બાંદ્રા- વર્સોવા સી લિંકનું કામ ગોકળગાય ગતિએ; છેલ્લા 40 દિવસથી રોજ આટલા કરોડ દંડ ભરે છે તોય કોન્ટ્રાક્ટર સુધરતા નથી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 નવેમ્બર, 2021

બુધવાર

બાંદ્રા-વર્સોવા સી લિંક મુંબઈમાં ચાલતા મહત્વના પ્રોજેક્ટમાંનો એક છે. તેના નિર્માણથી લોકોને ટ્રાફિક જામમાંથી તો છુટકારો મળશે જ પરંતુ ઇંધણની પણ બચત થશે અને મુસાફરીમાં સમયની પણ બચત થશે. તેને પૂર્ણ કરવાનુ લક્ષ્ય વર્ષ 2025 સુધીનું છે. જોકે કોન્ટ્રાક્ટર પ્રોજેક્ટના કામને ગોકળગાયની ગતિએ કરી રહ્યા છે. તેમને નોટિસ આપવા છતાં કામમાં ધીમી પ્રગતિ માટે કોન્ટ્રાક્ટરને રોજનો 3.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. દંડાત્મક પગલાં લેવાયા બાદ પણ કોન્ટ્રાક્ટરે કામ ઝડપી કર્યું નથી અને તેનાથી પ્રોજેક્ટને નુકસાન થઈ રહ્યું છે. તેથી, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) હવે કોન્ટ્રાક્ટરને બીજી નોટિસ આપશે.

આ 17.7 કિ.મી લાંબા દરિયાઈ પુલનું કામ ચાર તબક્કામાં થઈ રહ્યું છે. બે વર્ષ પહેલાં પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું, પરંતુ શરૂઆતમાં કામમાં અડચણો આવી. કાસ્ટિંગ યાર્ડ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું અને કામ અટકી ગયું, પરંતુ અંતે MSRDCએ કાસ્ટિંગ યાર્ડની સમસ્યાનો ઉકેલ લાવી દીધો. તે જ સમયે, કોરોના સંકટ હતું. આ બંને અવરોધોની સામે, MSRDCએ કોન્ટ્રાક્ટરને જરૂરી વિસ્તરણ મંજૂર કર્યું હતું. તમામ મુશ્કેલીઓ દૂર થયા બાદ થોડા મહિના પહેલા પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું. કરાર મુજબ કોન્ટ્રાક્ટરે 31 ઓગસ્ટ 2021 સુધીમાં પ્રથમ તબક્કામાં કામની ચોક્કસ ટકાવારી પૂર્ણ કરવાની હોવાથી કામને ઝડપી બનાવ્યું હતું. જો કે, MSRDCએ સપ્ટેમ્બરમાં એક નોટિસ જારી કરીને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ કરવા બદલ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

નગરસેવકોને ભંડોળ વહેંચવામાં પણ ભેદભાવઃ મુંબઈ મનપાએ આપ્યું આ કારણ. જાણો વિગત.

નોટિસ મુજબ કોન્ટ્રાક્ટરને કામમાં ઝડપ લાવવા આદેશ કરાયો હતો. ત્યાં સુધી રોજના 3.5 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય લેવાયો હતો. MSRDCના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા 40 દિવસથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. નોટિસ મુજબ કામમાં ઝડપ લાવવા માટે 45 દિવસનું એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું. આ સમયગાળો હવે પૂરો થવા જઈ રહ્યો છે અને કોન્ટ્રાક્ટરે કામ ઝડપી કર્યું નથી. તેથી તેને ફરીથી નોટિસ આપવામાં આવશે. 

MSRDCના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો કોન્ટ્રાક્ટર કાયદા વિભાગ તરફથી નોટિસ આપ્યા પછી પણ કામ પૂરું નહીં કરે તો તેની સામે શું પગલાં લેવાશે અને કોન્ટ્રાક્ટમાં શું જોગવાઈઓ છે તેની કાયદા વિભાગ પાસેથી માહિતી મેળવ્યા બાદ નોટિસ આપવામાં આવશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More