આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

આંબા વિશે 

આંબાના ઝાડ ભારત દેશમાં બધા પ્રાંતોમાં જોવા મળે છે. આંબાની અનેક જાતો હોય છે. આંબા પર વર્ષમાં એકવાર શિયાળામાં મોર આવે છે અને તેના પર કેરીઓ થઈ તે ઉનાળામાં પાકે છે, પાકી કેરીનો રસ ઘણો મધુર સ્વાદિષ્ટ તેમજ બધાને ગમે છે. તેના સેવનથી શરીરમાં સારા પ્રમાણમાં લોહી વધે છે.

આંબાનો ઉપયોગ

કાચી કેરીના જાત જાતના અથાણાં બનાવાય છે. તેમજ ઉનાળામાં કાચી કેરીના છીણનો રસ નીચોવી તેમાં ગોળ કે ખાંડ મેળવી પીવાથી ગરમીનો સંતાપ (લૂ) દૂર થાય છે.

કેરીનો મુરબ્બો બનાવીને ખાવામાં વપરાય છે. પાકી કેરીના રસને ડબ્બાઓમાં પેક કરી ગમે તે ઋતુમાં રસનો સ્વાદ માણી શકાય છે. આપણા દેશના દરેક ગામડામાં આંબાવાડિયું તો હોય છે.

આંબાનો ઉપયોગ

કેરીની ગોટલી ઉપયોગ

(૧) કેરીની ગોટલીનું ચૂર્ણ કરી દર્હી સાથે આપવાથી ઝાડા મટે છે. તેમજ કરમિયા પણ મટે છે (ર) ગોટલીનું ચૂર્ણ મધ સાથે આપવાથી દૂઝતા હરસ અને સફેદ પ્રદર મટે છે. (૩) નસકોરી ફટે ત્યારે ગોટલીનો રસ નાખવો જોઈએ. (૪) વછા ડંખે કે તરત કેરીનો ચીક લગાવવાથી મટે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન