આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ભારતમાં સર્વત્ર કોઈ પણ પ્રકારની જમીન ઉપર થતું એક વિશાળ વૃક્ષ છે. તે અર્ધ સદાહરિત અને સરળતાથી ઝડપી ઉગે છે. તેના પર સફેદ ફૂલ આવે છે. લીમડાના સેવનથી ઘણા રોગો મટે છે. ખાસ કરીને ચૈત્ર સુદ પડવાને લીમડાના પાન અને ફુલ મરી તથા સિંધવ પ્રમાણસર મેળવી તે રસ પીવામાં આવે તો આવતા ઉનાળામાં થતા ગરમીના રોગો તથા અળાઈ થતી નથી. આ રસ ૧૫ દિવસ સુધી રોજ સવારે પીવામાં આવે તો આખા ઉનાળાનો સંતાપ સતાવતો નથી. તેમજ કોઈપણ ગરમીના વ્યાધિઓ થતાં નથી.

મચ્છરો મા૨વા તેનો ધૂમાડો કરવામાં આવે. ઘરમાં ઓળી અછબડા થાય હોય તો લીમડાની ડાળ ઘરના બારણે બાંધવામાં આવે છે.

ચામડીના રોગોમાં લીમડાનાં પાન પાણીમાં ઉકાળીને પાણીથી નવડાવવામાં આવે છે.

સુવાવડી સ્ત્રીને તેના પ્રસવ બાદ ત્રણ ચાર દિવસ લીમડાનો રસ પાવાથી સુવા રોગ થતા નથી. તેના બીજનું તેલ કૃમી નાશક છે. જે ચામડીના રોગોમાં વપરાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન