Sunday, June 4, 2023

મુંબઈ શહેરમાં ભારતના સૌથી વધુ ધનિકો રહે છે. માત્ર 24 શહેરોમાં જ ધનિકોની વસ્તી. જાણો શું છે નવો રિપોર્ટ.

ભારતની આર્થિક રાજધાની મુંબઈ અબજોપતિઓના વસવાટની દૃષ્ટિએ ભારતમાં ટોપપર છે. દેશના કુલ ૧૮૭ અબજોપતિઓમાંથી ૬૬ અબજોપતિઓએ મુંબઈને પોતાનું ઘર બનાવ્યું છે.

by AdminM
Mumbai city has the maximum richest people in India

વિશ્વમાં સૌથી વધુ અબજોપતિ ચીન અને અમેરિકામાં રહે છે જ્યારે કે ભારત 3જા ક્રમે આવે છે. ભારતમા 187 અબજોપતિ છે. જેમાં મુંબઈમાં સૌથી વધુ 66, ત્યાર પછી દિલ્હીમાં 39 અને બેંગલુરુમાં 21 અબજોપતિ રહે છે. વિશ્વના સૌથી વધુ અબજોપતિનાં રહેઠાણ ધરાવતાં 25 શહેરોમાંથી 3 ભારતનાં છે.

મુંબઈમાં વસવાટ કરનારા અબજોપતિમાં મ્વિશ્વના ટોચના ૧૦ અબજોપતિની યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. દિલ્હીમાં દેશના ટોપ ટેન અબજોપતિમાંથી એકમાત્ર શિવ નાદર અને તેમનો પરિવાર રહે છે. જ્યારે કે દેશના સૌથીે સમૃદ્ધ અનેક પરિવારો ટિઅર ટુ અને થ્રી શહેરોમાં રહેવાનું પસંદ કરે છે. ભારતના બીજા નંબરના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુજરાતના અમદાવાદમાં રહે છે જ્યારે સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાના સ્થાપક અને દેશના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ સાયરસ પૂનાવાલાનું મુખ્ય રહેઠાણ પુણેમાં છે.

આ સમાચાર પણ વાંચો : હવે નવુ શું થશે? એક ટ્વીટએ પારો વધાર્યો… અદાણી કે નવો શિકાર, હિંડનબર્ગે બજારમાં હલચલ વધારી!

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous