News Continuous Bureau | Mumbai
થાઈલેન્ડની ખાડીમાં તેજ પવન અને દરિયાઈ મોજાને કારણે થાઈ નેવીનું જહાજ ડૂબી ગયું હોવાના અહેવાલ મળી રહ્યા. જહાજમાં 100 થી વધુ લોકો સવાર હતા. થાઈલેન્ડની ખાડીમાં થાઈ નેવીનું યુદ્ધ જહાજ ડૂબી જતાં 75 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 31 લાપતા છે. તેમને શોધવા માટે દરિયામાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જુઓ રેસ્ક્યુ ઓપરેશનનો વિડિયો
〰️🌊🔗🇹🇭〰️🛟 UPDATE warship of #Thailand's navy sunk in the Gulf of Thailand.
75 sailors were rescued, 31 are still missing. #Rescue | #Emergency pic.twitter.com/zkQ7vyscE8
— A Deniz Ekşioğlu (@cover_up8d) December 19, 2022
દરિયામાં યુદ્ધ જહાજ પેટ્રોલિંગ પર હતું
રોયલ થાઈ નૌકાદળે જહાજ ડૂબી જવાની જાણ થતાં જ જહાજના પાણીને બહાર કાઢવા માટે મોબાઈલ પમ્પિંગ મશીનો સાથે ત્રણ ફ્રિગેટ્સ અને બે હેલિકોપ્ટર મોકલ્યા હતા, પરંતુ ભારે પવનને કારણે તેઓ નિષ્ફળ ગયા હતા. પ્રાચુઆપ ખેરી ખાન પ્રાંતમાં બંગસાફન જિલ્લામાં થાંભલાથી 32 કિલોમીટર (20 માઇલ) દૂર દરિયામાં યુદ્ધ જહાજ પેટ્રોલિંગ પર હતું ત્યારે આ અકસ્માત થયો હતો.
આ સમાચાર પણ વાંચો: Dahisar News : દહીસર વાસીઓ માટે સારા સમાચાર, જૂની ઇમારતોનું રીડેવલપમેન્ટ આસાનીથી થશે તેમજ મુંબઈ નું સૌથી મોટું થીમ પાર્ક પણ બનશે. જાણો વિગત.
મીડિયા અહેવાલો મુજબ થાઈ નૌકાદળના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે યુદ્ધ જહાજ HTMS સુખોથાઈ જ્યારે બેંગ સફાન જિલ્લા નજીક પેટ્રોલિંગ પર હતું ત્યારે તોફાનમાં ફસાઈ ગયું હતું. ઊંચા મોજાને કારણે યુદ્ધ જહાજ 60 ડિગ્રી સુધી નમી ગયું. આ પછી તે દરિયાના પાણીથી ભરાઈ ગયું. જેના કારણે પાવર કટ થઈ ગયો અને યુદ્ધ જહાજનું મુખ્ય એન્જિન બંધ થઈ ગયું.એવું કહેવામાં આવી રહ્યું છે કે મરીન 3 કલાકથી વધુ સમય સુધી પ્રયાસ કરતા રહ્યા, પરંતુ પાણી બહાર કાઢી શક્યા નહીં.
Join Our WhatsApp Community