આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

એરંડો વિશે

દિવેલાનો છોડ અથવા એરંડો બધે જ જોવા મળે છે. તે વર્ષાયુ છે, પરંતુ ૨-૩ વર્ષ પણ જીવે છે. એરંડા લાલ અને ધોળા એમ બે જાતના હોય છે. દિવેલામાંથી તેલ કાઢવામાં આવે છે.

એરંડો ઉપયોગ

- દિવેલા ઝાડો સાફ લાવવા માટે જુલાબ તરીકે વપરાય છે. - અનાજને દિવેલથી મોળવીને રાખવાથી બગડતું નથી. તેમાં કીડા પડતાં નથી.

એરંડો ઉપયોગ

- સાંધાનો દુઃખાવો થાય ત્યારે સૂંઠનાં ચૂર્ણમાં દિવેલ ભેળવી તેનો લાડુ બનાવવો. પછી તેની ચારે બાજુ દિવેલના પાન લપેટી તેના પર દોરી વીંટી એક આંગળ જાડો ચીકણી માટીનો લેપ કરવો. પછી છાણામાં પકવવું. અંદરના લાડુનો પાવડર કરી સવાર સાંજ ૧-૧ ચમચી લેવાથી ઘણો ફાયદો થાય છે. - શેક કરવામાં પણ દિવેલ વપરાય છે. અન્ય ઉપયોગ પણ ઘણાં છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન