આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

કાજુ વિશે

કાજુના ઝાડ ડુંગરાળ પ્રદેશમાં તેમજ જંગલોમાં થાય છે. આફ્રિકા અને દક્ષિણ ભારતમાં તે પુષ્કળ થાય છે. તેની ખેતી પણ થાય છે. તેના પાના લાંબા જાડા ચળકાટ મારતા હોય છે. ઝાડ પર માગશરથી ફાગણ સુધી ફૂલ અને ચૈત્રથી જેઠ માસ સુધી ફળ આવે છે. ફળ રંગબેરંગી હોય છે. તેની નીચે કિડની આકારનો હુંટો હોય છે.

કાજુના ઉપયોગ

રંગબેરંગી ફળ સ્વાદિષ્ટ હોય છે. તે ખાઈ શકાય. ડુંટો કાઢી શેકીને તેમાંથી કાજુ કાઢવામાં આવે છે. કાજુ એ ધાતુ પુષ્ટિકારક છે.

કાજુના ઉપયોગ

તે બળ આપનાર રૂચિકર અને બુદ્ધિવર્ધક છે. માટે તે ખૂબ વપરાય છે. કાજુની નિકાસ થાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન