આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

બીલીનાં ઝાડ પાનખર છે, જે ભારતમાં બધે જ થાય છે. પવિત્ર વૃક્ષ છે. શંકર ભગવાનના મંદિરમાં અવશ્ય વાવવામાં આવે છે. તેના પાન ત્રિદલ હોય છે. આ પાન શિવપૂજામાં ઘણાં વપરાય છે. તેના ઝાડ પર કોઠા જેવા ફળ આવે છે. કાચા ફળનું શાક તથા અથાણું થાય છે. કાચા બીલાનો ગર્ભ સૂકવીને રાખે છે. તેને બેલ કાચરી કહે છે. પાકાં બીલાં ગળ્યાં હોય છે. તે લોકો ખાય છે. તથા તેમાં ખાંડ નાંખી શરબત બનાવી ઉનાળામાં ઠંડક માટે તેમજ ઝાડા મટાડવા વપરાય છે.

ખાસ કરીને મરડામાં તે ઘણું સારૂ કામ આપે છે. તેનો છાંયડો સારી ઠંડક આપે છે. બીલનું ઝાડ ઘણું પવિત્ર હોય છે. તથા તેનાથી હવા શુદ્ધ થાય છે.

તેના ફુલ સફેદ સુગંધીદાર હોય છે. આંખના રોગામાં તેના પાન વાટી આંખમાં અંજાય છે. તે દશમૂળમાં વપરાય છે. 

બીલ ઘણું પૌષ્ટિક દીપન પાચન અને ગ્રાહી છે. આવી દીપન પાચન અને ગ્રાહી વનસ્પતિ ભાગ્યેજ મળે છે. 

ગોમૂત્રમાં બીલું વાટી તેલ મેળવી પકવી તે તેલ કાનની બહેરાશ દૂર કરે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન