News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની આ સમયે સતત ચર્ચા થઈ રહી છે. કિયારા અને સિદ્ધાર્થ લગ્નના બંધનમાં બંધાયા છે. બંનેની પ્રી-વેડિંગ સેરેમની ના ઘણા વીડિયો હાલ વાયરલ થઈ રહ્યા છે. સિદ્ધાર્થ અને કિયારા એ તેમના લગ્ન માટે રાજસ્થાન ના જેસલમેર ની પસંદગી કરી હતી. બંનેના લગ્ન રાજસ્થાનના જેસલમેર ના સૂર્યગઢ પેલેસમાં થયા હતા. કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં બોલિવૂડ ના ઘણા કલાકારો હાજર રહ્યા હતા. તે જ સમયે, હવે આ લગ્નમાં થયેલા ખર્ચની માહિતી પણ સામે આવી છે.
ત્રણ દિવસના કાર્યક્રમમાં પાણી ની જેમ વહાવ્યા પૈસા
સિદ્ધાર્થ-કિયારા બંને પોતાના લગ્નમાં ઘણો ખર્ચ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, સૂર્યગઢ પેલેસના લગ્નોમાં શાહી અનુભવ આપવામાં આવે છે. રાજસ્થાની પરંપરાઓ સાથે લક્ઝરી માટે પણ ખાસ કાળજી લેવામાં આવે છે. આ સિવાય અહીં રહેવા માટે ખાવાથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા ખૂબ જ ખાસ હોય છે. આવી સ્થિતિમાં સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં ત્રણ દિવસ માટે 6 થી 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પેલેસના 85 રૂમ બુક કરવામાં આવ્યા હતા અને મહેમાનોને દરેક સુવિધા પણ આપવામાં આવી હતી. દેખીતી રીતે જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા.
ટોપ 15 વેડિંગ વેન્યુમાં સામેલ છે સૂર્યગઢ પેલેસ
રાજસ્થાનના આ સૂર્યગઢ પેલેસને ભારતના ટોચના 15 લગ્ન સ્થળોમાં ના એક તરીકે ઓળખવામાં આવે છે. આ મહેલ જેટલો ભવ્ય અને સુંદર છે, આ પેલેસમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે વસૂલવામાં આવતી ફી પણ એટલી જ વધારે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યગઢ પેલેસમાં એક દિવસીય લગ્નનો ખર્ચ લગભગ 1.20 કરોડ રૂપિયા છે. તે પણ જ્યારે દારૂ વગર બુકિંગ થાય ત્યારે. પરંતુ, જો આ બુકિંગ ઓક્ટોબરથી માર્ચ વચ્ચે કરવામાં આવે તો તેનો એક દિવસનો ખર્ચ 2 કરોડની આસપાસ આવે છે.
Join Our WhatsApp Community