ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન 2021
શુક્રવાર
મહારાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસ વેરીયન્ટ એ પોતાની હાજરી પુરાવી દીધી છે. પરિણામ સ્વરૂપ હવે આ વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ વાયરસની સૌથી ગંભીર વાત એ છે કે તે ઝડપથી ફેલાતો નથી પરંતુ તે અનેક ગણો ઘાતક છે. આ વાયરસ શરીરમાં પ્રવેશતાની સાથે જ એન્ટિબોડીઝ ઝડપથી ઘટવા માંડે છે. પરિણામ સ્વરૂપ દર્દીની હાલત ક્રિટીકલ થઈ જાય છે. કોરોના ના આ નવા સ્વરૂપને કારણે અનેક દેશોમાં સમસ્યા સર્જાઈ ચૂકી છે.
આ પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ નિર્ણય લીધો છે કે હવે વધુ unlock સંદર્ભે ત્વરિત નિર્ણય નહીં લેવામાં આવે. આટલું જ નહીં જે કલેકટર હવે નિયંત્રણ વધુ હળવા કરવા વિશે વિચારશે તેણે આ નિર્ણય ઝપાટાભેર લેવો નહીં તેવું મુખ્યમંત્રી નું સૂચન છે.
આ ઉપરાંત આરોગ્ય વિભાગને પણ સતર્ક રહેવા નો ઈશારો આપી દેવામાં આવ્યો છે.