શું કોરોના ની ત્રીજી લહેર ખરેખર ઓસરી ગઈ? ભારતમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો પરંતુ મૃત્યુઆંકે કેન્દ્ર સરકારનું વધાર્યું ટેન્શન, આજે આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022          

બુધવાર.

ભારતમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં થોડો ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ગઈ કાલના મુકાબલે આજે ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ના 1 લાખ 61 હજાર 386 નવા કેસ સામે આવ્યા છે અને 1733 લોકોના મૃત્યુ થયા છે. કાલની તુલનામાં આજે 3.4 ટકા કેસ ઓછા થયા છે. 

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચેપનો દૈનિક દર 9.26 ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિક ચેપ દર 14.15 ટકા નોંધાયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,95,11,307 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.20 ટકા નોંધાયો છે.

દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 10 ટકાની નીચે આવી ગયો છે. ત્યારે મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણને કારણે 1,733 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં આ રોગચાળાના કારણે મૃત્યુઆંક વધીને 4,97,975 પર પહોંચી ગયો છે.

બજેટ ભાષણ માત્ર આટલી મિનિટમાં જ થયું પૂરું, અત્યાર સુધીનું સૌથી ટુંકું બજેટ રજૂ કરાયું 

જોકે આ દરમિયાન સક્રિય દર્દીઓની સંખ્યામાં 1,21,456 નો ઘટાડો થયો છે અને હવે 16,21,603 દર્દીઓ આ રોગની સારવાર હેઠળ છે, જે ચેપના કુલ કેસના 4.20 ટકા છે, જ્યારે કોવિડ -19 થી સાજા થતા દર્દીઓનો દર 94.60 ટકા છે.

સંક્રમણના નવા કેસ સાથે હવે રોગચાળાના કુલ કેસોની સંખ્યા વધીને 4,16,30,885 થઈ ગઈ છે. આ દરમિયાન દેશવ્યાપી રસીકરણ ઝુંબેશના ભાગ રૂપે એન્ટી-COVID-19 રસીના 167.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More