આર્થિક રીતે સંકટમાં ફસાયેલા ઇજિપ્ત ( Egypt ) ને ભારત દેશ મદદ કરશે. ભારત ( India ) દેશે ઇજિપ્તને ઘઉં નિકાસ કરવાની યોજના બનાવી છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે ઇજિપ્તના પ્રમુખ ભારત દેશની મુલાકાતે છે ત્યારે તેમની સાથે 120 લોકોની વિશેષ ટુકડી પણ આવી રહી છે. આ 120 લોકો પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતની પરેડમાં ભાગ લેશે.
આ ઉપરાંત તેમની વિઝિટ દરમિયાન તેઓ ભારતના અધિકારીઓ સાથે પ્રદીર્ઘ મુલાકાત કરશે તેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના અનેક કાર્યક્રમો છે. આ પ્રસંગે ભારત દેશ ઇજિપ્તને આર્થિક સંકટમાં મદદ કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આ સંદર્ભેની અધિકારીક જાહેરાત થોડા સમયમાં થશે.
ઇજિપ્તમાં શું સંકટ છે ?
ઉલ્લેખનીય છે કે ઇજિપ્તમાં અત્યારે ઘેરુ આર્થિક સંકટ ( Economic crisis ) છે. ઇજિપ્તની સરકારે મોટાપાયે મસ્જિદોને મદદ કરી જ્યારે કે લોકોને ખાવા માટે રોટલાના સાસા છે. ઇજિપ્તના લોકોને એ વાત સમજાતી નથી કે સરકાર શા માટે ધર્માંધ બની ચૂકી છે. બીજી તરફ અન્ય ઈસ્લામિક રાષ્ટ્રો ઇજિપ્તને મદદ કરવા માટે તૈયાર નથી.
આ સમાચાર પણ વાંચો: ગજબ કહેવાય.. આ દેશની સરકાર ત્યાંના મૂળ નિવાસીઓને ચૂકવશે 17 હજાર કરોડનું વળતર, જાણો શું છે સમગ્ર મામલો
ઇજિપ્ત માટે આ અઘરો સમય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય અતિથિ બનાવીને દેશનું માન વધાર્યું છે તેમજ તેમને મદદ કરીને તેઓ ઇજિપ્ત ને તકલીફમાંથી બહાર કાઢશે.
Join Our WhatsApp Community