શિયાળાની ગુલાબી ઠંડીમાં જો ગરમા ગરમ કેસર, બદામ, પિસ્તા યુક્ત દૂધ કે પછી દૂધમાં અડધી ચમચી જેટલી હળદર ને એક ચપટી ઈલાયચી પાવડર નાખી પીવાથી શરીર તંદુરસ્ત રહે છે.
સવારે આળસ ખંખેરી વહેલા ઉઠી વ્યાયામ કે યોગાસન ને શાસ્ત્રોમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે.
શિયાળામાં ઉત્તમ આહારમાં તલ,ગોળ, ઘી નાખીને બનાવેલ લાડુ કે ચિક્કી ખાવી તે ઉપરાંત અડદિયા કે પછી ઘઉં માંથી તલના તેલ કે ઘી સાથે બનાવેલ વાનગી આરોગવી.
આ સમાચાર પણ વાંચો : Mumbai News : 6 ડિસેમ્બરે મુંબઈના આ વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ
શિયાળામાં આવતા લાલ ગાજર ને વળી અવનવા લીલા શાકભાજી આંખોના રોગોથી મુક્તિ અપાવે છે. આંખમાં થતી બળતરા કે પછી ચશ્માંના નંબર આવતા અટકાવે છે.
યુવાન દેખાવા સવારે જ્યુસનું સેવન કરો ને નારિયેળ પાણી તો ખુબ જ ફાયદાકારક છે.
Join Our WhatsApp Community