સવારે 7થી બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવાને કારણે આ સમસ્યા પેદા થશે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

મંગળવાર

વેપારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેઓ દુકાનમાં શી રીતે પહોંચશે. મુંબઈ શહેરમાં અત્યારે રાત્રે 8.00થી 06:00 સુધી કર્ફ્યુ લાગુ છે. આ પરિસ્થિતિમાં સવારે સાત વાગે દુકાને પહોંચવા માટે કોઈ પણ વ્યક્તિએ 6:00 વાગ્યા પહેલાં ઘરેથી બહાર નીકળવું પડે. આ એક મોટી સમસ્યા છે, કારણ કે આવું કરવાથી કર્ફ્યુનો ભંગ થાય છે અને એ માટે પોલીસ પ્રશાસન કોઈ પણ વ્યક્તિને 2,000 રૂપિયાનો દંડ કરી શકે છે. આથી સવારે સાત વાગ્યે ખૂલતી દુકાન પર 9:00 પહેલાં કર્મચારીઓ નહીં પહોંચી શકે.

તો હવે કોરોનાની સારવાર માટે મળશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન; જાણો વિગત

તેમ જ ગ્રાહકો પણ સવારે ૧૦ કે ૧૧ વાગ્યા પહેલાં દુકાને પહોંચતા નથી. આ પરિસ્થિતિમાં જે સમયગાળો આપ્યો છે એને કારણે વેપારીઓને મોટી સમસ્યા થશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More