જેઠીમધના છોડ ભારતમાં ઘણે ઠેકાણે થાય છે. ડુંગરાળ લીલોતરીવાળી ઉષ્ણ હવામાનવાળી જગ્યાએ તે પુષ્કળ થાય છે. તેના પાન મીંઢી આવળના પાન જેવા હોય છે. આ છોડના મૂળીયાને જેઠીમધ કહેવામાં આવે છે.
જેઠીમધ ઉપયોગ
જેઠીમધનો સ્વાદ ગળ્યો હોય છે. તરસને શાંત કરનાર, ઘા પર તેના ચૂર્ણનો ઘીમાં ગરમ કરી લેપ કરવાં.
કોઈપણ જાતના રક્તસ્ત્રાવમાં શ્રેષ્ઠ છે. જે દવા તરીકે વપરાય છે. તે ખરેખર મૂળ નહીં પરંતુ જમીનની અંદર વિકાસ પામતા પ્રકાંડ હોય છે. તેની ઉપર સૂક્ષ્મ મૂળ હોય છે.