પાણી સાચવીને વાપરજો.. મુંબઈના કુર્લા વિસ્તારમાં આગામી અઢી મહિના સુધી દર શનિવારે પાણી પુરવઠો બંધ રહેશે..

by kalpana Verat
Maharashtra Water Supply: 20 percent water shortage crisis on Mumbai; The municipal administration will take a decision after September 15

News Continuous Bureau | Mumbai

મુબઈ મહાનગરપાલિકાના ‘એલ’ વિભાગ, કુર્લાના ખૈરાની રોડ વિસ્તારમાં આવતા શુક્રવારથી આગામી અઢી મહિના સુધી દર શુક્રવાર અને શનિવારે પાણીની લાઈનનું સમારકામ કરવામાં આવશે. તેથી, દર શનિવારે કુર્લાના કેટલાક ભાગોમાં પાણી પુરવઠો બંધ રહેશે. આથી પાલિકાએ નાગરિકોને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. આ કામ માટે ‘ક્યોર્ડ ઇન પ્લેસ્ડ પાઇપ’ પદ્ધતિથી પાણીની નાળીને મજબૂત કરવાની કામગીરી કરવામાં આવશે. મુંબઈમાં પહેલીવાર આ પ્રકારની વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કુર્લા ખૈરાની રોડ નીચે અને તુકારામ બ્રિજ અને જંગલેશ્વર મહાદેવ મંદિર વચ્ચેની પાણીની લાઈનને મજબૂત કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. આમાં ઓછામાં ઓછા દસ દિવસ લાગશે. જો કે કામકાજ માટે સતત 10 દિવસ પાણી પુરવઠો બંધ રાખવામાં આવે તો શહેરીજનોને અસુવિધા થઈ શકે છે. આથી મહાનગરપાલિકાના પાણી ઈજનેર વિભાગે આ કામગીરી તબક્કાવાર કરવાનો નિર્ણય લીધો છે. 

આ સમાચાર પણ વાંચો: વાસ્તવિકતા પર પડદો! મહારાષ્ટ્રના આ જિલ્લામાં G20ની બેઠક પહેલા ભીખ માંગવા પર પ્રતિબંધ, પકડાયા તો થશે કડક કાર્યવાહી…

આ મુજબ, તે 10 દિવસમાં એટલે કે સતત 10 શુક્રવાર-શનિવારમાં કરવામાં આવશે. આથી દર શનિવાર, 4 માર્ચથી શનિવાર, 6 મે સુધીના સમયગાળા દરમિયાન ‘એલ’ વિભાગમાં દર શનિવારે સંઘર્ષ નગર, લોયલકા પંપ પાઉન્ડ, સુભાષ નગર, ભાનુશાલી વાડી, યાદવ નગર, દુર્ગામાતા મંદિર, કુલકર્ણી વાડી, ડીસોજા પંપ પાઉન્ડ, લક્ષ્મી નારાયણ માર્ગ, જોશ નગર, આઝાદ મારપેટ વિસ્તારોમાં સતત 10 શનિવાર સુધી પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More