyber fraud ) શિકાર બન્યા હતા અને ₹31,019 ગુમાવ્યા હતા.

રવિવારે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ( Oshiwara Police Station ) દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર, અંધેરી વેસ્ટમાં રહેતા 70 વર્ષીય જ્ઞાનદેવ વાનખેડે 23 ઓક્ટોબરે ફેસબુક પર એક ડ્રાયફ્રૂટ્સની જાહેરાત ( dry fruits Advertising ) જોઈ હતી અને જાહેરાત દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો જાહેરાતમાં વિક્રેતા અજીત બોરાનો મોબાઈલ નંબર આપવામાં આવ્યો હતો અને તેનું સરનામું તુર્ભે તરીકે દર્શાવવામાં આવ્યું હતું.

જ્ઞાનદેવ વાનખેડેએ ₹2000ની બદામ, અંજીર અને અખરોટનો ઓર્ડર આપ્યો હતો. કલાકો પછી, ફરિયાદીને બીજા નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં વાનખેડેને જણાવ્યું હતું કે તેનું પાર્સલ તૈયાર છે પરંતુ GSTને કારણે બ્લોક કરવામાં આવ્યું છે, જેના કારણે ડિલિવરી માટે વધુ સમય લાગશે.

પોલિસે તપાસ હાથ ધરી છે….

થોડીવાર રાહ જોયા પછી, જ્ઞાનદેવ વાનખેડેએ બોરાનો સંપર્ક કર્યો અને ઓર્ડર રદ કર્યો હતો અને તેના પૈસા પરત કરવાની વિનંતી કરી હતી. બોરાએ જ્ઞાનદેવ વાનખેડેને Google Pay પર કોડ સબમિટ કરવાનું કહ્યું હતું અને ત્રણ અલગ-અલગ કોડ આપ્યા હતા. ફરિયાદીએ આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કર્યું હતું. જેના બાદ તરત જ મોબાઈલ પર મેસેજ પ્રાપ્ત થયો હતો કે તમારા બેંક ખાતામાંથી ₹22,000 અને ₹4,999 ડેબિટ કરવામાં આવ્યા છે. આ બાદ પણ ફરિયાદીને આવી વધુ સૂચનાઓ મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની સક્રિય રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત.. જાણો શું કહ્યું સુશિલ કુમાર શિંદેએ..વાંચો વિગતે અહીં.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજતા, જ્ઞાનદેવ વાનખેડેએ બોરા સામે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66(d) સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 419 (છેતરપિંડી), અને 420 (છેતરપિંડી અને અપ્રમાણિકતા) હેઠળ કેસ દાખલ કર્યો હતો. જેમાં પોલિસે તપાસ હાથ ધરી છે..

October 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
jawan writer sumit arora reveals bete ko hath lagane dialogue was not part of original movie script
મનોરંજન

Jawan: જવાન ની સ્ક્રિપ્ટ માં નહોતો ‘બેટે કો હાથ લગાને સે પહેલે… સંવાદ,તો પછી શાહરુખ ખાન કેમ બોલ્યો આ લાઈન? ડાયલોગ રાઈટરે કર્યો ખુલાસો

by Zalak Parikh September 15, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Jawan:એક તરફ શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તો બીજી તરફ તેના ડાયલોગ્સ, એક્શન સીન અને ગીતોના કેટલાક ભાગો પણ દર્શકોને પસંદ આવી રહ્યા છે. ફિલ્મનો એક ડાયલોગ,  ‘બેટે કો હાથ લગાને સે પહેલે, બાપ સે બાત કર’ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગયો હતો. પરંતુ શું તમે જાણો છો કે આ ડાયલોગ સ્ક્રિપ્ટનો હિસ્સો જ નહોતો. ‘જવાન’ ના ડાયલોગ રાઈટર સુમિત અરોરાએ આ વિશે જણાવ્યું છે.

 

જવાન ફિલ્મ ની સ્ક્રિપ્ટ માં નહોતો ડાયલોગ 

ફિલ્મ જવાનના ડાયલોગ રાઈટર સુમિત અરોરાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું તે સમયે સેટ પર હતો, તેથી મને બોલાવવામાં આવ્યો અને તે પરિસ્થિતિ જોયા પછી મારા મોંમાંથી સંવાદ નીકળ્યો – ‘બેટે કો હાથ લગાને સે પહેલે, બાપ સે બાત કર’ તે સમયે એવું લાગ્યું કે તે ક્ષણે કહેવા માટે આ યોગ્ય પંક્તિ છે. અને તે ફિટ થઇ ગઈ. એટલી સર અને એસઆરકે સર બંનેને આ સાચું લાગ્યું અને સીન શૂટ કરવામાં આવ્યો.સુમિતે વધુ માંકહ્યું- આ વાર્તા તમને ફિલ્મ નિર્માણના જાદુનો અહેસાસ કરાવે છે. આ લાઈન  ક્યારેય ડ્રાફ્ટમાં ન હતી. ફિલ્મમાં SRK સાહેબે ભજવેલી ભૂમિકાને જોઈને કહી શકાય કે આ લાઈન હંમેશા હતી. આપણે બધા જાણીએ છીએ કે તે કોઈપણ સંવાદ વિના એક શક્તિશાળી ક્ષણ બની જાય છે. શૂટિંગ દરમિયાન લાગ્યું કે આ લાઈન હોવી જોઈએ. આ વ્યક્તિ (શાહરૂખ ખાન)ને કંઈક કહેવું જોઈએ.સુમિત કહે છે, ‘શાહરુખ સર જે રીતે આ ડાયલોગ સંભળાવતા હતા તેનાથી અમને હાશકારો થયો હતો. ક્યારેય વિચાર્યું ન હતું કે આ લાઇન આટલી મોટી હિટ બનશે. એક લેખક ફક્ત તેની લાઇન લખી શકે છે, પરંતુ તે હિટ થશે કે નહીં તે કોઈ કહી શકતું નથી.

આ સમાચાર પણ વાંચો : Jawan: ‘જવાન’ ને બ્લોકબસ્ટર બનાવવામાં અજય દેવગનનો પણ છે હાથ, જાણો કેવી રીતે અભિનેતા એ શાહરૂખ ખાન ની ફિલ્મ ને કર્યો સપોર્ટ

જવાન માં જોવા મળ્યો શાહરુખ ખાન નો એક્શન અવતાર 

શાહરૂખ ખાન અત્યાર સુધી રોમાન્સ કિંગ તરીકે ઓળખાતો હતો. પરંતુ ‘પઠાણ’ અને ‘જવાન’ પછી તેણે સાબિત કર્યું કે એક્શન કિંગનું બિરુદ પણ તેના નામ પર જ જાય છે. લોકોને ફિલ્મમાં બાદશાહની એક્શન જ પસંદ નથી આવી રહી, પરંતુ તેના ડાયલોગ્સ પણ ફેમસ થઈ રહ્યા છે. રાજકારણ પર કિંગ ખાનનો મોનોલોગ હોય કે પછી ‘દીકરાને અડતા પહેલા પિતા સાથે વાત કરો’. આ ડાયલોગ વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ દ્વારા શાહરૂખે તેના પુત્ર આર્યન ને ઘેરી રહેલા લોકોને ચેતવણી આપી છે.

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક