આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

 ભારતમાં સર્વત્ર સ્થાને ચોમાસામાં આ વનસ્પતિ ચારે બાજુ ઉગનારી છે. ઉપરાંત સમુદ્ર કાઠે પણ ઉગી નીકળે છે. વર્ષાળુ છોડ ૧૦-૧૫ સેમી ઊંચાઈ અને જેના થડમાંથી ડાળીઓ અને નાના ભાલાકા૨ પાન નીકળેલા જોવા મળે છે. ભેજ મળી રહે તો બહુ વર્ષાયું છે. મામેજવો છોડ ચોમાસાની ઋતુ માં આપોઆપ મોટી સંખ્યામાં ઉગી નીકળે છે. ખેતરના શેઢા તેમજ ઘાસ ના બીડ માં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. મામેજવો ત્રણ થી પાંચ ઇંચ તથા ઘણી વખત એક થી બે ફૂટ સુધી પણ વિકાસ પામે છે.

સૂકા છોડનો પાવડર અને મધનું મિશ્રણ લોહીની શુદ્ધિમાં, જલંદરમાં પેટના ચાંદામાં અને ઝેરી જંતુ કરડવા ઉપર વપરાય છે.

 મધુપ્રમેહને અંકુશમાં રાખવા ખાસ ઉપયોગી છે.

પાનનો રસ એક ચમચી જેટલો ૮થી ૧૦ કાળા મરી સાથે સવાર-સાંજ લેવાથી ઉગ્ર મેલેરિયા મટી જાય છે. 

મામેજવાનો આખો છોડ સૂકવી તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જમ્યા પછી આ ચૂર્ણ લેવાથી ડાયાબીટિસ કંટ્રોલમાં રહે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન