પાકિસ્તાને UNHRCમાં ફરી આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ.. થઇ ગઈ પાક.ની બોલતી બંધ  

by kalpana Verat
India slams Pak Shun obsession, instead work for your citizens battling for survival

News Continuous Bureau | Mumbai

  • સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે ફરી એકવાર ભારત પર ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ કર્યો છે.
  • જોકે, ભારતે પણ તેના તમામ આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. 
  • ભારતીય રાજદ્વારી સીમા પુજાનીએ જણાવ્યું કે આજે પાકિસ્તાનમાં કોઈ પણ ધાર્મિક લઘુમતી મુક્તપણે જીવી શકતી નથી કે પોતાનો ધર્મ પાળી શકતી નથી. 
  • પાકિસ્તાનના પોતાના તપાસ પંચને છેલ્લા એક દાયકામાં બળજબરીથી ગુમ થવાની 8,463 ફરિયાદો મળી છે. આ ક્રૂર નીતિએ બલૂચ લોકોનો ભોગ લીધો છે. 
  • કાશ્મીર મુદ્દે પુજાનીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોના સમગ્ર વિસ્તારો ભારતનો હિસ્સો હતા, છે અને રહેશે. 
  • પાડોશી દેશ હંમેશા ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવામાં સામેલ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  Royal Enfield એ Interceptor 650 અને Continental GT 650નું એલોય વ્હીલ વર્ઝન લોન્ચ કર્યું, જાણો એન્જિન અને ડિઝાઇનની સંપૂર્ણ વિગતો

 

Join Our WhatsApp Community