શું તમે ગુજરાત ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો IRCTC લઇને આવ્યું છે આ ખાસ ટૂર પેકેજ. જાણો કિંમતથી લઇને બધુ જ

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) મુસાફરો માટે સમયાંતરે નવા ટૂર પેકેજો રજૂ કરતું રહે છે. આ ટૂર પેકેજો દ્વારા પ્રવાસીઓ સસ્તામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી શકે છે અને નવા પ્રવાસન સ્થળો જોઈ શકે છે.

by Dr. Mayur Parikh
IRCTC announces ‘Khushboo Gujarat Ki’ tour package, click to read more details

News Continuous Bureau | Mumbai

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન ( IRCTC ) મુસાફરો માટે સમયાંતરે નવા ટૂર પેકેજો રજૂ કરતું રહે છે. આ ટૂર પેકેજો દ્વારા પ્રવાસીઓ સસ્તામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી શકે છે અને નવા પ્રવાસન સ્થળો જોઈ શકે છે. આઈઆરસીટીસીના ટૂર પેકેજમાં મુસાફરોના રહેવા અને ભોજનની વ્યવસ્થા મફતમાં કરવામાં આવે છે અને તેની સાથે ગાઈડ અને લોકલ ટૂર માટે કેબ કે કારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અન્ય ખાનગી ટૂર પેકેજોની સરખામણીમાં IRCTC ટૂર પૅકેજ સસ્તા અને અનુકૂળ હોય છે.

IRCTC હવે માર્ચમાં મુસાફરો માટે નવું ટૂર પેકેજ ઓફર કરી રહ્યું છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) પ્રવાસીઓ માટે ગુજરાત ટુર પેકેજ ઓફર કરે છે. આ પ્રવાસ પેકેજ દ્વારા પ્રવાસીઓ સુંદર ગુજરાતની મુલાકાત લઈ શકે છે. આ ટૂર પેકેજનું નામ ‘ખુશ્બુ ગુજરાતની વિદ ગીર નેશનલ પાર્ક’ છે. આ ટૂર પેકેજ લખનૌથી શરૂ થશે. આવી સ્થિતિમાં, આ ટૂર પેકેજ લખનૌથી ગુજરાત જતા પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ છે. મુસાફરો આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકે છે.

આ ટૂર પેકેજ 6 દિવસનું છે, યાત્રા 24 માર્ચથી શરૂ થશે..

‘ખુશ્બુ ગુજરાત કી’ ટૂર પેકેજ 6 દિવસ અને 7 રાતનું છે. આ ટૂર પેકેજ દ્વારા પ્રવાસીઓ અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, દ્વારકા, રાજકોટ અને ગીર નેશનલ પાર્કની મુલાકાત લઈ શકશે. આ ટૂર પેકેજમાં પ્રવાસ હવાઈ માર્ગે થશે. આ પ્રવાસ લખનઉ એરપોર્ટથી શરૂ થશે અને આ ટૂર પેકેજની આવર્તન 14મી માર્ચ, 20મી માર્ચ, 24મી માર્ચ અને 30મી માર્ચ છે. આ ટૂર પેકેજમાં મુસાફરોને નાસ્તો અને રાત્રિભોજન આપવામાં આવશે. મુસાફરોના રહેવાની વ્યવસ્થા IRCTC દ્વારા જ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  લાહોરમાં બેસીને જાવેદ અખ્તરે પાકિસ્તાનને બતાવ્યો અરીસો, કહ્યું- મુંબઈ બોમ્બ હુમલાના આરોપીઓ અહીં ખુલ્લેઆમ… જુઓ વિડિયો..

મળશે આ સુવિધા

આ પેકેજની શરુઆત 48500 રૂપિયા પ્રતિ વ્યક્તિથી હશે. આ કોસ્ટમાં તમને રહેવા જમવાની તમામ સુવિધા મળશે. 2 લોકો માટે તમારી સીટ બુક કરાવવી છો તો તમારે Rs. 38000 આપવા પડશે. જ્યારે તમે ત્રણ વ્યક્તિ સાથે મુસાફરી કરો છો તો તમારે માત્ર 36500 રુપિયા ચુકવવા પડશે.

કેવી રીતે કરાવી શકશો બુકિંગ

આ એર ટૂર પેકેજ માટે બુકિંગ આઈઆરસીટીસીની વેબસાઈટ www.irctctourism.com પર ઓનલાઈન જઈને કરાવી શકશો. આ ઉપરાંત આઈઆરસીટીસી પર્યટક સુવિધા કેન્દ્ર, ઓફિસે જઈને પણ કરાવી શકશો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More