જાડો વેલો લીલાશ પડતા પીળા ફૂલ સાથે ઝાંખરા વાડ-પાળા ઉપર જોવા મળે છે. આયુર્વેદમાં શંખપુષ્પીની જેમ ‘જ્યોતિષ્મતી’ ને પણ મેધ્ય એટલે કે બુદ્ધિવર્ધક કહી છે. આ જ્યોતિષ્મતીને ગુજરાતીમાં આપણે ‘માલકાંગણી’ નામથી ઓળખીએ છીએ. બુદ્ધિવર્ધક હોવાની સાથે સાથે તે ગ્રહણશક્તિને પણ વધારનાર છે
માલકાંગણી મગજને શાંત કરનાર પણ છે. એટલે વધારે પડતા ચંચળ સ્વભાવનાં બાળકોને પણ આ ઉપચારથી લાભ થાય છે.
પ્રકાંડ પીળાશ પડતો કથ્થઈ પાન તથા પાતળી ડાળીનો મલમ સોજા- ગુંમડા ઉપર લગાડવામાં આવે છે.
તે વમનકારી, આંતરિક, કામોત્તેજક છે. બીજ સંધિવા, તાવ અને લકવામાં વપરાય છે.