આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

આંબળા 

આંબળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક ફળ છે. જેમાં સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી વિટામિન રહેલા છે. . આ આંબળાનું હિન્દી નામ ‘आँवला’ જ્યારે કે અંગ્રેજી નામ ‘emblica officinalis ‘ છે. 

આંબળા વિષે 

આંબળાનાં ઝાડ ભારતના બધા પ્રાંતોમાં જોવા મળે છે. આંબળા જંગલમાં પણ આપમેળે થાય છે. આંબળાનું ઝાડ સૂકા પાનખર જંગલમાં થાય છે. તેના પાંદડા આમલી જેવા હોય છે. તેના પર દિવાળી એટલે કારતક મહિને ફળ લાગી જાય છે અને તે ફળ આપણને પોષ-મહા મહિના સુધી બજારમાં વેચાતા મળે છે. આંબળા શરીરને મજબૂત કરનાર, ઘડપણને દૂર કરનાર તથા પિત્તશામક છે. 

આંબળા વિષે 

આંબળાને ધાત્રી એટલે દાયણ, જેમ દાયણ બાળકને માની ગરજ સારી સ્તનપાન કરાવી પોષે છે. તેમ આંમળું શ્રેષ્ઠ પોષક છે. આપણે આજકાલ આંબળાની બનાવટ, ચ્યવનપ્રાશ ઘણો વાપરીએ છીએ. જેનાથી શરીરનું સપ્રમાણ પોષણ થઈ ઘડપણ દૂર થાય છે. આંબળાનો મુરબ્બો તથા અથાણું પણ વપરાય છે. આંબળાના કટકા કરી મીઠું મેળવી સૂકવણી કરી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે.

આંબળાનો ઉપયોગ 

 માથાનો ખોડો, મેલ તથા શરીર પરના મેલને સાફ કરવા માટે આંબળા, શિકાકાઈ, અરીઠા, કપુરકાચલી આ બધાનો પાવડર કરી પાણીમાં પલાળી તે પાણીથી માથું તથા શરીર ધોવાથી મેલ કપાઈ શરીર સુવાળું થાય છે, તેમજ વાળ કાળા થાય છે. 

આંબળાનો ઉપયોગ 

 ત્રિફળામાં આંબળા વપરાય છે. આંમળાનું શરબત ઘણું રૂચિકર તથા ગરમી દૂર કરનાર છે. આંબળાને સંસ્કૃતમાં અમૃતા કહે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન