પ્રથમ ગ્રાસે મક્ષિકા! ફ્લાઈટ શરુ થયાના પહેલા જ દિવસે ટળી મોટી દુર્ઘટના, દિલ્હી એરપોર્ટ પર પ્રવાસીઓ માંડ બચ્યા, જુઓ તસવીરો જાણો વિગતે.. 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થયાના પહેલા જ દિવસે અપશુકન થયા છે. સરકારે કોરોનાની ત્રીજી લહેર ઓસરતાં  27 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેથી આજથી એટલે 28 માર્ચથી તમામ પ્રકારની ફ્લાઈટ શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલા જ એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે.

દિલ્હી એરપોર્ટ પર વધુ એક વાર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. પ્રાપ્ત જાણકારી મુજબ પુશઅપ દરમિયાન સ્પાઈસજેટ નું એક વિમાન વીજળીના થાંભલા સાથે ટકરાયું હતું. જોકે રાહતની વાત છે કે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અથડામણને કારણે ફ્લાઇટના એક ભાગને નુકસાન થયું હતું. જ્યારે વીજળીનો થાંભલો પણ સાવ નીચેની તરફ વળી ગયો હતો.

તાલિબાનનું અજીબોગરીબ ફરમાન. હવે મહિલાઓ અને પુરુષો એક સાથે નહીં જઇ શકે અમ્યુઝમેન્ટ પાર્કમાં, નક્કી કરાયા આ નવા નિયમો… જાણો વિગતે

કહેવામાં આવી રહ્યું છે કે સ્પાઈસજેટના વિમાનને જ્યારે ટર્મિનલ પરથી રનવે પર લઈ જવાઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. વિમાન એટલી જોરથી થાંભલા સાથે ટકરાયું કે તેમાં બેઠેલા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને ઊની આંચ આવી નથી.તમામ પ્રવાસીઓ સલામત છે. આ ઘટના બાદ તમામ પ્રવાસીઓને બીજા વિમાનમાં શિફ્ટ કરી દેવાયા હતા.  ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આશરે બે વર્ષ બાદ આજથી દેશ અને વિદેશમાં તમામ ફ્લાઈટ હમેંશ મુજબ શરુ થઈ છે.   આ પહેલા પણ અનેક વાર દિલ્હી એરપોર્ટ પર આવી દુર્ઘટના થઈ છે. 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More