News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા ભાષણે વિવાદ સર્જાયો છે. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ ચીનનાં વખાણ કર્યાં છે. તેમની તરફથી ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ચીન શાંતિનો પક્ષકાર છે. તેમણે અનેક ઉદાહરણો દ્વારા પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ચીનની રણનીતિ, તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસ અને પશ્ચિમી દેશોની વિચારધારા પર પણ વાત કરી છે.
આ ઉપરાંત, તેમણે ચીન દ્વારા કરવામાં આવેલા વિકાસ અને પશ્ચિમી દેશોની વિચારધારા પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે તમે ચીનમાં જે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ છો (રેલવે, એરપોર્ટ) તે બધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે. ચીન પ્રકૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલું છે. અમેરિકાની વાત કરીએ તો તે પોતાની જાતને કુદરત કરતા પણ મોટો માને છે. ચીનને શાંતિમાં કેટલો રસ છે તે બતાવવા માટે આ પૂરતું છે. ત્યાંની સરકાર કોર્પોરેશનની જેમ કામ કરે છે. તેથી સરકારનું દરેક વસ્તુ પર સંપૂર્ણ નિયંત્રણ છે. હાલમાં ભારત અને અમેરિકામાં આવી સ્થિતિ નથી. તેથી જ ચીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ઘણી પ્રગતિ કરી છે.
રાહુલે પોતાના ભાષણમાં પુલવામા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જમ્મૂ-કાશ્મીરને ‘તથાકથિક હિંસક જગ્યા’ ગણાવ્યું . તેમણે કહ્યું કે કાશ્મીર ઈંસર્જેસી પ્રોન સ્ટેટ છે અને તથાકથિત હિંસક જગ્યા છે. હું તે જગ્યાએ પણ ગયો હતો જ્યાં આપણા 40 સૈનિકોને મારી નાખવામાં આવ્યું હતું.
Join Our WhatsApp Community