Friday, June 2, 2023

આજથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, PM નરેન્દ્ર મોદી પહોંચ્યા સંસદ, શું છે સરકારનો એજન્ડા?

સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશને જી-20ની યજમાની કરવાનો મોકો મળ્યો છે. ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ વધી છે. ભારત વૈશ્વિક મંચ પર તેની ભાગીદારી વધારી રહ્યું છે.

by AdminK
The Parliament's winter session starts today

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સરકાર આ સત્રમાં 16 બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના વગેરે મુદ્દે વિપક્ષોએ પણ સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. સર્વપક્ષીય બેઠકમાં સંસદની કાર્યવાહી ખોરવાઈ ન જાય તે માટે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પણ સકારાત્મક ચર્ચા માટે સંમતિ દર્શાવી છે. પ્રથમ દિવસે એ સભ્યોને શ્રદ્ધાંજલિ આપશે, જેના નિધન સત્ર દરમિયાન થયા છે.

સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી 

સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશને જી-20ની યજમાની કરવાનો મોકો મળ્યો છે. ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ વધી છે. ભારત વૈશ્વિક મંચ પર તેની ભાગીદારી વધારી રહ્યું છે.

ચર્ચાના મુદ્દાઓ સંસદીય નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે: કેન્દ્રસંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે તેમણે તમામ સૂચનો રેકોર્ડ કર્યા છે અને સંસદના નિયમો અને પ્રક્રિયા અનુસાર તેના પર વિચાર કરશે. તેમણે કહ્યું કે, ચર્ચાના મુદ્દાઓને બંને ગૃહોની બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જો કે સરકાર વિપક્ષના દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.

શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આજે લોકસભા એક કલાક માટે સ્થગિત થશે 

શ્રદ્ધાંજલિ આપ્યા બાદ આજે લોકસભા એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે. અધીર રંજન ચૌધરીની આગેવાની હેઠળના વિપક્ષી સાંસદોએ સ્પીકરને પીઢ રાજકારણી અને વર્તમાન સાંસદ મુલાયમ સિંહ યાદવ, જેમનું આ વર્ષે અવસાન થયું હતું, તેના માનમાં ગૃહને અડધા દિવસ માટે સ્થગિત કરવાની વિનંતી કરી હતી.

આ બિલ થઈ શકે છે પસાર 

મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ, 2022, નેશનલ ડેન્ટલ કમિશન બિલ, 2022, નેશનલ નર્સિંગ એન્ડ ઑબ્સ્ટેટ્રિક્સ કમિશન બિલ, 2022, કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી એમેન્ડમેન્ટ બિલ 2022, બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (પાંચમો સુધારો) બિલ 2022 સામેલ છે. આ ઉપરાંત, બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર (ત્રીજો સુધારો) બિલ 2022, રદબાતલ અને સુધારો બિલ, 2022, જૂની ગ્રાન્ટ બિલ (રેગ્યુલેશન) 2022 જેવા બિલ પણ રજૂ કરી શકાય છે. જો કે, આમાં મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ, 2022 ખૂબ મહત્વ ધરાવે છે. આ બિલ દ્વારા ઘણા જૂના કાયદાઓને નાબૂદ કરવાની તૈયારી છે.

આ સમાચાર પણ વાંચો: ૮મી ડિસેમ્બરે કોઈપણ રાજકીય પક્ષને બહુમતિ નહીં, જ્યોતિષોની દ્રષ્ટિએ એક્ઝીટ પોલ ખોટા પડશે. 

શું ગુજરાત અને હિમાચલની ચૂંટણીના પરિણામો પર અસર પડશે?

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે 8મી ડિસેમ્બરે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આમાં કયો પક્ષ જીતશે તે પણ ખૂબ મહત્ત્વનું રહેશે. એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે ગુજરાતમાં ભાજપ ફરી સત્તામાં આવી શકે છે. તે જ સમયે, હિમાચલને લઈને સસ્પેન્સ અકબંધ છે. જણાવી દઈએ કે વર્ષમાં ત્રણ વખત સેશન યોજાય છે. તે બજેટ સત્રથી શરૂ થાય છે જે વર્ષની શરૂઆતમાં શરૂ થાય છે અને તે સૌથી લાંબા સમય સુધી ચાલે છે. આ પછી, જુલાઈ-ઓગસ્ટમાં ચોમાસુ સત્રનું આયોજન કરવામાં આવે છે અને પછી અંતે શિયાળુ સત્ર હોય છે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous