Tuesday, March 21, 2023

રિઝર્વ બેંકની કડક કાર્યવાહી, હવે 6 મહિના સુધી આ 5 બેંકોમાં જમા રૂપિયા ગ્રાહકો નહીં ઉપાડી શકે, જુઓ તમારી બેંક આમાં સામેલ નથી ને…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હાલમાં નાણાકીય સ્થિતિ સારી ન થવા બેંકો સામે કડક કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. આ જ ક્રમમાં રિઝર્વ બેંકે પૈસા ઉપાડવાને લઈને 5 બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે. તો જો આમાંથી કોઈ પણ બેંકમાં તમારું ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

by AdminH
RBI imposed ban on these 5 banks for 6 months, Customers cannot withdraw money

 News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હાલમાં નાણાકીય સ્થિતિ સારી ન થવા બેંકો સામે કડક કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. આ જ ક્રમમાં રિઝર્વ બેંકે પૈસા ઉપાડવાને લઈને 5 બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે. તો જો આમાંથી કોઈ પણ બેંકમાં તમારું ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારતીય રિઝર્વ બેંકે મહારાષ્ટ્રની બે સહિત પાંચ સહકારી બેંકો પર કડક નિયંત્રણો લાદ્યા છે. રિઝર્વ બેંકે બેંકોની કથળતી આર્થિક સ્થિતિને જોતા આ કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે પણ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. આ પાંચ સહકારી બેંકો પર આગામી છ મહિના સુધી નિયંત્રણો લાગુ રહેશે.

કઈ બેંક પર કેવા નિયંત્રણો

રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ઉત્તર પ્રદેશમાં લખનઉમાં HCBL કો-ઓપરેટિવ બેંક, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આદર્શ મહિલા નાગરિક સહકારી બેંક લિમિટેડ અને કર્ણાટકના મદ્દુરમાં શિમશા સહકારી બેંક નિયમિથા છે. આ ત્રણ બેંકોના ગ્રાહકો રોકડની તંગીને કારણે થાપણો ઉપાડી શકશે નહીં. ઉપરાંત, આ બે બેંકો જેમ કે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલી અરાવકોંડા કો-ઓપરેટિવ ટાઉન બેંક અને મહારાષ્ટ્રમાં અકલુજમાં આવેલી શંકરાવ મોહિતે પાટિલ સહકારી બેંકના ગ્રાહકો રૂ.5000 સુધી ઉપાડી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  તૂ..તૂ મેં..મેં… વિધાનસભામાં ભડક્યાં યોગી, કહ્યુ- શરમ તો તમારે કરવી જોઈએ, પોતાના પિતાનું સન્માન ન કરી શક્યા… જુઓ વિડીયો…

વધુમાં, આ પાંચ બેંકો લોન આપી શકશે નહીં અને રિઝર્વ બેંકને પૂર્વ સૂચના વિના રોકાણ કરી શકશે નહીં. તેમજ આ બેંકો નવી જવાબદારીઓ લઈ શકશે નહીં. આ પાંચેય સહકારી બેંકોના પાત્ર થાપણદારો વીમા અને ક્રેડિટ ગેરંટી નિયમો અનુસાર પાંચ લાખ રૂપિયા સુધીના વીમા દાવાની રકમ મેળવવા માટે પાત્ર હશે. મહત્ત્વની વાત એ છે કે આ બેંકો તેમની સંપત્તિ ટ્રાન્સફર કરી શકશે નહીં.

આરબીઆઇએ કહ્યું છે કે આ પ્રતિબંધ સમીક્ષા હેઠળ છે. તેનો મતલબ છે કે કેન્દ્રીય બેંક આગળ પણ બેંકોના કામકાજની સમીક્ષા કરી રહેલા પ્રતિબંધ હટાવવા અથવા વધારવાનો નિર્ણય લેશે. જો બેંકોની નાણાકીય સ્થિતિમાં આરબીઆઈને સુધાર જોવા મળશે તો બેન હટાવી લેવામાં આવશે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું છે કે આ બેંકોનું લાયસન્સ રદ નથી કરવામાં આવ્યું.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous