આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

પીપળો વિશે 

આ વૃક્ષ ભારત દેશમાં બધે જોવા મળે છે. બીજા દેશોમાં તે થતું નથી. વડના ઝાડની જેમ તેનો ઘણો મોટો વિસ્તાર થાય છે. તેનો છાંયડો ઠંડક આપનાર હોય છે. અનેક ગુણોવાળું આ ઝાડ ભારતમાં ઘણું પવિત્ર મનાય છે. ભેજ વાળા અથવા સૂકા પાનખર પ્રદેશનું વિશાળ વૃક્ષ છે. થડ સફેદ હોય છે.

પીપળો ઉપયોગ 

પીપળાના ઝાડ પર લાખ ઉગે છે. તે રંગના તથા સીલ કરવાના તેમજ દવાના ઉપયોગમાં આવે છે. તેનો છાંયડો ઉનાળામાં ઘણી સારી ઠંડક આપે છે.

પીપળો ઉપયોગ  

બાળકોની બોબડી વાણી સુધારવા તેનાં પાકા ફળ ખાવા આપવા.

પીપળો ઉપયોગ  

ખસ ફોલ્લા વગેરે ચામડીના પરૂવાળા ફોલ્લા પર તેની છાલ પાણીમાં ઘસી ચોપડવાથી મટે છે.

પીપળો ઉપયોગ  

મુખ પાક પર પીપળાના કુમળા પાન તથા છાલને વાટીને મધ મેળવી દિવસમાં ત્રણ વાર લગાડવું જોઈએ.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન