ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલનુ કહેવુ છે કે સરકારે એર ઈન્ડિયા પર હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આની બોલી જીતનારની ચૂંટણી એક નિશ્ચિત પ્રક્રિયા દ્વારા થશે.
પીયૂષ ગોયલ અત્યારે Dubai Expo માં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. જ્યાં તેમણે કહ્યુ, હું ગઈકાલથી દુબઈમાં છું અને જ્યાં સુધી મને લાગે છે કે સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય (એર ઈન્ડિયા સંબંધિત) લેવામાં આવ્યો નથી.
નિશ્ચિત રીતે આ માટે બોલીઓ મંગાવવામાં આવી હતી અને અમારા અધિકારીઓ તેનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
આની પૂરી એક પ્રક્રિયા છે અને તેનુ પાલન કરતા યોગ્ય સમયે એર ઈન્ડિયાની બોલી જીતનારના નામની જાહેરાત કરવામાં આવશે.
DIPAM વિભાગના સચિવ તુહિન કાંત પાંડે જે સરકાર વતી તેના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામની દેખરેખ રાખે છે. શુક્રવારે જ આવા અહેવાલોને નકાર્યા. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
કૉન્ગ્રેસના દિગ્વિજય સિંહે કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અમિત શાહની પ્રશંસા; જાણો શા માટે?