આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

અરણી વિશે

અરણી ગુજરાતનાં ગામમાં ખેતરોની વાડોમાં અરીના છોડ પાંચથી, દસ ફૂટ ઊંચા પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળે છે. તેના પાનને મસળવાથી સહેજ, ચીકાશ પડતો લીલા રંગનો રસ નીકળે છે. આ રસ ચટપટો (તીખાશ પડતો) અને ખારાશ પડતા કડવા સ્વાદ વાળો હોય છે. અરણીની છાલ ધોલાશ પડતી, ફિક્કી ભૂખરા રંગની હોય છે. તેને કારતક-માગશરમાં ધોળા, સુંદર, સુગંધીદાર, ફલો આવે છે. તેના ફળ નાના, લીસાં અને ચળકતા હોય છે. 

અરણીનો ઉપયોગ

ઔષધમાં અરણીના પાન અને મૂળ વપરાય છે. અરણીના પાનનો ઉકાળો, શીતળા, ઓરી, પુરવાળો પ્રમેહ, ફિરંગજન્ય તાવ, પ્રસુતિ જવર, પુનરાવર્તક જવર અને જીર્ણ જવર વગેરે રોગોમાં ફાયદાકારક છે. અરણીના મૂળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે, જેથી ઘણા ચામડીના રોગો મટે છે. 

અરણીના પાન મસા- પાઈલ્સ, કબજિયાત, આમવાત, વિષ, મેદોરોગ અને ખાસ કરીને સ્ત્રીઓના શૂળાદિ યોનિરોગોને મટાડે છે. ગર્ભાશય ૫૨ અરણી મહત્ત્વનો પ્રભાવ પાડે છે. જ્યારે સગર્ભાને રક્તસ્ત્રાવ થાય ત્યારે ગર્ભસ્ત્રાવ કે ગર્ભપાત બંધ કરવા માટે તેનો ઉપયોગ થાય છે.

અરણીનો ઉપયોગ

પ્રસૂતિ પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અથવા પ્રસવ પછી ગર્ભાશયને તેની મૂળ સ્થિતિમાં લાવવા માટે તેનો ઉપયોગ મદદરૂપ બને છે. કેટલાક વિદ્વાનો અરણીને જવરઘ્ન, જંતુધ્ન, ચિગુણકારી, પૌષ્ટિક ગણે છે. જ્યારે કેટલાક વિદ્વાનો તેને અર્શ-મસા, ઉદરશૂળ, મળાવરોધ, વિષપ્રકોપ અને મેદ-ચરબીની વૃદ્ધિને દૂર કરનારી ગણે છે.

અરણીનો ઉપયોગ

આંખોના રોગો, શરદી અને વિષ-ઝેર સેવનમાં તથા ઊબકા-ઊલટીમાં તેનું સેવન ખૂબ હિતકારી બને છે. અરણી ઉષ્ણ- ગરમ, તીખી, કડવી, તુરી, મધુર અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે. અરણી સોજો, કફ, વાયુ અને પાંડુરોગને મટાડે છે. આમ, અરણી શોઘ્ન, કફઘ્ન અને વાયુને હરનાર છે.

અરણીનો ઉપયોગ

અરણીના ઉપચાર પ્રયોગોમાં :  

અરણીના પાનનો રસ એક ચમચી એટલા જ મધમાં મેળવી સવાર-સાંજ લેવાથી ઉધરસ મટે છે. • અરણીના પાનનો રસ એક ચમચી મેરીનું ચૂર્ણ નાખી સવાર-સાંજ પીવાથી સળેખમ મટે છે. • અરણીના પાનનો રસ બે ચમચી સવાર-સાંજ લાંબો સમય લેવાથી શરીરનો મેદ- ચરબી ઓગળી જાય છે. • અરણીના મૂળનું ચૂર્ણ પા ચમચી જેટલું એક ચમચી

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન