અક્ષય કુમારે માન્યો MNC ચીફ નો આભાર-કહ્યું કે તે રાજ ઠાકરે નો ઋણી છે -જાણો આ કહેવા પાછળ નું કારણ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનું આ આખું વર્ષ બોક્સ ઓફિસ પર ફિલ્મોની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ રહ્યું છે. આ વર્ષે રીલિઝ થયેલી અક્ષયની તમામ ફિલ્મોને દર્શકોએ નકારી કાઢી છે. 'બચ્ચન પાંડે'થી શરૂ થયેલી આ ફ્લોપ સફર(flop film) 'રામ સેતુ' પછી પણ પૂરી થઈ નથી. જો કે 'રામ સેતુ' હજુ પણ સિનેમાઘરોમાં છે, પરંતુ તેના દર્શકો દિવસેને દિવસે ઘટતા જોઈને આશા છે કે તે ફ્લોપની યાદીમાં પણ સામેલ થઈ જશે. બોલિવૂડમાં અક્ષયની ફિલ્મોનો ગ્રાફ સતત(filmi graff) નીચે જઈ રહ્યો છે ત્યારે હવે અક્ષય બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા માટે નીકળ્યો છે. અક્ષયે મરાઠી સિનેમામાં(Marathi cinema) ડેબ્યુ કરવાની જાહેરાત કરી દીધી છે.

આ વર્ષે રિલીઝ થયેલી 'સમ્રાટ પૃથ્વીરાજ'માં રાજા-મહારાજાનો રોલ કર્યા બાદ અક્ષય કુમાર ફરી એકવાર ફિલ્મી પડદે આવો જ રોલ કરતો જોવા મળવાનો છે. અક્ષય કુમાર મહેશ માંજરેકરની છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત ફિલ્મ સાથે મરાઠીમાં ડેબ્યૂ (Marathi debut)કરવા માટે તૈયાર છે. અભિનેતા 'વેદત મરાઠે વીર દૌડલે સાત' નામની ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે.મહેશ માંજરેકર દ્વારા દિગ્દર્શિત અને વસીમ કુરેશી દ્વારા નિર્મિત, આ ફિલ્મ સાત બહાદુર યોદ્ધાઓની વાર્તા પર આધારિત છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય શિવાજી મહારાજના(shivaji maharaj) સ્વરાજ્યના સ્વપ્નને સાકાર કરવાનો હતો. આ નાયકોની વાર્તા ઇતિહાસના સૌથી ભવ્ય પૃષ્ઠો પર લખવામાં આવી છે. મુંબઈમાં આયોજિત ફિલ્મના મુહૂર્ત શોટ કાર્યક્રમમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) અને MNC ચીફ રાજ ઠાકરે(Raj Thakrey) પણ હાજર હતા. અક્ષયની વર્ષની પાંચમી ફિલ્મ 'રામ સેતુ' રિલીઝ થયાના થોડા દિવસો બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર આવશે તેમ કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : દેશી ગર્લ પ્રિયંકા ચોપરા 3 વર્ષે ભારત પરત ફરી- મુંબઈ એરપોર્ટ પર એકદમ ઉત્સાહમાં જોવા મળી- જુઓ વિડીયો

ફિલ્મના લોન્ચિંગ સમયે અક્ષય કુમારે જણાવ્યું કે તેને રાજ ઠાકરેએ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવવા માટે કહ્યું હતું. અભિનેતા એ જણાવ્યું કે,’રાજ ઠાકરેના કારણે મને છત્રપતિ શિવાજી મહારાજનો રોલ મળ્યો. તેઓએ મને કહ્યું કે તારે આ ભૂમિકા ભજવવી(play role) જોઈએ. મહારાજની ભૂમિકા ભજવવી એ મારા માટે મોટી વાત છે. તેથી હું મહામહિમ ની ભૂમિકાને ન્યાય આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.' આ ફિલ્મમાં મહેશ માંજરેકરના પુત્ર સત્ય માંજરેકર (satya manjrekar)પણ જોવા મળશે. સત્યા આમાં દત્તાજી પેજનું પાત્ર ભજવશે. અક્ષય કુમારે અગાઉ ફિલ્મ 'પૃથ્વીરાજ'માં ઐતિહાસિક પાત્ર ભજવ્યું હતું. પરંતુ ફિલ્મ ન ચાલી. હવે જોવાનું એ રહેશે કે અક્ષય છત્રપતિ શિવાજી મહારાજ બનવામાં કેટલો સફળ થાય છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More