News Continuous Bureau | Mumbai
આજકાલ ઘરમાં એક્વેરિયમ(aquarium) રાખવાનું દરેકને ગમે છે. એક્વેરિયમ રાખવાના ઘણા ફાયદા છે. વાસ્તુશાસ્ત્રમાં માછલીઘર વિશે જણાવવામાં આવ્યું છે કે જો તેને યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો તે આખા ઘરમાં સુખ-શાંતિ લાવે છે, પરંતુ જો તેને ભૂલથી ખોટી જગ્યાએ મૂકી દેવામાં આવે તો તેનાથી ગરીબી પણ આવી શકે છે.
– તમને જણાવી દઈએ કે, ઘરની દક્ષિણ દિશામાં માછલીઘર અથવા પાણી સંબંધિત કોઈ મૂર્તિ અથવા શો પીસ ન રાખવી જોઈએ. જેના કારણે આવક(income) ઓછી અને ખર્ચ વધુ થાય છે. ઉપરાંત, એવું માનવામાં આવે છે કે માછલીઘરને કુદરતી પ્રકાશ હેઠળ રાખવાથી તણાવ(stress) દૂર થાય છે. આ સિવાય લાલ અને કાળી માછલી રાખવાથી સુખ મળે છે.
– ઘર અને દુકાનની ઉત્તર-પૂર્વ દિશા ક્યારેય ગંદી ન હોવી જોઈએ. સ્વચ્છતાનું(clean) ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગંદી ઉત્તર-પૂર્વ દિશાને કારણે ઘરમાં પૈસાની અવરજવર ઓછી થાય છે. જો તમે આ દિશાને યોગ્ય રીતે સાફ રાખશો તો માતા લક્ષ્મીનો આશીર્વાદ બની રહેશે અને તમને ક્યારેય ધન ની કમી નહીં આવે.
– બાળકોને એક ટેવ હોય છે, તેઓ હંમેશા કાગળ પર લખવા કરતાં દિવાલો પર લખવાનું વધુ પસંદ કરે છે, પરંતુ ઘરની દીવાલો કે ફર્શ પેન્સિલ, ચોક કે કોલસાથી ન ચીતરાવી જોઈએ, એટલે કે દિવાલો ગંદી(clean wall) ન હોવી જોઈએ. આ ગંદી દીવાલ ઉધારમાં વધારો કરે છે.
આ સમાચાર પણ વાંચો : આ રાશિના જાતકો બેધડક રીતે આત્મવિશ્વાસ સાથે બોલે છે જુઠ્ઠું-જાણો તે રાશિ વિશે