આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

આમલી વિશે

આમલીનાં ઝાડ આપણા દેશમાં બધે જ જોવા મળે છે. આમલીના ફૂલ ખાટા સ્વાદિષ્ટ રૂચિકર હોય છે. આમલીનું બી મહા, ફાગણ મહિનામાં પાકીને તૈયાર થાય છે. તેના ઉપરનું કડક છોડું તથા અંદરના બી-કચૂકા કાઢી મીઠું ભેળવી સંગ્રહ કરવામાં આવે છે.

આમલીના ઉપયોગ

-આમલી રૂચિકર-પિત્તનાશક તથા વિરેચક છે. દાળ-શાકમાં તે મેળવી વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે.

આમલીના ઉપયોગ 

-ઉનાળામાં પિત્તશમન માટે તેના પાણીમાં ગોળ મેળવી સેવન કરવામાં આવે છે. દસ્ત સાફ લાવવા વાળી હોવાથી રસોઈમાં વપરાય છે.

આમલીના ઉપયોગ 

-વધારે ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણ ની સાથે આમલીનું પાણી મેળવી આપવાથી મટે છે. વીંછીના ડંખ પર કચુકા ઘસીને લગાડવાથી તે ચોંટી જશે અને ઝેર શોષી છૂટો પડે છે.

-આમલીનું ઝાડ હવામાન સુધારે છે, પ્રદુષણ અટકાવે છે.

આમલીના ઉપયોગ 

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન