Wednesday, March 22, 2023

રવિવારે ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

by AdminH
central railway announced mega block between csmt to vidya vihar on sunday

મુંબઈગરા (Mumbaikars)ઓ માટે મહત્વના સમાચાર છે. મુંબઈ(Mumbai) માં આવતી કાલે સેન્ટ્રલ રેલવે લાઇન પર વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો કરવા માટે મેગા બ્લોક લેવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ વચ્ચેના હાર્બર રૂટ પર કોઈ મેગાબ્લોક લેવામાં આવશે નહીં. જેથી હાર્બર રૂટના મુસાફરોને રાહત મળશે. તેથી, જો તમે આવતીકાલે મુંબઈમાં લોકલ મુસાફરી(local train) કરવા જઈ રહ્યા છો, તો બદલાયેલ ટ્રેન શેડ્યૂલને જાણીને જ મુસાફરી કરો.

મધ્ય રેલ્વે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર સ્લો રૂટ પર સવારે 10.55 થી બપોરે 3.55 સુધી મેગા બ્લોક રહેશે..

બ્લોક દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સવારે 10.48 થી બપોરે 3.40 વાગ્યા સુધી ઉપડતી સ્લો ટ્રેક ટ્રેનોને વિદ્યાવિહાર સ્ટેશનો પર ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો ભાયખલા, પરાલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર રોકાશે અને ફરીથી સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે..

ઘાટકોપરથી સવારે 10.41 થી બપોરે 3.52 વાગ્યા સુધી ઉપડનારી લોકલ ટ્રેનોને કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરાલ અને ભાયખલા સ્ટેશનો વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી. એક તરફ ટોલ પ્લાઝા પર અટકાયત,તો બીજી તરફ તેમના આ ઘરે ફરી વળ્યું બુલડોઝર..

હાર્બર મુસાફરોને રાહત

જો કે રેલવે પ્રશાસને હાર્બર રૂટ પર મુસાફરોને રાહત આપી છે. આ રૂટ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને પનવેલ વચ્ચે કોઈ મેગા બ્લોક લેવામાં આવશે નહીં. આ રૂટ પરની ટ્રેનો રવિવારના સમયપત્રક મુજબ દોડશે.

આજે મધ્યરાત્રિએ ખાસ ટ્રાફિક અને પાવર બ્લોક

મધ્ય રેલવે 140t રેલ ક્રેનની મદદથી કુર્લા સ્ટેશન પર 8 મીટર પહોળા ફૂટઓવર બ્રિજના પાંચ પ્લેટ ગર્ડર લગાવવા માટે હાર્બર લાઇન પર નાઇટ ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવશે. 18મી (શનિવાર) અને 19મી (રવિવાર)ના રોજ રાતે 11.50 થી 4.20 વાગ્યાની વચ્ચે, અપ એક્સપ્રેસ લાઇન પર વિક્રોલીથી માટુંગા અને ડાઉન હાર્બર લાઇન પર વડાલા રોડથી માનખુર્દ સુધી બ્લોક રહેશે.

બ્લોકના સમયગાળા દરમિયાન અપ અને ડાઉન હાર્બર રૂટ પર લોકલ દોડશે નહીં. ડાઉન હાર્બર રૂટ પર છેલ્લી લોકલ સીએસએમટીથી 11.14 કલાકે ઉપડશે. તેથી, અપ હાર્બર રૂટ પર છેલ્લી લોકલ વડાલા રોડથી રાત્રે 11.08 વાગ્યે ઉપડશે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous