સ્વાસ્થ્ય જાણકારી : પેશાબના રંગમાં ફેરફાર આ રોગો સૂચવે છે ; પેશાબનાં રંગ પરથી જાણો તમારા શરીર વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 ઓક્ટોબર,  2021

શુક્રવાર

શરીરનું મોટાભાગનું ઝેર પેશાબ દ્વારા શરીરમાંથી બહાર આવે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો લોકોને વધારેમાં વધારે પાણી પીવાની સલાહ આપે છે. જો તમે શરીરની જરૂરિયાત મુજબ પાણી પીઓ છો, તો પેશાબ સામાન્ય રંગમાં આવે છે, જ્યારે ઓછું પાણી પીવાથી પેશાબનો રંગ બદલાય છે.પેશાબના રંગ અને આપણા સ્વાસ્થ્ય વચ્ચે ખાસ સંબંધ છે. પેશાબ એ કિડની વાટે લોહીમાંથી વધારાનું પાણી અને નકામા પદાર્થો દૂર કરવાની કુદરતી રીત છે. સામાન્ય પેશાબનો રંગ આછો પીળો અથવા તેનાથી થોડો ઘાટો હોઈ શકે છે. આવો જાણીયે પેશાબના રંગ વિશે

ઘેરો પીળો

જો તમારા પેશાબનો રંગ ઘેરો પીળો હોય, તો જલદીથી તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. તમારા યકૃત સાથે સમસ્યા અથવા હિપેટાઇટિસ હોઈ શકે છે.

ઓરેન્જ

જો તમે ગાજર અથવા ગાજરના રસનું સેવન કરો છો, તો આ રંગનું પેશાબ આવે છે. જો તમે આમ ન કર્યું હોય, તો દવાઓના વધુ પડતા વપરાશને કારણે તે નારંગી રંગનો હોય છે.

દૂધિયું સફેદ

સામાન્ય રીતે, પેશાબમાં 95 ટકા પાણી હોય છે અને બાકીના ખનિજો, યુરિક એસિડ વગેરેથી બનેલા હોય છે. પરંતુ જો તમને દૂધિયું સફેદ પેશાબ આવતું હોય, તો શક્ય છે કે પેશાબ સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે જેવા ખનીજ વધુ પડતા બહાર આવે છે. આવી સ્થિતિમાં પણ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

લાલ કે ગુલાબી

જો તમે ભોજનમાં બીટરૂટ ખાધું હોય તો તેની અસરને કારણે પેશાબનો રંગ ગુલાબી અથવા લાલ થઈ શકે છે. પરંતુ જો આવું ન હોય તો, પેશાબ હજુ પણ ગુલાબી અથવા લાલ દેખાય છે, તો તે કિડની ગાંઠ અથવા પેશાબની નળીઓના વિસ્તારમાં ચેપનો સંકેત હોય શકે છે.

વાદળી અથવા લીલો

જો લીલો અથવા વાદળી રંગ કોઈ દવા અથવા ખાદ્ય પદાર્થને કારણે હોય તો તે સામાન્ય ગણી શકાય, પરંતુ જો તે ન હોય તો તે પોર્ફિરિયા અથવા બ્લુ ડાયપર સિન્ડ્રોમ જેવા દુર્લભ રોગને કારણે હોઈ શકે છે. જેઓ કિડની સંબંધિત કોઈપણ સમસ્યા માટે દવાઓ લઈ રહ્યા છે, તેમના માટે આ સ્થિતિ જોખમી પણ હોઈ શકે છે.

આજે સુરતમાં ઘારી ડે, આ રીતે સુરતીઓ ઉજવશે ઘારી ડે; જાણો અહીં

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *