News Continuous Bureau | Mumbai
બોલિવૂડનો હીરો સલમાન ખાન ( salman khan ) ને આજે કોઈ પરિચય ની જરૂર નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી વધુ સમય પસાર કર્યા બાદ તેણે દર્શકોને એકથી વધુ ફિલ્મો આપી છે. આ તેનો ચાર્મ છે કે આટલા વર્ષો પછી પણ લોકોમાં તેનો ક્રેઝ ખતમ થયો નથી.કરોડોની પ્રોપર્ટીના માલિક સલમાન ખાનને જોઈને લાગે છે કે તે કોઈ આલીશાન મહેલ જેવા મકાનમાં રહેતો હશે. એ પણ સાચું, પણ એનું ઘર ‘મન્નત’ કે ‘જલસા’ જેવું નથી. આટલો અમીર હોવા છતાં પણ સલમાન ખાન પોતાના જૂના મકાનમાં રહે છે. તેની પાછળ એક મોટું કારણ છે, જેનો તેણે એકવાર ખુલાસો કર્યો હતો. આજે સલમાન ખાનનો 57મો જન્મદિવસ ( birthday special ) છે. આ પ્રસંગે અમે વાત કરીશું કે તે આટલો અમીર હોવા છતાં પણ સલમાન બાકીના સ્ટાર ની જેમ નવા ઘરમાં કેમ ( old house ) શિફ્ટ નથી થતો.
આ કારણે સલમાન તેના જૂના મકાનમાં રહે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક જૂના ઈન્ટરવ્યુમાં સલમાન ખાને એકવાર ખુલાસો કર્યો હતો કે તેને બાંદ્રામાં પોતાના જૂના મકાન (ફ્લેટ)માં રહેવું ગમે છે. તે આલીશાન બંગલામાં રહેવા કરતાં બાંદ્રામાં પોતાના ઘરમાં રહેવાનું પસંદ કરે છે. તેણે આનું કારણ જણાવ્યું કે તેના માતા-પિતા તેની ઉપરના ફ્લેટમાં રહે છે. તે નાનપણથી એક જ ઘરમાં રહે છે.સલમાને કહ્યું હતું કે તેની આખી ઇમારત એક પરિવાર જેવી છે. ‘અમે નાના હતા ત્યારે બિલ્ડીંગના તમામ બાળકો નીચે બગીચામાં સાથે રમતા હતા અને ક્યારેક ત્યાં સૂઈ જતા હતા. હું એ જ ઘરમાં રહું છું કારણ કે એ ઘર સાથે મારી અસંખ્ય યાદો જોડાયેલી છે. એક સમયે, સલમાન ખાનના પિતા અને મહાન પટકથા લેખક સલીમ ખાને પણ આ ફ્લેટમાં રહેવાનું કારણ શેર કર્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘હું આ જગ્યા સાથે ખૂબ જ જોડાયેલ છું. જો હું ક્યારેય આ સ્થાન છોડીશ, તો મારું હૃદય રડશે. પછી હું સુખેથી જીવી શકીશ નહિ.’
આ સમાચાર પણ વાંચો: સલમાન ખાન બર્થડે સ્પેશિયલ : સલમાન ખાન ની બર્થડે પાર્ટી માં શાહરુખ ખાને આપી સરપ્રાઈઝ, ‘દબંગ’ ખાનને ગળે લગાવી ને પાઠવ્યા અભિનંદન
સલમાન તેના જન્મદિવસે મુંબઈની બહાર રહેશે
સલમાન ખાનના જન્મદિવસ પર, ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ગેલેક્સીની બહાર ઉમટી પડે છે. પરંતુ લાગે છે કે આ વખતે તેના ચાહકો નિરાશ થશે. કારણ કે આ દિવસે સલમાન મુંબઈની બહાર જવાનો છે. તેણે બિગ બોસ 16માં આ વાતનો ખુલાસો કર્યો હતો.
Join Our WhatsApp Community