આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

પારિજાતક અથવા પારિજાત બગીચા તથા ઘર આંગણે ઘણા પ્રમાણમાં જોવા મળે છે. પાનખર સુંદર વૃક્ષ છે. તેના ફુલમાંથી કેસરી રંગની ડાય બને છે. પારિજાતકનાં પાન ખરબચડા હોય છે. તેને શ્રાવણથી આસો માસમાં ફૂલ બેસે છે તેના ફૂલ સફેદ કેસરી દાંડીવાળા હોય છે. ફૂલ ઘણાં જ સુવાસિત હોય છે. શિયાળામાં પારિજાતકને બીજ લાગે છે તેનાં ફળ ચપટાં બટન જેવા આવે છે.

પારિજાતકના બી વાટીને ખોડા ઉપર લેપ કરી શકાય. તેથી ઘણો ફાયદો થાય છે.

દરાજ પર પારિકજાતકના પાલાનો લેપ કરવાથી મટે છે. તેના ફુલ રાત્રે જ ખીલે છે અને મળસ્કે ખરી પડે છે.

પરિજાત લઘુ અને રુક્ષ છે.છતાં પણ તેના ઊષ્ણ સ્વાભાવને કારણે વાયુનો નાશ કરનાર છે. નાડીતંત્રના સોજાને દૂર કરીને Neurological treatment માં તે સારામાં સારું પરિણામ આપે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન