આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ગુગળ વિશે

મારવાડ, સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર તથા સિંગાપુરમાં તેનાં ઘણાં ઝાડ થાય છે. ગરમીમાં ઝાડમાંથી ઝરતો ગુંદર ગુગળ નામે ઓળખાય છે.  મહિ ષાક્ષ – મહાતિલ – કુમુદ – પદમ - હિરણ્ય ભેદથી પાંચ જાતનો ગુગળ હોય છે. આ બધામાં હિરણ્ય યાહીરા ગુગળ જ મનુષ્ય જાતિના વ્યાધિઓમાં વધારે વપરાય છે. આ એક ક્ષુપ છે. ગુગળનું આયુષ્ય અન્ય ક્ષેપ કરતા ઓછું હોય છે.

ગુગળ ઉપયોગ

ગુગળના ધૂપથી હવાના જંતુઓ મરી જઈ હવા શુદ્ધ થાય છે.

ગુગળ ઉપયોગ

કોઈકવાર ભૈસા ગુગળ પણ વાપરવામાં આવે છે. તેનો ઉપયોગ દુઃખાવામાં, સાંધા દુઃખવા વગેરે વાયુના રોગોમાં થાય છે. યોગરાજ ગુગળકાંચનાર ગુગળત્રિફલા ગુગળ ગોક્ષુરદિ ગુગળ અભયાદિ ગુગળ, રાસ્નાદિ ગુગળ વગેરે અનેક દવાની બનાવટો તેમાંથી તૈયાર થાય છે.

ગુગળ ઉપયોગ

શરીરની ચરબી ઘટાડવા માટે ગુગળ પાણી સાથે લેવાથી ઘણો ફાયદાકારક છે.

ગુગળ ઉપયોગ

 સામાન્ય જનતા તેનો ધૂપ, અગરબત્તી વગેરેમાં ઉપયોગ કરી હવા શુદ્ધ કરે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન