આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

આંકડો

આંકડો એક વનસ્પતિ છે જેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ તરીકે થાય છે. આ વનસ્પતિનું હિન્દી નામ ‘મદાર’ જ્યારે કે અંગ્રેજી નામ ‘calotropis gigantea’ છે. 

આંકડો વિષે 

આંકડો એ  બધે જ થતો ક્ષુપ છે. આંકડોના પાન વડના જેવા પણ જાડા હોય છે. તેના જાંબુડી તથા સફેદ એમ બે જાતના ફૂલ થાય છે. 

આંકડોનો ઉપયોગ

 આંકડોના ફળ પાકી સૂકાઈ ફાટવાથી રૂની કળે છે. તે ઉપયોગમાં લેવાય છે.

આંકડોનો ઉપયોગ 

શરીરની વેદના પર બાહ્ય ઉપચાર તરીકે તેનું દૂધ ચોપડાય છે અથવા આંકડાના પત્તાને દીવેલ ચોપડી ગરમ કરી શેક કરવામાં આવે છે. 

આંકડોનો ઉપયોગ 

આકડાના ફૂલને માટલામાં પાથરી ઉપર અજમો, સિંધવ ભભરાવી ફરી ફૂલ પાથરી, અજમો, સિંધવ, ભભરાવવા આ પ્રમાણે આખુ માટલું ભરી મોં પર ઢાંકણ મૂકી કપડું માટીથી સીવી દઈ માટલાને નીચે ઉપર ચારે બાજુ છાણાનો તાપ આપવો, ઠંડુ થયે માટલું ખોલી તેમાંથી મળેલો ફૂલનો આખો ગટ્ટો કાઢી વાટી લેવાથી, ગેસ, ઝાડા, ખાંસી, દમ વગરેમાં સારો લાભ કરે છે.

આંકડોનો ઉપયોગ 

આંકડો વાતાવરણને ઠંડો રાખે છે. તે કુદરતનું ‘air conditioner’ છે જે જમીન તથા હવામાનને ભેજવાળું અને ઠંડુ રાખે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન